SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ < થતા હતા. સિદ્ધ કુમિત્રોના સંગે જુગારની લતે ચડ્યો. રાતના મોડો મોડો આવે એ કારણે એની પત્ની ધન્યાને ઉજાગર કરવા પડતા. જ્યારે આ વાતની ખબર માતાને પડી ત્યારે એણીએ દિકરાને સબક શિખવાડવાનું નક્કી કર્યું. વહુને કહ્યું તું ઊંઘી જા. આજે હું જાગતી રહીશ અને દિકરો આવશે ત્યારે હું જ એને યોગ્ય કરીશ. મોડી રાત્રે સિદ્ધ આવ્યો. બારણું ખોલો એણે બૂમ મારી. માતા લક્ષ્મીએ કહ્યું “આટલી મોડી રાત્રે આ ઘરના બારણા ખુલશે નહીં. પણ, અત્યારે ક્યાં જાઉં ?' સિદ્ધ કરગર્યો. માતાએ મક્કમ સ્વરે કહ્યું, અત્યારે જ્યાં કમાડ ખુલ્લા હોય ત્યાં જા. આ ઘરના દરવાજા તો નહીં જ ખુલે. આ પછી સિદ્ધ ઉપાશ્રયે પહોંચ્યો. વિવિધ આરાધનામાં રત મુનિઓના શાંતપ્રશાંત ચહેરાના દર્શન થતાં એને પણ મુનિ બનવાના ભાવ થયા. સવારે એના પિતા લેવા આવ્યા ત્યારે એણે કહ્યું કે, “મારે દીક્ષા લેવી છે.” છેવટે એનો આગ્રહ દેખી પરિવારે રજા આપી. સિદ્ધ મુનિ સિદ્ધર્ષિ બન્યા. શ્રી સિદ્ધષિની ગુરુપરંપરા સિદ્ધર્ષિએ ઉપમિતિભવપ્રપંચાકથાના અંતે પ્રશસ્તિ આપી છે અને પ્રભાવક ચારિત્રમાં એમની ગુરુપરંપરાનું વર્ણન છે એનાથી એટલું નિશ્ચિત થાય છે કે નિવૃત્તિગચ્છ (કુલ)ના સૂરાચાર્યની પરંપરામાં સિદ્ધર્ષિ થયા છે. આમ છતાં સિદ્ધર્ષિના ગુરુ કોણ એ બાબતે ભિન્ન મતો વિદ્વાનોનાં પ્રવર્તે છે. ઇતિહાસવિદ્દ પં. કલ્યાણવિજયજી ગણી પ્રભાવક ચારિત્રની પ્રસ્તાવના (પ્રબંધ પર્યાલોચન) માં લખે છે કે, “આ. સિદ્ધર્ષિના ગુરુ ગર્ગષિ નિવૃત્તિકુલીન સૂરાચાર્યના શિષ્ય હતા.” ત્રિપુટી મહારાજ જેને પરંપરાનો ઇતિહાસ ભા.-૧, પૃ.૫૯૩ માં લખે છે કે, “આચાર્ય સિદ્ધર્ષિ તેઓ દુર્ગસ્વામિના શિષ્ય હતા.” મોહનલાલ દલીચંદ દેસાઈ પણ દુર્ગસ્વામિને ગુરુ તરીકે જણાવે છે (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પૃ. ૨૪૮) મોતીલાલ ગી. કાપડિયા તેમના પુસ્તક “સિદ્ધર્ષિ” પૃ. ૨૮૩-૪ માં લખે છે કે - “એક સવાલ એ ઉપસ્થિત થાય છે કે શ્રી સિદ્ધર્ષિના ગુરુ કોણ ? આ સંબંધમાં 12 (ઉપમિતિની) પ્રશસ્તિમાંથી અનેક વિકલ્પો નિકળે છે... એનો નિર્ણય ૧૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy