SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધસેને સર્વજ્ઞખંડન કર્યું. વૃદ્ધવાદિસૂરિએ ગોવાળોને પૂછ્યું - આ કહે છે કે જિનેશ્વર ભગવાન નથી. ગોવાળે કહે - એ જુઠ્ઠો છે. અમારા ગામમાં જિનાલયમાં ભગવાન બિરાજમાન છે. પછી વૃદ્ધવાદિસૂરિએ કર્ણપ્રિય ચિન્દ્રણી છંદમાં - “नवि मारियइ नवि चोरियइ परदारह गमणु निवारयइ । थोवाथोवं दाइयइ सग्गि टुकुटुकु जाइयइ ।।” આવી સાદી ભાષામાં સુંદર ઉપદેશ આપ્યો. તે સાંભળી ગોવાળોએ વૃદ્ધવાદિની તરફેણમાં ચુકાદો આપ્યો. સિદ્ધસેન વૃદ્ધવાદિનું શિષ્યત્વ સ્વીકારી મુનિ કુમુદચંદ્ર બન્યા. મુનિ અધ્યયન કરી શાસ્ત્રપારગામી બન્યા. આચાર્યપદ પ્રદાન કરતી વખતે એમનું નામ સિદ્ધસેનસૂરિ રખાયું. સર્વજ્ઞપુત્ર તરીકે પણ તેઓ પ્રસિદ્ધિ પામ્યા. આ. સિદ્ધસેનસૂરિ ઉજ્જૈનીના રાજમાર્ગ ઉપરથી જઈ રહ્યા હતા. ભક્તો ‘સર્વજ્ઞપુત્રની જય હો' એવો જયઘોષ કરતા હતા. વિક્રમાદિત્ય રાજાની સવારી સામેથી આવી. રાજાએ મનથી નમસ્કાર કર્યા. આચાર્યશ્રીએ એના જવાબમાં ઉચ્ચ સ્વરે ‘ધર્મલાભ’ કહ્યો. રાજા પ્રભાવિત થયો. ચિત્તોડ તરફ વિહારમાં ઔષધિઓથી બનેલા સ્થંભને, વિરોધિ ઔષધિઓથી કાણું પાડી અંદરથી ગ્રંથ કાઢ્યો. એમાંથી સર્ષપમંત્ર અને સુવર્ણસિદ્ધિમંત્ર વાચ્યો ત્યાં શાસનદેવીએ ગ્રંથ લઈ લીધો. કુર્મર નગરમાં સૂરિજી પહોંચ્યા. ત્યાંનો રાજા દેવપાલ આવ્યો. દુશ્મનોથી ઘેરાયો છું. આપનું શરણું છે એવી વાત કરી. આચાર્યશ્રીએ સર્ષપવિદ્યાથી સૈન્ય અને સુવર્ણસિદ્ધિથી સુવર્ણ બનાવી આપતાં એનો વિજય થયો. દેવપાલે કહ્યું અમાસ અંધારામાં તમે દિવાકર બનીને આવ્યા. આમ ‘દિવાકર’ સૂરિજીનું ઉપનામ બન્યું. દેવપાલના આગ્રહથી આચાર્ય પાલખીમાં બેસીને રાજસભામાં જવા લાગ્યા. ગુરુ આ. વૃદ્ધવાદિસૂરિને આ જાણી દુઃખ થયું. તેઓ આવ્યા, શિષ્યની પાલખી ઉપાડવા લાગ્યા. વૃદ્ધાવસ્થાને લીધે બરોબર ઊચકી ન શક્યા. દિવાકરજીએ કહ્યું “ન્યઃ િ વાધતિ તવ ?” ખભો દુઃખે છે ? ગુરુ - 'ન તથા વાધતે યથા વાધતિ વાધતે’ ખભા કરતાં વાધતિ પ્રયોગ વધુ ખૂંચે *છે. સિદ્ધસેન ચોંક્યા. ગુરુને જોતા જ નીચે ઉતરી પગમાં પડ્યા. ભૂલ સમજાઈ. પ્રાયશ્ચિત્ત કર્યું. *વાધ્ ધાતુ આત્મનેપદ હોવાથી ‘વાધતિ' પ્રયોગ વ્યાકરણ વિરૂદ્ધ થાય છે. Jain Education International ૧૩ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy