SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ (લાસ અડધો ખાલી છે. વાદ-વિવાદનો અંત ન આવ્યો. પછી એક સ્યાદ્વાદી વ્યક્તિ આવ્યો, તેણે બંનેને સ્યાદ્વાદનું અમૃત પીવડાવ્યું, બંનેને એક-બીજાની અપેક્ષાઓ પકડવાની પદ્ધતિ શીખવાડી. પછી સમજાવ્યું કે, જુઓ ભાઈ, ગ્લાસના નીચેના ભાગની અપેક્ષાએ ગ્લાસ અડધો ભરેલો કહેવાય અને ઉપરના ભાગની અપેક્ષાએ ગ્લાસ અડધો ખાલી કહેવાય. બસ, આ સ્યાદ્વાદની દૃષ્ટિએ સમાધાન મેળવી, તે બંને મિત્રો ડોલી ઊઠ્યા... વિવાદનું વિરમણ થઈ ગયું... આવા તો એકાંતમાન્યતામૂલક અનેક સંક્લેશો ઊભા થાય છે. પણ સ્યાદ્વાદશૈલી તે બધાનું સમાધાન કરનાર છે. (૨) હવે નય એટલે અભિમત અંશને લઈને પ્રવર્તનાર વક્તાનો અભિપ્રાય. જીવનમાં, નયની શૈલી અપનાવવાથી, વક્તાનો તે તે અભિપ્રાય, વસ્તુના ક્યા અંશને લઈને કઈ અપેક્ષાએ પ્રવર્તે છે – તેનું જ્ઞાન થાય છે. અને સામેવાળાનો અભિપ્રાય (નયAngal) જાણવાથી વિરોધનો પણ કોઈ અવકાશ રહેતો નથી. નય તે મતાંતર-સહિષ્ણુતારૂપ વલ્લીને પોષનારી મેઘવૃષ્ટિ છે, જગતના સમગ્ર વિચાર-વર્તનોનાં પાયાનું નિરીક્ષણ કરાવનારી દિપીકા છે, તત્ત્વજ્ઞાનના ભંડારને ઉઘાડનારી સુવર્ણકુંચી છે.અરે નયનો તો સર્વવ્યાપક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિશેષાવશ્યકભાષ્યમાં તો જણાવ્યું છે કે, જૈનમતમાં કોઈ પણ સૂત્ર કે અર્થ નયરહિત નથી. એટલે, પ્રમાણ-નયના જ્ઞાનથી-તેની શલી જીવનમાં ઉતારવાથી – જીવન સમાધિમય બને જ અને આત્મા પણ મધ્યસ્થ થાય જ. મહોપાધ્યાય યશોવિજયજી મ. તો કહે છે કે “જ્યારે પ્રમાણ અને નયથી વ્યાપ્ત જેનાગમરૂપી સૂર્યનો ઉદય થાય, ત્યારે અજ્ઞાનરૂપ અંધકારનું અંશમાત્ર પણ અસ્તિત્વ રહેતું નથી.” १. "वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ।।" ज्ञानसार ५/४ २. "नत्थि नएहिं विहुणं, सुत्तं अत्यो य जिणमए किंचि । आसज्ज उ सोयारं, नए नयविसारओ बूआ ||२२७७ ।।" - विशेषावश्यक. ३. "स्याद्दोषापगमस्तमांसि जगति क्षीयन्त एव क्षणादध्वानो विशदीभवन्ति निबिडा निद्रा दृशोर्गच्छति । यस्मिन्नभ्युदिते प्रमाणदिवसप्रारम्भकल्याणिनी, प्रौढत्वं नयगीर्दधाति स रविर्जनागमो नन्दतात ||" - अध्यात्मसार: १९/४ ૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy