SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રન્થકાર-ટીકાકાર પરિચય આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહાન દાર્શનિક સિદ્ધસેન દિવાકર, શ્વેતાંબર અને દિગંબર જૈન સંઘોમાં માન્ય આચાર્ય તરીકે સ્વીકારાયા છે... યાકિની મહત્તરાસુનુ આચાર્યપ્રવર હરિભદ્રસૂરિજીએ એમને પંચવસ્તકમાં (ગા.૧૦૪૮) દુષમકાળરાત્રિમાં દિવાકર સમાન ગણાવ્યા છે. દિગંબર આચાર્ય જિનસેને “પ્રવાદી હાથીઓના સમૂહ માટે સિંહસમાન સિદ્ધસેનનો જય હો” એમ આદિ પુરાણ ૧/૩૯-૪૨ માં એમનો જયજયકાર કર્યો છે. કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજીએ અયોગવિચ્છેદકાત્રિશિકામાં ‘સિદ્ધસેનસ્તુતયો મદાર્થો..” કહીને દિવાકરજીની મહત્તા અને પોતાની લઘુતા જણાવી છે. અને સિદ્ધહેમવ્યાકરણના ઉદાહરણમાં અનુસિદ્ધસેન વય' કહીને એમના કવિત્વને શ્રેષ્ઠ ઘોષિત કર્યું છે. આ સિવાય પણ અકલંક, વાદિરાજસૂરિ, વાદિદેવસૂરિ, પ્રભાચંદ્રાચાર્ય જેવા શ્વેતાંબરદિગંબર ગ્રંથકારોએ તેઓના ગુણગાન ગાયા છે. જીવન-કવન દિવાકરજીના જીવન વિશે પાંચેક પ્રાચીન પ્રબંધકારોએ અને વર્તમાનયુગના અનેક વિદ્વાનોએ ઘણું બધું લખ્યું છે... એમના સમયનિર્ણય માટે ઘણો ઊહાપોહ થયો છે. પણ એ બધાની ચર્ચા કર્યા વિના અહીં મુખ્યત્વે શ્રી પ્રકાશ પાંડેયના સિદ્ધસેનદિવાકર વ્યક્તિત્વ એવં કૃતિત્વ'ના આધારે ટુંકું જીવન ચરિત્ર વગેરે જોઈએ.. ગ્રંથકાર ઉજ્જયિની નગરીમાં કાત્યયન ગોત્રીય બ્રાહ્મણદંપતિ દેવર્ષિ-દેવશ્રીના પુત્ર હતા. એમની બહેનનું નામ સિદ્ધશ્રી હતું. સિદ્ધસેનને પોતાની પ્રકાંડ વિદ્વત્તાનો ગર્વ હતો. આર્યસુહસ્તિના શિષ્ય વૃદ્ધિવાદિની ખ્યાતિ સાંભળી, સિદ્ધસેન એમની જોડે ચર્ચા કરવા નીકળ્યો. શોધતા શોધતા તેઓ વિહારમાં મળ્યા. વૃદ્ધવાદિસૂરિએ રાજસભામાં ચર્ચા કરવા સૂચન કર્યું, પણ સિદ્ધસેનના આગ્રહથી ત્યાં જ ગોવાળિયાઓને મધ્યસ્થ બનાવી ચર્ચા શરૂ કરી. ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy