SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ બોધ વિશદ બને, એ આશયથી જુદા-જુદા અનેક શાસ્ત્રપાઠોની સંકલના કરી છે, જેનું નામ “શાસ્ત્રસંલોક' આપ્યું છે.... અધ્યેતાઓ, સાથે તેનું પણ યથારુચિ પરિશીલન કરે એવી ભલામણ પ.પૂ. વિદ્વર્ય આ.ભ. શ્રી વિજય મુનિચન્દ્રસૂરિ મ.એ, ગ્રંથકાર અને વૃત્તિકારશ્રીનો જીવનપરિચય લખી આપી, પ્રસ્તુતગ્રંથને વિભૂષિત કર્યો છે. તેઓશ્રીની નિઃસ્વાર્થ સહાયની નતમસ્તક વંદના... નવસંપાદન અંગે પહેલા અનેક સંસ્થાઓમાંથી ન્યાયવતાર ગ્રંથ પ્રકાશિત થયો છે. તેમાંથી અમે, વૈરાગ્યવારિધિ પૂ.આ.વિ. કુલચંદ્રસૂરિ મ. દ્વારા પુનઃપ્રકાશિત ન્યાયાવતારનું આલંબન લીધું છે. આ પ્રસંગે તેઓશ્રીનો ઉપકાર અનન્ય છે. ભૂતપૂર્વ સંપાદિત દરેક પુસ્તકોમાં, કેટલીક મહત્ત્વની અશુદ્ધિઓ રહી ગઈ હતી, તેનું પરિમાર્જન કરવા, નીચે બતાવેલ ચાર હસ્તપ્રતો અતિ ઉપયોગી થઈ છે. (૧) શ્રી હેમચંદ્રાચાર્યજ્ઞાન મંદિર, પાટણ - ડા. ૧૭૩, ગ્રન્થ-૬૮૦૮ (૨) શ્રી હેમચંદ્રાચાર્યજ્ઞાન મંદિર, પાટણ - ડા. ૯૮, ગ્રન્થ-૨૪૪૮ (૩) શ્રી હેમચંદ્રાચાર્યજ્ઞાન મંદિર, પાટણ - ડા. ૧૦૨, ગ્રન્થ-૨૫૪૮ (૪) શ્રી હેમચંદ્રાચાર્યજ્ઞાન મંદિર, પાટણ - ડા. ૧૯, ગ્રન્થ-૧૯૭૦ આ ચારે હસ્તપ્રતો, વૈરાગ્યદેશનાદલ પૂ.આ.વિ. હેમચંદ્રસૂરિ મ.ના સહયોગથી પ્રાપ્ત થયેલ છે, તેઓશ્રીનો ઉપકાર અવિસ્મરણીય છે. તે હસ્તપ્રતોના આધારે મળેલ શુદ્ધપાઠોને જ અહીં અમે ઉદ્ધત કરીને રાખેલ છે. ન્યાયવતાર પર, યાકિનીમહત્તરાસુનુ પૂજ્ય હરિભદ્રસૂરિ મ.એ પદાર્થોથી ભરપૂર અવચૂરિ રૂપ વિશિષ્ટ વૃત્તિ રચી છે, જે હજી સુધી પ્રાયઃ અપ્રકાશિત હતી. તેની હસ્તલિખિત પ્રત, “આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર-કોબા” સંસ્થાના સહયોગથી પ્રાપ્ત થઈ, તેનું પ્રથમવાર સંપાદન થયું. ન્યાયાવતારના પરિશિષ્ટ તરીકે તેને મુદ્રિત કરવામાં આવેલ છે, અધ્યેતાવર્ગ તેનો પણ યથાયોપશમ અભ્યાસ કરે. આ ન્યાયાવતારહરિભદ્રીને આધારે જ, પૂજ્ય સિદ્ધર્ષિગણિજીએ ન્યાયાવતાર વિશે વિશિષ્ટ અનુપ્રેક્ષાઓ કરી હોય, એવું વૃત્તિકારશ્રીની પંક્તિઓ પરથી અનુમાન થાય છે - કેટલીક પંક્તિઓ તો બંને વૃત્તિની સરખે-સરખી મળતી આવે છે. તથા, પૂર્વસંપાદિત પૂ. શાંતિચન્દ્રસૂરિવિરચિત ન્યાયાવતારવાર્તિક પણ પ્રસ્તુતમાં / ઉપયોગી હોવાથી, તેનું પણ પરિશિષ્ટ તરીકે સંપાદન કરેલ છે. ૨૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy