SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार - श्लो० २७ ર૦૧૭ तदवगन्तव्यम् । इदमेव निखिलार्थगोचरमनेकान्तानुमानं ज्ञानक्रियाभ्यासातिशयान्निखिलावरणविच्छेदे विबन्धककारणाभावाद् विशददर्शनीभवति । न चानुमानप्रवृत्तावप्यनर्थित्वादिना प्रमातुरप्रवृत्ती अनुमेयगोचरप्रत्यक्षासंभवेन व्यभिचारश्चोदनीयः, संभवस्य साध्यतयाभिप्रेतत्वात् । न च संभवमात्रेऽस्ति व्यभिचारः, सर्वानुमेयानां संभवत्प्रत्यक्षतया व्याप्तत्वादिति । १८८. अथवान्यथानुमानयामः-संभवत्समस्तशुद्धिक आत्मा, विद्यमानशुद्ध्युपायत्वात्, इह यो यो विद्यमानशुद्ध्युपायः स स संभवत्समस्तशुद्धिकः, यथा विद्यमानक्षारमृत्पुटपाकादिशुद्ध्युपायो रत्नविशेषः, तथा च विद्यमानज्ञानाद्यभ्यासशुद्ध्युपाय आत्मा, अतः संभवत्समस्तशुद्धिक इति । सामस्त्यशुद्धश्चात्मा ज्ञानज्ञानिनोः कथंचिदभेदात् केवलमभिधीयते इति । ज्ञानाद्यभ्यासः कथं विशुद्धिकारणमिति चेत्, आवरणमलप्रतिपक्षरूपत्वादिति ब्रूमः | –૦ન્યાયરશ્મિ - અતિશયથી, વસ્તુ વિષયક જ્ઞાનને આવરણ કરનારા સંપૂર્ણ આવરણનો વિચ્છેદ થયે છતે, પ્રતિબંધક કોઈપણ હાજર ન હોવાથી, તે જ અનુમાન વિશદ દર્શનરૂપે (પ્રત્યક્ષરૂપે) પરિણમન પામે છે. શંકા- તમે કહ્યું કે, જેનું અનુમાન થાય તેનું પ્રત્યક્ષ પણ થાય, પરંતુ તે યોગ્ય નથી, અનુમાનની પ્રવૃત્તિ થવા છતાં પ્રમાતાને તે વસ્તુની ઈચ્છા ન હોય તો તેને પ્રત્યક્ષ થતું નથી. દા.ત. ધૂમ દ્વારા વહ્નિનું અનુમાન થવા છતાં, વહ્નિની ઈચ્છા જેને નથી તે વ્યક્તિ વહ્નિ માટે પ્રવૃત્ત ન થાય તો વહ્નિનું પ્રત્યક્ષ થતું નથી, માટે આ હેતુ સાધ્યના અભાવમાં પણ રહેતો હોવાના કારણે, વ્યભિચાર દોષથી દૂષિત હોવાથી વિશદ પ્રત્યક્ષને સિદ્ધ ન કરી શકે.. સમાધાનઃ- આ દોષ આપવો યોગ્ય નથી કારણ કે, અનુમાનના વિષય રૂપે જે થાય તેનું વિશદ પ્રત્યક્ષ સંભવિત છે, એમ સંભાવના રૂપે અમે સાધ્યનો ઉપન્યાસ કરેલ છે, નહીં કે કોઈ કરે જ એવા નિશ્ચય રૂપે, એટલે ત્યાં અનુમાનમાં વ્યભિચાર નથી, કારણ કે અનુમેય પદાર્થો પ્રત્યક્ષની સંભાવના દ્વારા વ્યાપ્ત છે, એટલે જે જે અનુમેય પદાર્થો છે તે તે પ્રત્યક્ષની સંભાવનાથી યુક્ત જ છે, એમ વહ્નિનની જેમ વ્યાપ્તિ વિદ્યમાન છે. આમ અનુમાન દ્વારા સકલાર્થવિષયક પ્રત્યક્ષની સિદ્ધિ થઈ શકે (૧૮૮) અથવા કેવળજ્ઞાનને સિદ્ધ કરનારૂં અન્ય અનુમાન જણાવીએ છીએ : 3ીત્મા સંવત્સમસ્તશુદ્ધિ વિદ્યમાનથ્થુપાયત્વ આત્માની સંપૂર્ણપણે શુદ્ધિ સંભવિત છે, કારણ કે શુદ્ધિના ઉપાયો વિદ્યમાન છે. જે જે પદાર્થોની શુદ્ધિનો ઉપાય વિદ્યમાન છે, તે તે પદાર્થોની સંપૂર્ણપણે શુદ્ધિ સંભવિત છે. જેમકે રત્ન, સુવર્ણ વગેરે પદાર્થો ખાણની અંદર પડેલા છે, તેના ઉપર કેટલાયે વર્ષોનો મળ ચોટેલો છે, છતાં પણ તેની શુદ્ધિ કરવાના ક્ષાર, મૃત્પાક વગેરે ઉપાયો વિદ્યમાન હોવાથી, તેની સંપૂર્ણ શુદ્ધિ થઈ શકે છે. તે જ પ્રમાણે અનાદિકાલીન એવા કર્મથી ઢંકાયેલા આત્માની, જ્ઞાન, ક્રિયા વગેરેના અભ્યાસ રૂપ ઉપાયો દ્વારા, સંપૂર્ણ શુદ્ધિ થઈ શકે છે અને આવરણના વિલય દ્વારા શુદ્ધ થયેલા આત્મા જ, જ્ઞાન અને જ્ઞાની વચ્ચે કથંચિત્ અભેદની વિવક્ષા દ્વારા, કેવળજ્ઞાન એમ વ્યપદેશ પામે છે. જ્ઞાનાદિનો અભ્યાસ તે કેવી રીતે વિશુદ્ધિનું કારણ થાય એમ કોઈ પ્રશ્ન કરે તો તેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy