SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધોએ ત્યાં જતા પહેલાં ત્યાં ગમી જાય તો એકવાર મળી જવાની કબૂલાત કરાવીને જ જવા દીધા. આમ ગુરુ ફરી બધું સમજાવી સ્થિર કરે પણ કબૂલાત મુજબ મહાબોધમાં જાય એટલે ત્યાં અસ્થિર કરી નાંખે. આમ ઘણી વખત થયું ત્યારે ગુરુજી લલિતવિસ્તરાની પ્રત પાટ ઉપર મુકી જિનાલયે ગયા. સિદ્ધર્ષિ ગુરુની રાહ જોતા બેઠા હતા. લલિતવિસ્તરાની પ્રત લઈ વાંચવા લાગ્યા. આચાર્ય હરિભદ્રસૂરિજીની ચૈત્યવંદન સૂત્રો ઉપરની આ અનૂઠી વ્યાખ્યા વાંચતા વાંચતા સિદ્ધર્ષિ ભાવવિભોર થઈ ગયા. શક્રસ્તવના એક એક વિશેષણની વિશદચર્ચા વાંચતા અરિહંત પરમાત્મા પ્રત્યે હૃદય ભક્તિભાવથી નમી પડ્યું. સિદ્ધર્ષિ સ્થિર થઈ ગયા. સિદ્ધર્ષિને લાગ્યું કે, ખરેખર આ. હરિભદ્રસૂરિએ મારા માટે જ આ ગ્રંથની રચના કરી ના હોય ! ખરેખર તેઓ મારા ધર્મબોધકર છે અને ભવિષ્યમાં થનારી મારી ચિત્તની ચંચળતા જાણીને મારા માટે જ એમણે ‘લલિત વિસ્તરા'ની રચના કરી લાગે છે. ઉપમિતિની પ્રશસ્તિમાં સિદ્ધર્ષિએ આ વાત આ રીતે રજુ કરી છે “આવાર્ય મિત્રો મે ધર્મવોધરો ગુરુઃ || ૧૬ || अनागतं परिज्ञाय चैत्यवंदनसंश्रया । मदर्थैव कृता येन वृत्तिर्ललितविस्तरा ।। १७ ।।” સિદ્ધર્ષિની ચિત્તચંચળતા અને સ્થિરતાની ઘટના - આચાર્ય મુનિચન્દ્રસૂરિએ લલિત વિસ્તરા ઉપરની પંજિકામાં આ શબ્દોમાં રજૂ કરી છે - “यां बुद्ध्वा किलसिद्धसाधुरखिलव्याख्यातृचूडामणिः । सम्बुद्धः सुगतप्रणीतसमयाभ्यासाज्वलच्चेतनः ।।” આમ આચાર્ય સિદ્ધર્ષિ વિક્રમના દશમા શતકના ઝળહળતા નક્ષત્ર બની પ્રકાશ પાથરી ગયા. આજે પણ તેઓ એમના ગ્રંથો દ્વારા અક્ષરદેહે અનેકનું કલ્યાણ કરે છે. ઉપમિતિ ગ્રંથ રચનાનો સમય ગ્રંથકારે સં. ૯૬૨ ના જેઠ સુદ ૫ ને ગુરૂવાર પુનર્વસુ નક્ષત્રમાં બતાવ્યો છે. આ સંવત વિક્રમ સંવત છે એમ વિદ્વાનો માને છે. તે પ્રમાણે ઈસ્વીસન ૯૦૬ની મે મહિનાની પહેલી તારીખ આવે છે. (જુઓ શ્રી સિદ્ધર્ષિ પૃ ૨૨૩ નવી આવૃત્તિ). ‘ન્યાયાવતાર’ જૈન પ્રમાણ-મીમાંસાની વિશદ ચર્ચા કરતો આકર ગ્રંથ છે. અત્યાર સુધીમાં આ ગ્રંથના આટલા પ્રકાશનો જોવામાં આવ્યા છે. Jain Education International ૧૮ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy