SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार 10 प्रत्यक्षमनुषज्येत, एवमनागतक्षणग्रहणेऽपि योज्यम्, अनिष्टं चैतत्, तस्मात् तद्वार्तमानिकक्षणग्रहणदक्षमेवेत्यभ्युपगन्तव्यम् । २३३. ननु च यदि क्षणभङ्गुरतामर्थात्मनामध्यक्षमेव लोकयति, तदा नीलतेव प्रतिभासमाना सा विप्रतिपत्तिगोचरं न यायादिति तद्विषयो लौकिकानां व्यवहारः प्रवर्तेत, न चैतदस्ति, स्थिरताद्वारेण व्यवहारप्रवृत्तेरिति । अत्र प्रतिविधीयते-साक्षात्कुर्वाणा अपि क्षणविनश्वरतां सदृशापरापरोत्पत्तिविप्रलब्धबुद्धयो मन्दा नाध्यवस्यन्ति, अनादिकालप्ररूढवासनाप्रबोधसमुपजनितमिथ्याविकल्पसामर्थ्याच्च विपर्यस्तस्थिरताव्यवहारं प्रवर्तयन्ति, तन्नायमध्यक्षस्यापराधः, अपि तु प्रमातृणामेव । तथा हि-३४ घनाकारोऽपि प्रत्यक्षपृष्ठभाविमिथ्याविकल्पसंदर्शित एव, विविक्तदर्शने तत्प्रतिभासायोगात्, करचरणशिरोग्रीवादयो ह्यवयवाः परस्परविभक्ता एव तत्र –૦નાયરશ્મિ - કોઈને પણ ઈષ્ટ નથી. તેથી પ્રત્યક્ષ વર્તમાન ક્ષણ સંબંધી પદાર્થને જ ગ્રહણ કરવા માટે દક્ષ (હોંશિયાર = કુશળ) છે, એમ સ્વીકાર કરવું જોઈએ. ૦ (૨૩૩) વાસનાથી સ્થિરતા-સ્થૂલતા વ્યવહાર સિદ્ધિ ૦ શંકા - જો પદાર્થોની ક્ષણભંગુરતાને પ્રત્યક્ષ જ નિશ્ચય કરાવનાર હોય, તો પછી જેમ નીલ વગેરે પ્રતિભાસને વિષે કોઈને કોઈપણ જાતનો ભ્રમ નથી થતો. તેમ આ ક્ષણભંગુરતાને વિષે પણ કોઈને કોઈપણ જાતનો ભ્રમ નહીં થાય, તો પછી લૌકિક પુરુષો દ્વારા તે પ્રમાણે વ્યવહાર થવો જોઈએ કે, “મને ક્ષણિક પદાર્થો દેખાય છે', પરંતુ તેવો વ્યવહાર તો કોઈ કરતું નથી, ઉલટાનો સ્થિરતા વગેરે સ્વરૂપે જ લૌકિકોનો વ્યવહાર થતો દેખાય છે. તેથી પ્રત્યક્ષ દ્વારા વાર્તમાનિક પદાર્થનું જ ગ્રહણ થાય છે તે માનવું યોગ્ય નથી. સમાધાનઃ- અરે ભાઈ ! પદાર્થોને વિષે ક્ષણભંગુરતા તો સ્વાભાવિક રીતે રહેલી છે અને તેને જીવો પ્રત્યક્ષરૂપે જુએ પણ છે, છતાં પણ પૂર્વ પદાર્થની સમાન જ નવા નવા પદાર્થોની ઉત્પત્તિ થવાના કારણે, ઠગાઈ ગયેલી બુદ્ધિવાળા એવા મૂર્ખા, ક્ષણિકતાનો અધ્યવસાય કરતા નથી, અને અનાદિ કાળથી પદાર્થોને અનુભવ કરવા દ્વારા ઉત્પન્ન થયેલી વાસનાના પ્રબોધથી ઉત્પન્ન થયેલા મિથ્યા વિકલ્પના સામર્થ્યથી, વિપર્યસ્ત એવા જીવો સ્થિરતાના વ્યવહારને પ્રવર્તાવે છે. તેમાં કાંઈ પ્રત્યક્ષનો થોડો અપરાધ છે કે ક્ષણભંગુરતાનો બોધ થતો નથી, પરંતુ તે પ્રમાતાઓનો જ અપરાધ છે કે, અનાદિકાલીન વાસનાના કારણે તેને જોવા છતાં તેઓ ઊંધો વ્યવહાર કરે છે. આ પ્રમાણે કાળવ્યાપ્તિને દૂષિત કર્યા બાદ, હવે દેશવ્યાપ્તિને દૂષિત કરવા માટે આરંભ કરે છે. તે આ પ્રમાણે - ઘનાકાર (સ્થૂલતા) પણ પ્રત્યક્ષની પછી ઉત્પન્ન થનારા મિથ્યા વિકલ્પના કારણે જ દેખાય છે. નિર્વિકલ્પ એવા પ્રત્યક્ષમાં ક્યારે પણ સ્થૂલતાનો પ્રતિભાસ થઈ શકતો નથી. હાથ, પગ, – ૩૫ર્થસપ્રેક્ષા — (३४४) घनाकारोऽपीत्यादिना देशव्याप्तिं दूषयितुमुपक्रमते । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy