SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાભૂષણ, હર્મન જેકોબી, પી.એલ.વૈદ્ય, એ.એન. ઉપાધ્યે આદિ ન્યાયાવતાર સિદ્ધસેન દિવાકરજીની નહીં પણ પરવર્તિ સિદ્ધસેનાચાર્યની રચના હોવાનું માને છે. શ્રી પ્રકાશ પાંડેય વગેરે સિદ્ધર્ષિ ગણિને ન્યાયાવતારના કર્તા માને છે. પં. સુખલાલ, પં. બેચરદાસ, પં.દલસુખભાઈ માલવણિયા, ડૉ. હીરાલાલ જૈન, પં. નાથૂરામ પ્રેમી, પી.એન.દવે, ડૉ. સાગરમલ જૈન વગેરે ન્યાયાવતાર સિદ્ધસેન દિવાકરજીની કૃતિ હોવાનું જ સ્વીકારે છે. - (૪) કલ્યાણમંદિર – પ્રબંધો પ્રમાણે આ સ્તોત્ર ૨ચના વખતે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રગટ થયેલી. કેટલાક વિદ્વાનો આની રચના પણ અન્યકર્તૃક હોવાનું માને છે. આ સ્તોત્રની કેટલીક વિગતો દિગંબર માન્યતાનુસારી છે. એટલે એ દિગંબર વાદિ કુમુદચંદ્રની રચના હોવાનું કેટલાક વિદ્વાનોનું માનવું છે. દિવાકરજીના સમય વિષે ઘણી ચર્ચાઓ થઈ છે એનો ટુંક સાર આ પ્રમાણે છે. પં. સુખલાલજી (ભારતીય વિદ્યા ભા.-૩ ‘સિદ્ધસેનદિવાકરના સમયનો પ્રશ્ન') શ્રી પ્રકાશ પાંડેય (સિદ્ધસેનદિવાકર વ્યક્તિત્વ એવં કૃતિત્વ પૃ. ૧૮), પં. દલસુખ માલવણિયા (ન્યાયાવતારવાર્તિકવૃત્તિ પ્રસ્તાવના પૃ. ૧૪૧), હીરાલાલ કાપડિયા (અનેકાન્તજયપતાકા પૃ. ૯૮), પી. એન. દવે (સિદ્ધસેનદિવાકર પીએચ.ડી. નિબંધ) આ બધા વિદ્વાનોના મતે પાંચમી શતાબ્દી. ડૉ. કુ. શાલૌટ હ્રાઉજેના મતે (વિક્રમસ્મૃતિ ગ્રંથ પૃ ૪૧૪) વિક્રમની ત્રીજી-ચોથી સદી. પં. કલ્યાણવિજયગણીના મતે (વીર નિર્વાણ સંવત અને જૈન કાલગણના) ડૉ. વિદ્યાભૂષણના મતે (વિક્રમસ્મૃતિ ગ્રંથ પૃ. ૪૧૪) વિક્રમની પ્રથમ સદી પં. જુગલકિશોર મુખ્તારના મતે (પુરાતન જૈન વાક્ય સૂચી પૃ. ૧૪૯) વિક્રમની પાંચમી સદીનો પાશ્ચાત્યકાળ. શ્રી સિદ્ધર્ષિ ગણિ સિદ્ધર્ષિનો જન્મ ગુજરાતના શ્રીમાલ નગ૨માં (વર્તમાનમાં રાજસ્થાનના ભીનમાલ નગરમાં) થયો હતો. શ્રીમાલ નગરના રાજા વર્મલાતના મંત્રી સુપ્રભદેવના પુત્ર શુભશંકરના પુત્ર તરીકે સિદ્ધ શ્રીમંત પરિવારમાં લાડકોડમાં ઉછર્યા. સિદ્ધની માતાનું નામ લક્ષ્મી અને પત્નીનું નામ ધન્યા હતું. સુપ્રસિદ્ધ કવિ માઘ તેમના પિતરાઈ ભાઈ Jain Education International ૧૫ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy