SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ રર૬ न्यायावतार २०२. युगपद्भाविनां संविदन्तर्निविष्टाकाराणामेकत्वं न हर्षादीनाम्, २९४तद्विपर्ययादिति चेन्न, २९५तत्सामर्थ्यव्यवस्थाप्यार्थाभेदप्रसङ्गात्, २९६तदेकतया सितपीतादिषु ज्ञानस्य –૦ન્યાયરશ્મિ – ૦ જ્ઞાનાકાર ઐક્યતાથી પદાર્થ એક્યતાની આપત્તિ ૦ (૨૦૨) કદાચ તમારા વડે આમ કહેવામાં આવે કે, ભિન્ન-ભિન્ન દેશમાં રહેલા પદાર્થના નિમિત્તે એક સાથે જ્ઞાનની અંદર પ્રતિભાસિત થતાં આકારો એક જ છે, પરંતુ હર્ષ, વિષાદાદિ ભિન્ન-ભિન્ન કાળે થતાં હોવાથી તેઓનું એકત્ત્વ ન સ્વીકારી શકાય. પરંતુ આ શંકા યોગ્ય નથી. જો જ્ઞાનના આકાર જુદા જુદા માનો, તો સિતઅર્થ વિષયક જ્ઞાન સિતાકાર વિશિષ્ટ છે, પીતાર્થ વિષયક જ્ઞાન પીતાકારવિશિષ્ટ છે, પણ એક જ આકાર માનો તો બધા માટે જ્ઞાન રૂપ જ હોવાથી તેના વિષયોનો પણ અભેદ થઈ જશે, જેમ એક નીલાકારના જ્ઞાનથી વ્યવસ્થાપિત કરવા યોગ્ય એવું બાહ્ય નીલસ્વલક્ષણ.. પરંતુ એવું તો છે નહીં. માટે પદાર્થ બાહ્ય હોય કે આંતરિક તે સર્વે પ્રમાણ દ્વારા એક-અનેક સ્વરૂપવાળા નિશ્ચિત થાય છે. જેમ બાહ્ય પદાર્થ તે સ્વલક્ષણ રૂપે નિશ્ચિત છે, તેમ આંતરિક પદાર્થ પણ સ્વલક્ષણ રૂપે નિશ્ચિત કરાયેલ છે. સ્વલક્ષણનું આ પ્રમાણે લક્ષણ કરેલું છે કે, જે વસ્તુના સન્નિધાન અને અસન્નિધાનના કારણે જ્ઞાનમાં સ્પષ્ટતા અને અસ્પષ્ટતારૂપે પ્રતિભાસ ભેદ થાય તે સ્વલક્ષણ કહેવાય. જેમકે વૃક્ષ વગેરે પદાર્થો જો નજીક હોય તો સ્પષ્ટરૂપે બોધ થાય અને દૂર હોય તો અસ્પષ્ટરૂપે બોધ થાય છે, તેથી તેને સ્વલક્ષણ કહેવાય છે. તે જ પ્રમાણે આંતરિક જ્ઞાનમાં પણ સ્પષ્ટાસ્પષ્ટનો અનુભવ થાય છે, જેમકે - સ્મરણ કરાતું જ્ઞાન તે અસંનિહિત હોવાથી અસ્પષ્ટરૂપે પ્રતિભાસિત થાય છે અને અનુભવ કરાતું જ્ઞાન તે સંનિહિત હોવાના કારણે સ્પષ્ટરૂપે પ્રતિભાસિત થાય છે. તે જ પ્રમાણે, બીજી વ્યક્તિમાં રહેલું જ્ઞાન તે દૂર હોવાના કારણે અસ્પષ્ટ છે, જ્યારે પોતામાં રહેલું જ્ઞાન તે નજીક હોવાથી સ્પષ્ટ છે. આમ સ્પષ્ટ – અસ્પષ્ટપણું, તે આંતરિક પદાર્થમાં પણ અનુભવાતું હોવાના કારણે તે સ્વલક્ષણ છે અને જે સ્વલક્ષણ હોય તે એક - અનેક સ્વરૂપવાળું સ્વીકારવું જ જોઈએ. જો એક-અનેકપણું –૦૩૫ર્થરપ્રેક્ષM — (२९४) तद्विपर्ययादिति । भिन्नकालभावित्वात् । (२९५) तत्सामर्थ्यादित्यादि । तेषां संविदन्तर्निविष्टाकाराणां सितपीतादीनां सामर्थ्यम्, तेन व्यवस्थाप्यो योऽर्थस्तस्यैक्यप्रसङ्गात् । (२९६) तदेकतया आकाराणामेकतया, सितपीतादिवस्तुविषयिणो ज्ञानस्य बोधरूपेणैव वा विशिष्टत्वात्, बोधस्वरूपतैव ज्ञानस्योद्वरिता, न पुनः सितपीतादयो बहिरर्थव्यवस्थापकाः केचिदाकाराः । क्वापि बोधरूपेणैवाविशिष्टत्वात् इति पाठः, तदैवं व्याख्या-यथा बहुष्वपि सितपीतादिषु वस्तुषु ज्ञानस्य बोधरूपेणाविशिष्टत्वं समानत्वम्, तथा सितपीताद्याकाराणामेकतयापीत्यर्थः । अयमभिप्रायःयदैकज्ञानान्तर्वर्तिनां नानादेशव्यवस्थितार्थप्रभवानां बहूनामप्याकाराणामेकत्वम्, तदा तदेकाकारज्ञानव्यवस्थाप्यस्य बहिर्वस्तुस्तोमस्याप्येकत्वं स्यात्; एकनीलाकारज्ञानव्यवस्थाप्यबहिर्नीलस्वलक्षण एकत्ववत् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy