SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार 10 इति नासिद्धो हेतुः । मरुमरीचिकानिचयचुम्बिनि संवेदने जलोल्लेखेऽपि तद्गोचरत्वाभ्युपगमाभावादनैकान्तिकोऽयमिति मा शङ्किष्ठाः, तस्य भ्रान्तत्वात्, अभ्रान्तः प्रकाशो हि तदभ्युपगतिहेतुः | २०६. अथायमपि इतरेतरविनि ठितपरमाणुक्षणक्षयिबोधेन बाध्यमानत्वात् भ्रान्त इत्याचक्षीथाः, तदयुक्तम्, यतस्तद्बोधः 'किमुपलब्धिमात्रम् यद्वा निर्णयो वा । 'यद्याद्यः कल्पः, तदानुमानं विशीर्येत, निर्गोचरत्वात् ३०५प्राथमकल्पिकेनैव निर्विकल्पकविविक्तदर्शनेन –૦નાયરશ્મિ – ૦ અનેકાન્ત સાધક હેતુમાં અનેકાન્તિક હેત્વાભાસનું નિરાકરણ ૦ અનેકાન્ત સાધક હેતને વિષે અનેકાન્તિક દોષને ઊભો કરતા જણાવે છે કે, રણપ્રદેશમાં સૂર્યના કિરણોના કારણે ઝાંઝવાના જલનું જ્ઞાન થાય છે, તેમાં જલનો ઉલ્લેખ = પ્રતિભાસ હોવા છતાં પણ, તેના વિષયભૂત જલની વિદ્યમાનતા ન હોવાના કારણે, જે જ્ઞાનનો જે વિષય હોય, તે જ ત્યાં હોય એવી વ્યાપ્તિના આધારે, સર્વ જ્ઞાનનો વિષય અનેકાન્તાત્મક હોવાથી વસ્તુની અનેકાન્તાત્મકતા સિદ્ધ કરી હતી, તેથી તે વ્યાપ્તિમાં વ્યભિચાર આવે છે. હું પરંતુ આ દોષ આપવો યોગ્ય નથી. રણપ્રદેશમાં થતું જલનું જ્ઞાન તે ભ્રાન્ત છે, જ્યારે અનેકાંતાત્મક વસ્તુના અભ્યપગમનું કારણભૂત જે જ્ઞાન છે તે અભ્રાન્ત છે. તેથી ઉપરોક્ત શંકા વ્યાજબી નથી. (૨૦) ક્ષણિકવાદી - તમારા વડે સ્વીકાર કરાયેલ અભ્રાન્ત જ્ઞાન, સ્થિર, સ્થૂલ અને કાલાન્તરસ્થાયી પદાર્થને ગ્રહણ કરનાર હોવાથી વાસ્તવિક રીતે ભ્રાન્ત જ છે, કારણ કે પરમાણુઓ અત્યંત ભિન્ન તથા ક્ષણમાં નાશ થનારા છે એવા જ્ઞાન દ્વારા તે બાધિત થઈ જાય છે, માટે વ્યભિચાર દોષ તો તદવસ્થ જ રહેશે જૈન - આ ક્ષણિકત્વને જણાવનારૂં જ્ઞાન તે શું (૧) ઉપલબ્ધિ (નિર્વિકલ્પ પ્રત્યક્ષ) માત્ર છે કે (૨) નિર્ણય સ્વરૂપ છે? જો ક્ષણિકત્વને જણાવનાર જ્ઞાન માત્ર ઉપલબ્ધિ = નિર્વિકલ્પ પ્રત્યક્ષ સ્વરૂપ છે એમ સ્વીકારવામાં આવે, તો ક્ષણિકતને સિદ્ધ કરવા માટે બૌદ્ધ દ્વારા પ્રયોગ કરાતું અનુમાન નિર્વિષય થઈ જશે, કારણ કે બૌદ્ધ ક્ષણિકત્વની સિદ્ધિ અનુમાન દ્વારા કરે છે, પરંતુ તેની સિદ્ધિ તો હવે પ્રત્યક્ષ દ્વારા જ થઈ જવાથી અનુમાનનો પ્રયોગ કરવો વ્યર્થ જ થઈ જશે. નિર્વિકલ્પક એવા સ્પષ્ટદર્શન દ્વારા સંપૂર્ણ વસ્તુનું ગ્રહણ થાય છે. જો તેમ ન માનો, તો એક જ વસ્તુના પ્રત્યક્ષ દ્વારા તેના નીલવાદિનું ગ્રહણ થાય અને ક્ષણિકત્વાદિનું ગ્રહણ થતું નથી, આમ એક જ વસ્તુમાં ગ્રહણ અને અગ્રહણ સ્વરૂપ સ્વીકારતા વિરોધની પ્રસક્તિ થાય છે. એક પ્રમાણ દ્વારા જે વસ્તુનો બોધ થઈ ગયો હોય, તે જ વસ્તુને બીજા પ્રમાણથી જાણવું વ્યર્થ જ છે. જો તે અનુમાન વ્યર્થ – અર્થસંપ્રેક્ષણ(३०४) तदभ्युपगतिहेतुरिति । प्रतिभासमानार्थगोचरत्वाङ्गीकारकारणमनुमानमिति क्षणिकत्वसाधकम् । (३०५) प्राथमकल्पिकेनैवेति । कल्पः पक्षः, प्रथमश्चासौ कल्पश्च, तत्र भवः प्राथमकल्पिकः तेन, प्रथमपक्षाभिहितेनेत्यर्थः, अध्यात्मादेः इति ठञ् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy