SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ દરર૮ न्यायावतार 10 अव्यतिरेकपक्षे पुनरनेकः सन् एकसंवेदनतादात्म्येन प्रथमानः कथमद्वैतं नोद्दलयेत्। अथ संवृतिदर्शितत्वादलीकतया ३२१अस्य ३२२सितासिताद्याकारबहिर्मुखकालुष्यस्य बोधेन तात्त्विकेन सह भेदाभेदविकल्पानुपपत्तिरिति ब्रूषे, तथा सति परो बोधस्यापारमार्थिकत्वं अविद्यादर्शितत्वात्, अर्थसत्तायाः पुनस्तत्त्वरूपता, सर्वत्राव्यभिचारादिति ब्रुवाणो दुर्निवारः स्यात् । जडस्य प्रकाशायोगात् संवित्तिः सत्या, नार्थ इति चेत्, एकस्यानेकतावभासाभावादनेकान्तः सत्यः, नाद्वैतमिति प्रतिजानीमहे । २१५. संवृत्त्याद्वयस्यापि नानाप्रतिभासोऽविरुद्ध इति चेत्, अनाद्यविद्याबलाज्जडस्यापि चेतनतया प्रकाशो न विरुद्ध इति परस्यापि शठोत्तरं नातिदुर्लभं भवेत् । –૦નાયરશ્મિ – જન્ય હોવાથી મિથ્યા છે, જ્યારે અદ્રયસંવેદન તે તો તાત્ત્વિક છે, એટલે મિથ્યા અને તાત્ત્વિક એવા આ બે સંવેદનની વચ્ચે ભેદભેદનો વિકલ્પ કરવો જ અયોગ્ય છે. જૈન - જ્ઞાનને તાત્ત્વિક માનીને, આકારોને અવિદ્યાજન્ય માનીને અલીક માનો, તો કોઈક બીજો વાદી કહેશે કે “અવિદ્યાના કારણે ઉત્પન્ન થયેલ હોવાથી અદ્રયસંવેદન અપારમાર્થિક = અલીક છે, જ્યારે અર્થની વિદ્યમાનતા અવ્યભિચારી રૂપે સર્વત્ર હોવાથી તાત્ત્વિક છે', તો તેનો વિરોધ = ખંડના શી રીતે થાય ? દલીલ તો ઉભયત્ર સમાન છે. જ્ઞાનાતવાદી - પદાર્થ જડ હોવાથી તેમાં પ્રકાશ હોતો નથી, જ્યારે સંવિત્તિ = જ્ઞાન તે ચૈતન્ય સ્વરૂપ હોવાથી પ્રકાશ સ્વરૂપ છે, અર્થાત્ સંવેદનાનો સાક્ષાત્ અનુભવ થાય છે જ્યારે જડનો નથી થતો, તેથી જ્ઞાન સત્ય છે, અર્થ નહીં. માટે અન્ય વડે અપાયેલો આરોપ યોગ્ય નથી. જૈનઃ- જો બાહ્ય પદાર્થ ન હોય, માત્ર જ્ઞાનાદ્વૈત જ હોય તો પછી એક સ્વભાવવાળા જ્ઞાનમાં સિત-પીતાદિ અનેકાકારનો અવભાસ ન થઈ શકે, પરંતુ તે તો અનુભવસિદ્ધ છે, માટે અનેકાન્ત જ સત્ય છે, અદ્વૈત નહીં, એમ અમે માનીએ છીએ. (૨૧૫) જ્ઞાનાદ્વૈતવાદીઃ- તમે જે કહ્યું કે, એકનો અનેકરૂપે પ્રતિભાસ ન થાય તે બરાબર નથી, સંવૃત્તિ = કલ્પનાના કારણે અદ્વયસંવેદનને વિષે અનેકાકારક પ્રતિભાસ થવામાં કોઈ વિરોધ નથી. જેનઃ- તો તો પછી કોઈ વ્યક્તિ આ પ્રમાણે પણ કહી શકે કે, “અનાદિ અવિદ્યાના કારણે જડ પદાર્થ જ ચેતનરૂપે પ્રત્યક્ષ થાય છે એમાં કોઈ વિરોધ નહીં આવે” આમ દુષ્ટતાથી યુક્ત ઉત્તર બીજો પણ આપી શકે છે, તો શું તમે આ જવાબને સાચો સ્વીકારવાના ? –૦૩૫ર્થસંપ્રેક્ષ[– (३२०) अद्वैतमिति । द्वाभ्यां प्रकाराभ्यामितं स्थितं द्वौ वा प्रकारावितं प्राप्तं द्वीतम्; ततः प्रज्ञादेराकृतिगणत्वात् अण, यदि वा द्वयोर्भावो द्विता ततः पूर्ववत् स्वार्थे अणि "प्रकृतेर्लिङ्गवचने बाधन्ते स्वार्थिकाः क्वचित्" - इति वचनाद् नपुंसकत्वं, ततो नसमासः । (३२१) अस्येति । अनेकाकारबोधस्य । (३२२) सितासिताद्याकारबहिर्मुखकालुष्यस्येति । सितासितादय आकारा यस्य तत्तथा, सितासिताद्याकारबहिर्मुखं कालुष्यं मालिन्यं यस्य तस्य । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy