SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ १९५ न दृष्टान्तस्य दोषः, किं तर्हि हेतोरेव, प्रतिबन्धस्याद्यापि प्रमाणेनाप्रतिष्ठितत्वात्, प्रतिबन्धाभावे चान्वयासिद्धेः । न च हेतुदोषोऽपि दृष्टान्ते वाच्यः, अतिप्रसङ्गादिति । तथा अप्रदर्शितान्वयविपरीतान्वयावपि न दृष्टान्ताभासतां स्वीकुरुतः, अन्वयाप्रदर्शनस्य विपर्यस्तान्वयप्रदर्शनस्य च वक्तृदोषत्वात्, तद्दोषद्वारेणापि दृष्टान्ताभासप्रतिपादने तदियत्ता विशीर्येत, वक्तृदोषाणामानन्त्यात् । वक्तृदोषत्वेऽपि परार्थानुमाने तत्कौशलमपेक्षते इति । एवं चोपन्यासे न बुभुत्सितार्थसाधकौ अतो दृष्टान्ताभासावेताविति चेत्, एवं तर्हि करणापाटवादयोऽपि दृष्टान्ताभासा वाच्याः । तथा हि-करणपाटवव्यतिरेकेणापि न परप्रत्यायनं समस्ति, विस्पष्टवर्णाग्रहणे व्यक्ततया तदर्थावगमाभावादित्यास्तां तावत् ।। २४ ।। १७८. तदेवं साधर्म्येण दृष्टान्ताभासान् प्रतिपाद्य वैधर्म्येणाह - न्यायावतार श्लो० २४ - ૦ન્યાયરશ્મિ – વળી હેતુના દોષનું દૃષ્ટાંતમાં નિયોજન કરવું તે પણ યોગ્ય નથી. જો આમ કરવામાં આવે, તો તો પછી વ્યભિચારાદિને પણ દૃષ્ટાંતદોષ કહેવાનો અતિપ્રસંગ આવશે. માટે અનન્વયને દૃષ્ટાંતનો દોષ ન કહેવાય. તે જ પ્રમાણે, અપ્રદર્શિતાન્વય તથા વિપરીતાન્વય પણ દૃષ્ટાંતાભાસ કહી શકાય નહીં, કારણ કે અન્વય ન જણાવવો અથવા વિપરીત જણાવવો, તે બન્ને તો વક્તાના દોષો છે. વક્તાના દોષોને આશ્રયીને જો દૃષ્ટાંતાભાસનું પ્રતિપાદન કરવામાં આવે, તો પછી દૃષ્ટાંતાભાસોની સંખ્યાની નિયમિતતા જ રહેશે નહીં, કેમ કે વક્તાના દોષો અનંતા હોવાથી દૃષ્ટાંતાભાસોને પણ અનંતા માનવાની આપત્તિ આવશે. શંકાઃ- આ બે દોષ વાસ્તવિક રીતે વક્તાના જ છે, છતાં પરાક્ષનુમાનમાં વક્તાની કહેવાની કુશળતા પણ અપેક્ષિત છે, એટલે આ પ્રમાણે ઉપન્યાસ કરતાં અપ્રદર્શિતાન્વય અને વિપરીતાન્વય બન્ને ઈચ્છિત અર્થના સાધક ન થવાથી દૃષ્ટાંતાભાસો કહેવાયેલ છે. સમાધાનઃ- જો આ પ્રમાણે કહેશો, તો તો પછી ઈન્દ્રિયોની અપટુતા વગેરેને પણ દૃષ્ટાંતાભાસ કહેવાની આપત્તિ આવશે, કારણ કે જો જીભ થોથવાતી હોય, તોતડું બોલાતું હોય, તો બીજાને સમજાવી શકાતું નથી. જ્યાં સુધી વર્ણોનું સ્પષ્ટરૂપે ગ્રહણ ન થાય, ત્યાં સુધી વ્યક્ત રૂપે તે પદાર્થનો બોધ પણ થતો નથી. તેથી અપ્રદર્શિતાન્વય તથા વિપરીતાન્વય તે વક્તાના દોષથી ઉત્પન્ન થતાં હોવાથી, તેને દૃષ્ટાંતાભાસ ન માની શકાય. માટે અમે છ જ દૃષ્ટાંતાભાસો કહ્યા છે. એટલે હવે તો શાંતિ રાખો... (૨૪) ૦ વૈધર્મદુષ્ટાંતાભાસનું લક્ષણ અને તેના પ્રકારો ૦ (૧૭૮) સાધર્મદ્રષ્ટાંતાભાસનું લક્ષણ અને તેના પ્રકારો જણાવીને, હવે વૈધર્મદ્રષ્ટાંતાભાસનું લક્ષણ અને પ્રકારો ગ્રંથકારશ્રી જણાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy