SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ (થઈ શકે તેમ નથી.” ઉપમિતિભવપ્રપંચ કથાની પ્રશસ્તિ અને પ્રભાવક ચરિત્રની વિગતો જોયા પછી વિદ્વાનો એક નિર્ણય ઉપર આવી શક્યા નથી. પરંતુ ઉપદેશમાળાની હેયોપાદેય ટીકાની પ્રશસ્તિથી નિર્ણય આવી શકે છે. હેયોપાદેયાની પ્રશસ્તિમાં “કુસ્વામિશિષ્યસર્ષિવરાળોઃ સિર્ષે સિદ્ધર્ષિના ગુરુ દુર્ગસ્વામી છે. સિદ્ધર્ષિ એ વખતના વર્તમાન આચાર્ય હોય એવું જણાય છે. શ્રી સિદ્ધર્ષિકૃત ગ્રંથો શ્રી સિદ્ધર્ષિગણીએ ઉપમિતિભવપ્રપંચકથા (રચના-વિ.સં. ૯૬૨), ચન્દ્રકેવલી ચરિત્ર' (રચના વિ.સં. ૯૭૩), ઉપદેશમાળા પર હેયોપાદેય ટીકા અને ન્યાયાવતારવૃત્તિની રચના કરી છે. આ ઉપરાંત દ્વાદશાનિયચક્ર'ની વૃત્તિ અને "સિદ્ધયોગમાલા" ની વૃત્તિ પણ સિદ્ધર્ષિની રચનાઓ છે. પરંતુ તે સિદ્ધર્ષિ કયા ? તેનો નિર્ણય થયો નથી. (જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૧, પૃ ૧૬૪) એમ ત્રિપુટી મહારાજ લખે છે. જ્યારે મોહનલાલ દ. દેસાઈના મતે આ સિદ્ધર્ષિ ભિન્ન છે. પ્રભાવક ચરિત્ર મુજબ હેયોપાદેયની ટીકાની રચના જોઈને એમના મિત્ર મુનિએ કહ્યું કે, મુનિ ! તમારા જેવા વિચક્ષણ વિદ્વાનોએ તો મૌલિક અને અલૌકિક સર્જન કરવું જોઈએ. કોઈ ગ્રંથના શબ્દાર્થ કરવા એવું કામ તો બીજા પણ વિદ્વાનો કરી શકશે. ત્યાર પછી સિદ્ધર્ષિએ ઉપમિતિભવપ્રપંચકથા જેવી એક અદ્ભુત કૃતિનું સર્જન કર્યું. વિશ્વભરના વિદ્વાનોએ આ ગ્રંથના ગુણ ગાયા છે. માત્ર સંસ્કૃત ભાષા જ નહીં, વિશ્વની કોઈ પણ ભાષામાં આનો જોડો જડે તેમ નથી. બૌદ્ધદર્શનનો વિશેષ અભ્યાસ કરવા ગુરુની ઈચ્છા ન હોવા છતાં સિદ્ધર્ષિ મહાબોધ નગરમાં બૌદ્ધ પાઠશાળામાં ભણવા જવા વિચાર્યું. ગુરુને ચિંતા હતી કે સિદ્ધર્ષિ બૌદ્ધોના પ્રભાવમાં આવી બૌદ્ધ ભિક્ષુ ન બની જાય. એટલે જો બૌદ્ધ મત સ્વીકારવાનો વિચાર થાય તો રજોહરણ પાછો આપવા આવજે. સિદ્ધર્ષિ ગુરુને કબૂલાત આપી ગયા. આવા તીવ્ર મેઘાવી વિદ્વાનને પોતાનો બનાવવા બૌદ્ધોએ કોઈ કસર ન રાખી. સિદ્ધર્ષિ પ્રભાવિત થઈ ગયા પણ, વચન-પાલન માટે રજોહરણ આપવા ગુરુ પાસે જવાની વાત કરી. ૧. આની પ્રશસ્તિ "વસ્વ૬" (ગુપ્ત. સં. ૫૯૮) મિતે વર્ષે શ્રી સિદ્ધરિવું મહત્ | કવિશ્રાવરિત્રાદ્ધિ વરિતે સંરતું વ્યધાત || મુજબ પ્રાચીન પ્રાકૃત શ્રી ચંદ્રકેવલી ચરિત્ર ઉપરથી સિદ્ધર્ષિગણિએ સંસ્કૃતમાં રચના કરી છે. (જૈન શા. નો ઇતિહાસ ૫. ૧૮૫-૧૮૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy