SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ११४ न्यायावतार 10 તિ, તથા, પૂર્વવત ષવ સામાન્યતોકૃષ્ણમિત્કારિ” | -9ન્યાયરશ્મિ - જાય, ત્યારે વરસાદ પડે જ છે, તેથી વર્તમાનમાં વિશિષ્ટમેઘોતિ સ્વરૂપ કારણને જોવાથી વર્ષારૂપ કાર્યનું અનુમાન થાય છે. - આ થયું કારણલિંગક અનુમાન. (૩) સંયોગી સ્વરૂપ-સંયોગી હોય તે હેતુ પણ સાધ્યનો ગમક બને છે. જેમ કે પર્વતો વર્તિમાન ઘૂમત” અહીં ધૂમ તે અગ્નિનો સંયોગી છે, તેથી ધૂમરૂપ સંયોગીને જોઈને અગ્નિનું અનુમાન થાય છે - આ થયું સંયોગીલિંગક અનુમાન. જૈન- સંયોગ તો ઉભયનિષ્ઠ છે, તેથી સંયોગી તો ધૂમ - અગ્નિ બંને બન્યા છે. તો પછી સાધન ધૂમ જ બને અને સાધ્ય વહ્નિ જ બને, એવું શા માટે ? વૈશેષિક - તમારા મતે પણ અવિનાભાવ તો ઉભયનિષ્ઠ છે, તો પછી સાધન ધૂમ જ બને અને સાધ્ય અગ્નિ જ બને, એવું કેમ ? જૈનઃ- જેના જ્ઞાનથી અનુમેયમાં પ્રવૃત્તિ થાય, તેને જ સાધન કહેવાય, માટે સાધન તો ધૂમ જ બનશે, વહ્નિ નહીં. વૈશેષિકઃ- બસ, અમે પણ એવું જ કહીએ છીએ, તેથી સંયોગીરૂપે બંને સમાન હોવા છતાં, જેના જ્ઞાનથી અનુમયમાં પ્રવૃત્તિ થાય તેને ‘સાધન' કહેવાય, માટે માત્ર ધૂમ જ સાધન બનશે, વહ્નિ નહીં. (૪) સમવાયી સ્વરૂપ - સમવાયી એવો હેતુ પણ સાધ્યનો ગમક બને છે. જેમ કે “નને તેનઃ, ૩Uસ્પર્શત્વા’ અહીં ઉષ્ણસ્પર્શરૂપ સમવાયી દ્વારા, જેમાં પોતે સમવાય સંબંધથી રહેલો છે, તે આધારનું અનુમાન થાય છે – માટે આ થયું સમવાયીલિંગક અનુમાન. (૫) વિરોધી સ્વરૂપ વિરોધી એવા લિંગ દ્વારા સાધ્યને જાણવું છે. જેમ કે ‘ત્ર નતઃ દિર્વિસર્જના' અહીં નોળિયાના વિરોધી એવા સાપનો કુંફાડાપૂર્વકની લડાઈથી અનુમાન થાય છે કે અહીં નોળિયો છે. અથવા ‘ત્ર શીતામાવઃ વત્તે અહીં શીતના વિરોધી એવા વહ્નિથી અનુમાન થાય છે કે અહીં શીતનો અભાવ છે – આ થયું વિરોધીલિંગક અનુમાન. આ પ્રમાણે વૈશેષિકો પાંચ પ્રકારના લિંગ માને છે. ૦ તૈયાયિક કલ્પિત ત્રણ પ્રકારના લિંગનું સ્વરૂપ ૦ ન્યાયદર્શનકારો લિંગના ત્રણ પ્રકાર માને છે – (૧) પૂર્વવતું, (૨) શેષવતું, અને (૩) સામાન્યતોદૃષ્ટ – આના ત્રણ રીતે અર્થ થાય છે. (૧) પૂર્વવત્ :- પૂર્વ એટલે અન્વય, કારણ કે વ્યતિરેકની પહેલા અન્વય જ જણાય છે. જે હેતુમાં કેવળ અન્વયવ્યાપ્તિ મળતી હોય તે હેતુ. – શાસ્ત્રસંનો— (79) "तत्पूर्वकं त्रिविधमनुमानं, पूर्ववच्छेषवत्सामान्यतोदृष्टं च ।।" -उद्धृतोऽयं पाठः षड्दर्शनटीकायाम् પૃ.૨૨/ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy