SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ न्यायावतार10 तदभावात्, पुरुषाद्यवयविनां स्मरणात्प्रत्यभिज्ञानाच्च । नैतदस्ति, तेषामलीकवासनाप्रबोधोत्थापितत्वेन प्रामाण्यायोगात् । किं च, ३४९तान्यपि स्वयं वर्तमानक्षणे एव प्रकाशन्ते, ३५°विप्लववशात्तु ३५१स्वरूपमेव ३५२वासनासंपादितातीतार्थरूपतया व्यवस्यन्ति, घनाकारं च -૦ન્યાયરશ્મિ – માટે આ પ્રતીતિને સંગત કરવા સ્થિર-થૂલ પદાર્થને સ્વીકારવા જોઈએ. સમાધાનઃ- આ કરેલી શંકા યોગ્ય નથી, કારણ કે સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન તે મિથ્યા વાસનાના વિકલ્પ દ્વારા ઉત્પન્ન થયેલ હોવાના કારણે તેમાં પ્રામાણ્ય ઘટી શકતું નથી. વળી બીજી વાત એ છે કે, સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન વગેરે પણ પોતે વર્તમાન ક્ષણમાં જ પ્રકાશે છે, પરંતુ ભ્રમના કારણે પોતાના સ્વરૂપને (જ્ઞાનરૂ૫) વાસનાથી ઉત્પન્ન થતાં અતીત અર્થરૂપે જાણે છે, અને અસત્ એવા ઘનાકારનો આરોપ કરાવે છે. તેથી સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન દ્વારા પણ દેશ-કાળવ્યાપી એવા પદાર્થની સિદ્ધિ થઈ શકતી નથી. માટે દેશ અથવા કાળવ્યાપ્તિને જણાવવા માટે કોઈપણ પ્રમાણની પ્રવૃત્તિ ન થતી હોવાના કારણે, પરસ્પર ભિન્ન-ભિન્ન રૂપે રહેલા એવા પરમાણુઓ જ પરમાર્થથી સત્ય છે એમ નિર્ણય થાય છે. ઋજુસૂત્રમતનો સંગ્રહ લોકાર્થ:- “સ્થિતિ = ધ્રૌવ્યનો અભાવ હોવાથી, સર્વભાવો નશ્વર છે, તેથી ઋજુસૂત્રનય માત્ર શુદ્ધ પર્યાયને જ સ્વીકારે છે.” પ્રત્યક્ષ કે વર્તમાનકાલીન એવી વસ્તુને ગ્રહણ કરે છે એમ જે કહ્યું, તે વૈભાષિક બૌદ્ધના અભિપ્રાયથી જાણવું, કારણ કે તેમને વસ્તુનું લક્ષણ ક્ષણયાદિ સ્વરૂપે રહેવાપણું સ્વીકારેલ છે. બાકી તો ચક્ષુ ઈન્દ્રિયથી સકૃિષ્ટ એવા અર્થથી ઉત્પન્ન થવાવાળા દ્વિતીય ક્ષણવર્તી જ્ઞાન પ્રાકૃક્ષણવર્તી સ્વરૂપનું ગ્રાહક હોવાથી, વર્તમાન વસ્તુનું ગ્રાહક રહેશે નહીં. સૌત્રાન્તિકના અભિપ્રાયથી વસ્તુથી ઉત્પન્ન થયેલા જ્ઞાનમાં જે ગ્રાહ્યનો આકાર છે, તે જ વસ્તુનું રૂપ છે અને તેનું જ પ્રત્યક્ષ થાય છે, કારણ કે તેમનો સિદ્ધાન્ત છે “વત્ત્વહિતનાત્મતમારે પ્રત્યક્ષ પરિછિનત્તિ', વસ્તુ જન્ય, જ્ઞાનમાં પોતાના રહેલા આકારને જ પ્રત્યક્ષ જાણે છે. તેમના જ વાદીઓએ કહ્યું કે “વૈભાષિક જ્ઞાનથી યુક્ત પદાર્થ હોય છે એમ કહે છે, સૌત્રાન્તિક પ્રત્યક્ષ દ્વારા બાહ્ય વસ્તુનો બોધ સ્વીકારતો નથી. યોગાચાર સાકાર જ્ઞાનને ઉત્કૃષ્ટ માને છે અને માધ્યમિક ગ્રાહ્ય-ગ્રાહકાકારથી રહિત સ્વચ્છ જ્ઞાનને જ ઉત્કૃષ્ટ માને છે. સૌત્રાન્તિક અને યોગાચાર આ બે પદોની વ્યાખ્યા પહેલા કરી દીધી છે. હવે વૈભાષિક અને માધ્યમિક પદની વ્યાખ્યા કરાય છે. સૌત્રાન્તિકાદિની અપેક્ષાએ “ચાર ક્ષણ સુધી વસ્તુ રહે છે' ઈત્યાદિ વિરૂદ્ધ ભાષણ આને વિભાષા કહેવાય. અને આ છે પ્રયોજન જેનું તેઓ વૈભાષિક કહેવાયા. પ્રભાચન્દ્રએ ન્યાયકુમુદચંદ્રમાં ‘વિભાષા એક ગ્રંથ છે અને તેને જે જાણે છે અથવા ભણે છે તે –૦૩૫ર્થસંપ્રેક્ષા(३४९) तान्यपि स्मरणप्रत्यभिज्ञानादीनि । (३५०) विप्लव इति । सदृशापरापरोत्पत्तिदर्शनकृतो विभ्रमः । (३५१) स्वरूपमिति । स्मरणानुगतं बोधरूपम् । (३५२) वासनेति । पूर्वज्ञानजनितामुत्तरज्ञाने शक्तिमाहुः । तया संपादितमतीतार्थरूपमाकारो येषां स्मरणादीनां तेषां भावस्तया, अतीतार्थाकारवन्ति वयं स्म इति स्मरणादीनि विकल्पयन्ति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy