SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार - श्लो० २९ ૨૪૬ गत्यन्तराभावात्, अर्थश्च सामान्यरूपो विशेषरूपो वा, शब्दोऽपि २Aरूढितो २ व्युत्पत्तितश्च, व्युत्पत्तिरपि सामान्यनिमित्तप्रयुक्ता तत्कालभाविनिमित्तप्रयुक्ता वा स्यात् । २२५. तत्र ये केचनार्थनिरूपणप्रवणाः प्रमात्रभिप्रायास्ते सर्वेऽप्याद्ये नयचतुष्टयेऽन्तर्भवन्ति, तत्रापि ये परस्परविशकलितो सामान्यविशेषाविच्छन्ति ३३तत्समुदायरूपो नैगमः । ये पुनः केवलं सामान्यं वाञ्छन्ति तत्समूहसंपाद्यः संग्रहः । ये पुनरनपेक्षितशास्त्रीयसामान्यविशेष लोकव्यवहारमवतरन्तं घटादिकं पदार्थमभिप्रेयन्ति तन्निचयजन्यो व्यवहारः । ये सौगतास्तु क्षणक्षयिणः परमाणुलक्षणा विशेषाः सत्या इति मन्यन्ते, तत्संघातघटित ऋजुसूत्र इति । तथा -૦ન્યાયરશ્મિ – સમાધાનઃ- કોઈપણ વ્યક્તિનો કોઈપણ અભિપ્રાય પ્રગટ થાય, તો તે કાં તો અર્થને આશ્રયીને થાય અથવા શબ્દને આશ્રયીને થાય. અભિપ્રાય પ્રગટ કરવાનો આ બે સિવાય ત્રીજો કોઈ ઉપાય નથી. તેમાં અર્થ કાંતો સામાન્ય સ્વરૂપવાળો હોય અથવા તો વિશેષ સ્વરૂપવાળો હોય, અને શબ્દ કાંતો વ્યુત્પત્તિથી પ્રવૃત્ત થાય અથવા રૂઢીથી પ્રવૃત્ત થાય. વ્યુત્પત્તિ પણ સામાન્યનિમિત્તથી પ્રવૃત્ત થાય અથવા તત્કાળભાવી નિમિત્તથી પ્રવૃત્ત થાય. | (૨૨૫) અભિપ્રાયના નિમિત્તો આટલા જ છે. તેથી જે નયો અર્થની પ્રરૂપણા કરવામાં નિપુણ છે તે સર્વનયોનો અંતર્ભાવ પહેલા ચાર નિયોમાં થઈ જાય છે. તે આ પ્રમાણે - જેઓ પરસ્પર ભિન્ન એવા સામાન્ય-વિશેષને સ્વીકાર કરે છે, તેઓનો સમુદાય તે નૈગમનયમાં અંતર્ભાવ થાય. જેઓ માત્ર સામાન્યને સ્વીકાર કરે છે, તેઓના સમૂહથી સંગ્રહનય બને છે. જેઓ શાસ્ત્રીય એવા સામાન્યવિશેષની અપેક્ષા રાખ્યા વિના, લોક વ્યવહારમાં ઉપયોગી એવા ઘટાદિ પદાર્થોને સ્વીકાર કરે છે, તેઓના સમૂહથી વ્યવહારનય નિષ્પન્ન થાય છે. જે બૌદ્ધદર્શનવાળા, ક્ષણમાં નાશ પામનારા, પરમાણુ સ્વરૂપ વિશેષોને જ સાચા માને છે તેના સમૂહથી યુક્ત ઋજુસૂત્રનય છે. તથા જે મીમાંસક વગેરે રૂઢિથી શબ્દની પ્રવૃત્તિ સ્વીકારે છે, તેઓના સમૂહથી શબ્દનયની ઉત્પત્તિ છે. જે વ્યુત્પત્તિ દ્વારા જ શબ્દની પ્રવૃત્તિ માને છે, અન્ય દ્વારા સ્વીકાર કરતા નથી, તેઓથી જન્ય સમભિરૂઢનય છે, વળી જેઓ વર્તમાનકાળમાં રહેનારા વ્યુત્પત્તિ નિમિત્તને આશ્રયીને શબ્દોની પ્રવૃત્તિ માને છે, પરંતુ અન્ય સ્વરૂપે સ્વીકાર કરતા નથી, તેઓના સમૂહ દ્વારા એવંભૂતનયનું અસ્તિત્વ છે. આ પ્રમાણે આ સંસારમાં વસ્તુને વિષય કરનારા અભિપ્રાયો અથવા વિકલ્પો એવા કોઈપણ નથી જેઓનો અંતર્ભાવ આ સાત નયોમાં ન થતો હોય, માટે આ સાત નયો તે સર્વાભિપ્રાયના સંગ્રાહક છે એમ નિશ્ચિત થાય છે. – અર્થસંપ્રેક્ષા – (३३३) तत्समुदायरूपो नैगम इति । पूर्वं हि ये परस्परविशकलितौ सामान्यविशेषाविच्छन्ति इति बहुवचनेन निर्देशे नैगमे इत्येकवचनान्तत्वात् नात्र सुश्लिष्टो वाक्यार्थः स्यादिति तत्समुदायरूप इत्युक्तम् । एवं तत्समूहादिशब्देष्वपि भावनीयम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy