SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ १७० भावप्रसङ्गात्, २४° तत्र परोपदेशाभावात्, तदभावे संबन्धासिद्धेः, तदसिद्धावनुमानानुत्थानादिति । 'अनुमानात्संबन्धग्रहणे निरवधिरनवस्थानुषज्येत, संबन्धग्राहिणोऽप्यनुमानस्य पुनः संबन्धान्तरग्रहणसव्यपेक्षत्वादिति । १६१. अत्रोच्यते- प्रत्यक्षानुमाने द्वे एव प्रमाणे इति येषां मिथ्याभिनिवेशः, तेषामेष दोषो नास्माकम्, अन्वयव्यतिरेकग्राहिप्रत्यक्षानुपलम्भोत्तरकालभाविनोऽव्यभिचरितत्रिकालव्यापिगोचरस्य मतिनिबन्धनस्योहसंज्ञितस्य प्रमाणान्तरस्य संबन्धग्राहितयेष्टत्वात्, तदनिष्टौ दृष्टव्यवहारविलोप૦ન્યાયરશ્મિ – છ નિર્ણય ન માની શકાય, કારણ કે શબ્દ, પરોપદેશ રૂપ છે (બીજાના વચન સ્વરૂપ છે) જો શબ્દથી વ્યાપ્તિનો નિર્ણય માનો, તો સ્વાર્થનુમાન બીજા કોઈના વચન વિના સ્વતઃ પ્રવર્તતું હોવાથી, ત્યાં વ્યાપ્તિ નિર્ણય નહીં થાય અને વ્યાપ્તિનિર્ણય વિના તો સ્વાર્થાનુમાન જ થઈ ન શકે. અનુમાન પ્રમાણ દ્વારા પણ સર્વદેશ - સર્વકાળ સંબંધી વ્યાપ્તિનું ગ્રહણ ન માની શકાય. અનુમાન દ્વારા વ્યાપ્તિનું ગ્રહણ માનવામાં આવે તો અનવસ્થા દોષ આવશે. તે આ પ્રમાણે - પ્રસ્તુત અનુમાનમાં વ્યાપ્તિને ગ્રહણ કરવા માટે અનુમાન પ્રમાણ લાવશો. હવે તે અનુમાનનું ઉત્થાન પણ, વ્યાપ્તિને ગ્રહણ કર્યા વિના તો શક્ય નથી. તેથી તેની વ્યાપ્તિને ગ્રહણ કરવા માટે ફરી અનુમાન લાવશો, તેના માટે ફરી ત્રીજું અનુમાન, એમ અનવસ્થા દોષ આવશે. તેથી કોઈપણ પ્રમાણથી સર્વદેશ-કાળ સંબંધી વ્યાપ્તિનું ગ્રહણ શક્ય નથી. ૦ (૧૭૧) ઉહ પ્રમાણ દ્વારા વ્યાપ્તિનું ગ્રહણ - ઉત્તરપક્ષ O આ પૂર્વપક્ષની શંકાનું સમાધાન આપતા જણાવે છે કે, બૌદ્ધાદિ દર્શનવાળા કુતીર્થિકો, જેમને પોતાની માન્યતા ઉપર અત્યંત કદાગ્રહ છે કે, પ્રત્યક્ષ અને અનુમાન આ બે જ પ્રમાણ છે, વધારે નહીં, તેમને આ સર્વદેશ-કાળ સંબંધી વ્યાપ્તિ ગ્રહણ ન થવા રૂપ દોષ આવે, પરંતુ અમોને આ દોષ સંભવિત નથી. આશય એ છે કે, અન્વયગ્રાહી પ્રત્યક્ષ અને વ્યતિરેક ગ્રાહી અનુપલંભ પછી થનાર, અવ્યભિચરિત - ત્રિકાળવ્યાપી પદાર્થોને વિષય કરનાર, તથા મતિજ્ઞાન જેનું કારણ છે એવા ‘ઉહ', જેનું બીજું નામ ‘તર્ક’ છે, એવા પૃથક્ પ્રમાણને અમે સ્વીકારીએ છીએ. આ ઉહ પ્રમાણ દ્વારા વ્યાપ્તિને ગ્રહણ કરી, અનુમાનની પ્રવૃત્તિ નિર્બાધરૂપે થઈ જાય છે. વ્યાપ્તિ ગ્રહણ કરનાર જો ઉહ પ્રમાણનો સ્વીકાર કરવામાં ન આવે, તો પછી જગતમાં ધૂમ દ્વારા અગ્નિનો બોધ, પૂર દ્વારા વૃષ્ટિનો બોધ, છાયા દ્વારા છત્રનો બોધ... વગેરે, અનુમાનને આશ્રયીને જે લોકવ્યવહાર પ્રવર્તે છે, તે સર્વનો લોપ થવાની આપત્તિ આવશે. જો દૃષ્ટ લોકવ્યવહારનો લોપ થઈ જતો હોય, તો પછી આ બધી વિચારણા કરવી નિરર્થક થઈ જશે, માટે દૃષ્ટવ્યવહારનો અપલાપ ન થાય, તે માટે ઉહ પ્રમાણને સ્વીકારવો જ રહ્યો અને તેના દ્વારા સર્વદેશ-કાળ સંબંધી વ્યાપ્તિ ગ્રહણ કરવા દ્વારા અનુમાનની પ્રવૃત્તિ નિર્બાધ રૂપે થઈ જાય છે. યદ્યપિ ઉહ નામનું પૃથક્ પ્રમાણ હોવા છતાં, આ ગ્રંથમાં અનુમાનથી -· अर्थसंप्रेक्षण: (૨૪૦) તંત્ર સ્વાર્થાનુમાને || ૧૮ न्यायावतार Jain Education International || For Personal & Private Use Only -0 www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy