SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ' સંસ્કૃતના પ્રકાંડ પંડિત શ્રી સિદ્ધસેનદિવાકરજીને અર્ધમાગધી ભાષામાં તે રચાયેલા આગમોનું સંસ્કૃતીકરણ કરવાનો વિચાર આવ્યો. નવકારમંત્રનું રૂપાંતર ‘નમોડëિદ્ધાથર્યોપાધ્યાયસર્વસાઘુખ્ય ’ કરી ગુરૂને બતાવ્યું. આગમોની ભાષા બદલવાનો વિચાર કરવા બદલ એમને પારાચિક પ્રાયશ્ચિત્ત અપાયું. ૧૨ વર્ષ ગુપ્ત વેશે રહેવાનું હતું. એ દરમિયાન શાસનપ્રભાવનાનું વિશિષ્ટ કાર્ય કરે તો ૧૨ વર્ષની અવધિ પહેલાં પણ સંઘમાં પાછા આવી શકાય. સાતમા વર્ષે મહાકાલના મંદિરના પ્રસિદ્ધ શિવલિંગ સામે કલ્યાણમંદિર સ્તોત્ર રચતાં પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમાં પ્રગટ થઈ. સિદ્ધસેનજીનું સંઘમાં પુનરાગમન થયું. ભરૂચનો રાજા ધનંજય પણ આચાર્યશ્રીનો પરમભક્ત બન્યો. દક્ષિણાપથના પ્રતિષ્ઠાનપુર (પૈઠણ)માં અણસણ કરી આ. સિદ્ધસેનદિવાકરજી સ્વર્ગે ગયા. આવા મહાન આચાર્યને પોતાના ગણવા કોઈનું મન લલચાય તો એમાં આશ્ચર્ય નથી. ૫. જુગલકિશોર મુખ્તાર જેવા કોઈ કોઈ દિગંબર વિદ્વાને સિદ્ધસેનજીને દિગંબર, તો એ.એન. ઉપાધ્યએ યાપનીય હોવાની વાત કરી છે. પરંતુ શ્વેતાંબર સાહિત્યના પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ, ચતુર્વિશતિપ્રબંધ, કથાવલી વગેરેમાં દિવાકરજીનું વિસ્તારથી જીવનચરિત્ર મળે છે. દિગંબર સાહિત્યના કોઈ ગ્રંથોમાં મળતું નથી. કોઈ પ્રાચીન દિગંબરાચાર્ય પણ તેઓને દિગંબર કહ્યા નથી. એટલે સિદ્ધસેનજી શ્વેતાંબર પરંપરાના આચાર્ય છે તે નિર્વિવાદ છે. પૂ. દિવાકરજીની બત્રીસીમાં ભ. મહાવીરના લગ્નની આવતી વાત દિગંબરોની માન્યતાથી વિરૂદ્ધ* છે. આ. સિદ્ધસેનદિવાકરજીના ચાર ગ્રંથો ઉપલબ્ધ થાય છે (૧) સમ્મતિ તર્ક - આ દર્શન પ્રભાવક ગ્રંથને દિગંબરો પણ માને છે. આના અભ્યાસ માટે દોષિત ગોચરીનું સેવન કરવું પડે તો પણ તેમ કરીને પણ અભ્યાસ કરવાનું શાસ્ત્રમાં સૂચન છે. (૨) દ્વાન્નિશ ત્રિશિકા - બત્રીસ બત્રીસીમાંથી ૨૧ અત્યારે મળે છે. ખૂબ જ ગંભીર અને મહત્ત્વપૂર્ણ પદાર્થો તેમાં ગૂંથાયેલા છે. (૩) ન્યાયાવતાર - આની બાવીસમી બત્રીસી તરીકે ગણના કરાય છે. સતીશચન્દ્ર “જો સિદ્ધસેનસૂરિજી દિગંબર હોત, તો દિગંબરની માન્યતાથી વિરોધી ઉલ્લેખ કેમ --- 7 કરે ? એટલે તેઓશ્રીની દિગંબર હોવાની વાત ફલ્ગ જણાય છે. ૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy