SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ / પણ પ્રમાણ-નયરૂપ સ્યાદ્વાદનું આત્મસાત્કરણ, તેના સંબંધી ગ્રંથોનું પરિશીલન થયા વિના ન થઈ શકે, એટલે આવા બધા ગ્રંથોનું અધ્યયન જરૂરી જણાય છે. બીજી વાત, પ્રમાણ-નયની વિચારણાથી બુદ્ધિ પણ સુતીક્ષ્ણ અને તર્કપરિકર્મિત બને છે અને તેના દ્વારા જિનાગમોના હાર્ટ-રહસ્ય સુધી પહોંચવાની વિરાટુ શક્તિ પ્રાદુર્ભત થાય છે. વળી, ઇતરદર્શનકારોના મતમાં પૂર્વાપરવિરોધાદિ દોષો અને જિનવચનમાં નિર્દોષતા.. એ બધું જાણવાથી, પરમાત્માના વચનો પર બહુમાન થાય અને એટલે સુનિર્મલ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય, શુદ્ધિની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય. તથા, પૂર્વપક્ષ-ઉત્તરપક્ષરચના-પદાર્થ ખોલવાની પદ્ધતિ-તે તે સ્થળે ઊભી થતી કુમાન્યતાનો નિરાસ-તે વિષયની પુષ્ટિ માટે મૂકાતો શાસ્ત્રપાઠ-પદાર્થનો તલસ્પર્શી બોધ.. આ બધી શૈલી, માત્ર કોઈ દાર્શનિક તત્ત્વ સાથે જ સંકળાયેલી નથી, પણ આગમાદિના તમામ પદાર્થોની ચાલના, પ્રત્યવસ્થાનથાવત્ ઔદંપર્ય-રહસ્ય સુધી પહોંચવા, આ શૈલી અતિ-અતિ ઉપયોગી છે... (પણ તે શૈલી, તેવી શૈલીવાળા ગ્રંથોના અભ્યાસથી જ રૂઢ થાય છે.) એટલે આ બધા વિચારોથી, પ્રમાણ-નયના ગ્રંથોનું અધ્યયન આવશ્યક જણાઈ આવે છે. શક્તિસંપન્ન-ગુરુઅનુજ્ઞાત વ્યક્તિએ, અવશ્ય આ વિશે પ્રયાસ કરવો જોઈએ. વિવેચત અંગે - આ ગ્રંથના પદાર્થો સમજવામાં સરળ-સુગમ રહે, એ માટે અમારા ગુરુદેવશ્રીએ અમને આ ગ્રંથનું વિવેચન લખવાની પ્રેરણા કરી... અને આજે અમને અમારા ગુરુદેવની ઈચ્છા પૂરી કર્યાનો રોમાંચ છે... (૧) આ વિવેચનમાં, ગ્રંથનો આધાર અને ગુરુદેવનો ઉપકાર હોવાથી, બંનેનાં આદ્ય શબ્દ (ન્યાય+રશ્મિ)નું સંયોજન કરી, અને (૨) આ વિવેચન ન્યાયાવતારગત પદાર્થો વિશે પ્રકાશ પાથરવા રશ્મિસમું (કિરણસમું) બને, એવી ભાવનાથી પ્રસ્તુત વિવેચનનું નામ “ન્યાયરશ્મિ” રાખ્યું છે. તેમાં, પૂજ્ય દેવભદ્રસૂરિકૃત ટિપ્પણગત મોટા ભાગના પદાર્થો પણ સમાવી લેવાનો પ્રયાસ કર્યો છે. વળી, આ ગ્રંથના અધ્યયન વખતે, તે તે પદાર્થની સાથે સંબંધ ધરાવતા, બીજા - શાસ્ત્રોમાં મળતા પદાર્થ-ચર્ચા-લક્ષણ આદિની પણ સંતુલના થાય અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy