SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યતા અભિવ્યક્ત કરે છે. પૂજ્ય હરિભદ્રસૂરિ મ.નો ઉદ્ગાર છે કે - “જો અમને આ સ્યાદ્વાદમય જિનશાસન ન મળ્યું હોત, તો અનાથ એવા અમારૂં શું થાત ?!” એકાંતમાન્યતા તે મિથ્યાત્વનું મૂળ છે, એને લીધે જ ખોટા-ખોટા અનેક સંકલ્પવિકલ્પો ઊભા થાય છે, પણ તે બધાને દૂર કરવાનું કામ સ્યાદ્વાદદ્દષ્ટિ કરે છે... સ્યાદ્વાદના દૃષ્ટિકોણથી અનેક સમાધાનો સહજ ઉપલબ્ધ થાય છે. એટલે સ્યાદ્વાદના મહત્ત્વપૂર્ણ પદાર્થોને સમજવા અતિ-અતિ આવશ્યક છે.. સ્યાદ્વાદના આધારભૂત બે વિષયો છે - (૧) પ્રમાણવાદ, અને (૨) નયવાદ... પ્રમાણમીમાંસા વિગેરે ગ્રંથોમાં પ્રમાણનું નિરૂપણ છે અને નયરહસ્ય વિગેરે ગ્રંથોમાં નયનું નિરૂપણ છે, જ્યારે, ન્યાયાવતાર ગ્રંથમાં પ્રમાણ-નય બંનેનું સુવિશદ નિરૂપણ છે.. ‘ન્યાયવતાર’ તે તાર્કિકશિરોમણિ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીની અદ્ભૂત કૃતિ છે... તેમાં ૨હેલા અનેક ૨હસ્યપૂર્ણ પદાર્થોને આવિર્ભૂત કરતી શ્રી સિદ્ધર્ષિગણિની રોચક ટીકા છે. આ ગ્રંથમાં, પ્રમાણ અને નયનું તર્કશુદ્ધ લક્ષણ અને ઇતરદર્શનકારોની સચોટ સમીક્ષા કરાઈ છે અને સપ્તભંગીનું પણ સુંદર સ્વરૂપ બતાવ્યું છે. આ બધું સમજવાથી આશયશુદ્ધિ થાય જ. પ્રશ્ન-પણ ઊભા રહો; પ્રમાણ-નયના જ્ઞાનથી સંક્લેશોનું શમન શી રીતે થાય ? (તમે તો સ્યાદ્વાદના જ્ઞાનથી સમાધિમય જીવનની વાત કરો છો, પણ તે કેવી રીતે ?) ઉત્તર-જુઓ; (૧) પ્રમાણ એટલે અનેક અંશોથી વસ્તુને ગ્રહણ કરનાર જ્ઞાન... મોટા ભાગના સંક્લેશો, સામેવાળાનો અભિપ્રાય ન સમજવાથી થાય છે... પણ વસ્તુનું અનેક અંશોથી ગ્રહણ થાય, તો તે જુદા જુદા અંશોને ગ્રહણ કરનાર સામેવાળાનો અભિપ્રાય પણ આપણને સમજાય અને એટલે પછી મતભેદ થવાનો પણ કોઈ પ્રશ્ન રહે નહીં. આ વાતને એક દૃષ્ટાંતથી સમજીએ એકવાર બે મિત્રો ભેગા થયા. બંનેની સામે અડધો ગ્લાસ પાણી હતું. તેને જોઈને બંને વિવાદે ચડ્યા... એક કહે કે - આ ગ્લાસ અડધો ભરેલો છે અને બીજો કહે કે - આ Jain Education International १. "कत्थ अम्हारिसा जीवा दूसमादोसदूसिया । हा अणाहा कहं हुंता, न हुंतो जइ जिणागमो ।।" संबोधप्रकरण ૨૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy