SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ ) न्यायावतार - श्लो. ११ १४२. यच्चोक्तम्-न शब्दात् परस्य प्रत्यक्षोत्पत्तिः, २१ तस्य विकल्पजनकत्वात्, प्रत्यक्षस्य स्वलक्षणविषयत्वेन निर्विकल्पकत्वात् । तदयुक्तम्, सामान्यविशेषात्मकार्थविषयस्य निर्णयरूपस्य तस्य कथंचिदेकविषयता शब्दोत्पाद्यत्वाविरोधात्, एवंविधस्य च प्रागेव समर्थनात् । १४३. चक्षुरादिसामग्रीतस्तदुत्पद्यते न शब्दादिति चेत् । अनुमानमपि प्रत्यक्षादिनिश्चिताद हेतोरविस्मृतसंबन्धस्य प्रमातुरुल्लसति, न शब्दात्, अतस्तस्यापि परार्थता विशीर्येत । ૦નાયરશ્મિ – છે.) આમ કહેવા દ્વારા, પૂર્વની કારિકામાં વાક્યને ઉપચારથી પ્રમાણ કહ્યું, તે ઉપચારનું કારણ બતાવ્યું - વાક્ય એ શ્રોતાને અર્થપ્રતીતિનું કારણ હોવાથી ઉપચારથી પ્રમાણ છે. (૧૪૨) બૌદ્ધ જે કહ્યું હતું કે “શબ્દ દ્વારા બીજાને પ્રત્યક્ષ ન કરાવી શકાય, કારણ કે શબ્દ તો માત્ર વિકલ્પનો જ જનક છે, જ્યારે પ્રત્યક્ષ તો શુદ્ધ સ્વલક્ષણનો જ ગ્રાહી હોવાથી નિર્વિકલ્પ છે” - એ વાત પણ યુક્ત નથી, કારણ કે પ્રત્યક્ષ એ સામાન્ય-વિશેષ ઉભયરૂપ અર્થનું નિર્ણયાત્મક છે, એટલે પ્રત્યક્ષ અને શબ્દનો વિષય, કથંચિત્ એક છે (શબ્દનો વિષય પણ તેવો જ અર્થ છે) એટલે શબ્દથી પ્રત્યક્ષ ઉત્પન્ન થઈ શકે તેમાં વાંધો નથી. અને વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે, પ્રત્યક્ષ તદ્વિષયક છે એ અમે પૂર્વે જ બતાવી ચૂક્યા છીએ. પ્રશ્નઃ- પ્રત્યક્ષ અને શબ્દનો વિષય એક હોય એટલા માત્રથી શબ્દ તે પ્રત્યક્ષજનક શી રીતે બને? ઉત્તરઃ- પોતાના પ્રત્યક્ષ દ્વારા જે (સામાન્ય-વિશેષાત્મક) અર્થ ગૃહીત છે, તે જ અર્થનો ગ્રાહક શબ્દ પણ છે, તેથી પ્રત્યક્ષપ્રતીત અર્થનો શબ્દ દ્વારા બીજાને પણ બોધ કરાવી શકાય છે, એટલે શબ્દ દ્વારા, બીજાને તદ્વિષયક (પ્રત્યક્ષપ્રતીત અર્થવિષયક) પ્રત્યક્ષ થતું હોવાથી શબ્દ તે પ્રત્યક્ષનો જનક બની શકે છે. બોદ્ધઃ- પ્રત્યક્ષની ઉત્પત્તિ તો ચક્ષુ વગેરે સામગ્રીથી થાય છે, શબ્દથી નહીં. તો પછી શબ્દ દ્વારા બીજાને પ્રત્યક્ષ શી રીતે કરાવી શકાય ? જૈનઃ- આ વાત તો અનુમાન અંગે પણ લાગુ પડશે, કારણ કે અવિસ્મૃતસંબંધવાળા પ્રમાતાને પ્રત્યક્ષદષ્ટ હેતુથી જ અનુમાનની ઉત્પત્તિ થાય છે, શબ્દથી નહીં. તો પછી શબ્દ દ્વારા, બીજાને અનુમાન પણ શી રીતે કરાવી શકાય ? અને એથી તો અનુમાન પણ પરાર્થ નહીં બને. (૧૪૩) બૌદ્ધ - સમર્થ હેતુનું કથન કરતું હોવાથી, અનુમાનપ્રયોગરૂપ વચનને અમે પરાર્થ કહીએ છીએ. -अर्थसंप्रेक्षण(२१८) तस्येति । प्रत्यक्षस्य । (२१९) एकविषयतयेति । शब्देन सहेति शेषः, अयमभिप्रायःसामान्यविशेषात्मकं वस्तु शब्दानां गोचरः, प्रत्यक्षमपि कथंचित् सामान्यविशेषात्मकवस्तुविषयम्, ततः सामान्यविशेषात्मकोऽर्थः प्रत्यक्षप्रतिपन्नः परस्मै प्रतिपाद्यमानः परार्थप्रत्यक्षं भवति ।। ११ ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy