SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार - श्लो० २३ ૧૮૩ पत्त्यानेकान्तवादापत्तेः, कल्पनारचितसत्ताकानां च सर्वशक्तिविरहरूपतया निःस्वभावत्वात्, तथापि तेषां साधनत्वे साध्यमपि निःस्वभावमिति खरविषाणं शशविषाणस्य साधनमापद्यत इति शोभन: साध्यसाधनव्यवहारः | ____१७०. सर्व एवायमनुमानानुमेयव्यवहारो बुद्ध्यारूढेन धर्मधर्मिन्यायेन न बहिः सदसत्त्वमपेक्षते, तेनायमदोष इति चेत्, एवं तर्हि चाक्षुषत्वमपि शब्दे बुद्ध्याध्यारोप्य हेतुतयोच्यमानं नासिद्धतयोद्भावनीयम्, विशेषाभावात्। १७१. अचाक्षुषत्वव्यवच्छेदेन चाक्षुषत्वं बुद्ध्याध्यारोपयितुं पार्यते न यथा कथंचित्, न २५२चासौ शब्देऽस्ति, अचक्षुर्ग्राह्यत्वात् तस्य, तेनायमदोष इति चेत्, कोऽयमचाक्षुषत्वव्यवच्छेदो -9ન્યાયરશ્મિ ૦ તેનું સાધ્ય પણ નિઃસ્વભાવ સ્વરૂપે થશે.જો આવી પરિસ્થિતિ ઉભી થાય, તો પછી ગધેડાના શિંગડા દ્વારા શશવિષાણ સ્વરૂપ સાધ્યની સિદ્ધિ માનવાની, તમારી કેવી સુંદર સાધ્ય-સાધનભાવની વ્યવસ્થા સંપન્ન થશે !! (૧૭૦) બૌદ્ધઃ- તમે અમને શબ્દરૂપ પક્ષમાં, સત્ત્વ હેતુ રહી શકતો નથી એવી આપત્તિ આપી, પરંતુ એવું કાંઈ જરૂરી નથી કે હેતુ પક્ષમાં જોઈએ. જગતમાં જેટલો પણ અનુમાન - અનુમેયનો વ્યવહાર પ્રવર્તે છે, તે બુદ્ધિમાં આરૂઢ થયેલા ધર્મ - ધર્મી ન્યાયથી જ છે. હેતુ ધર્મરૂપે ભાસે છે, પક્ષ ધર્મારૂપે ભાસે છે. આ બુદ્ધિમાં આરૂઢ થયેલા ધર્મ-ધર્મી સિવાય બાહ્ય જગતમાં તેની વિદ્યમાનતા - અવિદ્યમાનતાની કોઈ અપેક્ષા નથી, માટે અમને આ નિઃસ્વભાવતાનો દોષ અંશ માત્ર પણ આવતો નથી. જેન- જો બુદ્ધિ આરૂઢ ધર્મ-ધર્મી ન્યાયથી અનુમાન-અનુમેયનો વ્યવહાર હોય, તો પછી બુદ્ધિથી શબ્દમાં ચાક્ષુષત્વનો અધ્યારોપ કરીને, અનિત્યતાની સિદ્ધિ કરી શકાશે, ત્યાં પણ તમે હેતુરૂપે કહેવાતા ચાક્ષુષત્વમાં અસિદ્ધતા દોષ નહીં આપી શકો, કારણ કે બુદ્ધિ આરૂઢ રૂપે તો તે પણ હેતુ થઈ જ શકે છે. (૧૭૧) બૌદ્ધઃ- ચાક્ષુષત્વ હેતુને અમારે સહેતુ માનવાની આપત્તિ નહી આવે, કારણ કે ચાક્ષુષત્વનો બુદ્ધિમાં આધ્યારોપ અચાક્ષુષત્વના વ્યવચ્છેદ પૂર્વક જ થઈ શકે છે અને અચાક્ષુષત્વનો વ્યવચ્છેદ શબ્દરૂપ પક્ષમાં થતો નથી, કારણ કે તે ચક્ષુથી ગ્રાહ્ય નથી. તેથી અચાક્ષુષત્વના વ્યવચ્છેદનો શબ્દરૂપ પક્ષમાં અભાવ હોવાના કારણે ચાક્ષુષત્વનો આરોપ થઈ શકતો નથી. જૈનઃ- (અહીં બૌદ્ધના અભિપ્રાયથી જ શંકા કરાય છે.) તમે જે અચાક્ષુષત્વનો વ્યવચ્છેદ કહો છો, તેનું સ્વરૂપ શું છે ? (૧) શું તુચ્છ વ્યવચ્છેદમાત્ર, (૨) સર્વથા ભિન્ન એવા ઘટાદિ સ્વલક્ષણ, કે (૩) વ્યવચ્છેદક એવી સવિકલ્પ બુદ્ધિ, જે સ્વસંવિદિત અને વસ્તુતઃ ઘટાદિ સ્વલક્ષણ તેનો વિષય ન હોવા છતાં, નિર્વિકલ્પ પ્રત્યક્ષજન્ય હોવાથી પરંપરાએ ઘટાદિની ગ્રાહક છે તે. આ ત્રણ વિકલ્પ -अर्थसंप्रेक्षण(રર) અસાવિતિ ગવાયુષત્વવ્યવચ્છઃ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy