SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ न्यायावतार 10 विकल्पानुत्थानेन सविकल्पव्यवहारोच्छेदप्रसङ्गः । १६१तथा हि- निर्व्यवसायं दर्शनमित्यतः पाटवोपेतमपि स्मृतिबीजाधानं तदुत्तरकालभावि वा तादृशार्थदर्शनं तत्प्रबोधनमभ्यासवासनापाटवेऽपि न विधातमलम, १६३यतः सामान्यविकल्पोत्पत्त्या व्यवहारः प्रवर्तेत, क्षणिकत्वादिषु सकलकालं निर्विकल्पकाध्यक्षदृष्टतयाभ्युपगतेष्वपि १६ तददर्शनात् । तस्मात् यत्र कुत्रचिदर्थांशे पाश्चात्यव्यवहारप्रवृत्तिस्तत्र प्राचीनं संवेदनं निर्णायकमभ्युपगन्तव्यम्, अन्यथा क्षणिकत्वाद्यंशवत् सर्वांशेषु व्यवहारः प्रलीयेत । तन्न कदाचन कल्पनापोढत्वं प्रत्यक्षस्य प्रमातुरपि प्रतीतिगोचरचारितामनुभवति । अप्रतीतं चास्तीति श्रद्धातुं दुःशकम्, अतिप्रसङ्गादित्यलक्षणम्। –૦નાયરશ્મિ – ઉત્તરઃ- તો સવિકલ્પજ્ઞાનનું ઉત્થાન જ નહીં થાય અને તેથી સવિકલ્પને આશ્રયીને થતાં સર્વ વ્યવહારોનો ઉચ્છેદ થઈ જશે. તે આ રીતે – નિર્વિકલ્પ દર્શન તો નિર્વ્યવસાય – અનિશ્ચયાત્મક હોવાથી, તેના દ્વારા સ્મૃતિબીજનું આધાન થઈ શકે નહીં. પછી થતું બીજું તેવું જ નિર્વિકલ્પ દર્શન અભ્યાસથી પટુવાસના હોવા છતાં સ્મૃતિબીજને જાગૃત કરવા સમર્થ નથી, કે જેનાથી સામાન્યાકાર વિકલ્પની ઉત્પત્તિ દ્વારા વ્યવહાર થઈ શકે, કારણ કે નિર્વિકલ્પના વિષયરૂપે સ્વીકારાયેલા ક્ષણિકત્વ વિગેરેમાં કોઈ વ્યવહાર થતો દેખાતો નથી. (અર્થાત્ સર્વ ઘટાદિ વસ્તુ ક્ષણિક છે, એવો વ્યવહાર જગતમાં થતો નથી.) ભાવ એ છે કે જેમાં વિકલ્પ નથી, તેનો વ્યવહાર નથી, જેમ કે નિર્વિકલ્પનો વિષયભૂત ક્ષણિત્વ, (અહીં એ યાદ રાખવું કે બૌદ્ધમતે પદાર્થનું પ્રત્યક્ષ થાય ત્યારે તેના ક્ષણિકત્વનું પ્રત્યક્ષ પણ થાય છે, પણ તેનો વિકલ્પ ઉત્પન્ન થતો ન હોવાથી વ્યવહાર થતો નથી.) એટલે, જે અંશમાં પાછળથી પણ વ્યવહાર થાય છે, તે અંશમાં પ્રાચીન પ્રત્યક્ષને નિર્ણાયક વ્યવસાયાત્મક/સવિકલ્પ માનવું જ પડે, અન્યથા, તે અંશમાં પણ જો નિર્વિકલ્પ હોય તો ક્ષણિકતની જેમ તેનો પણ વ્યવહાર ન થાય. નિષ્કર્ષ - તેથી પ્રત્યક્ષનું જે “કલ્પનાપોઢત્વ” સ્વરૂપ બતાવ્યું હતું, તે સ્વરૂપ, કોઈ પ્રમાતાને ક્યારે પણ પ્રતીતિમાં આવતું નથી, અને આવું અપ્રતીત સ્વરૂપ તો માની શકાય તેવું નથી, અન્યથા અપ્રતીત એવી ષષ્ઠભૂતાદિ વસ્તુઓને પણ માનવાની આપત્તિ આવશે. તેથી બોદ્ધ કલ્પિત “કલ્પનાપોઢ રૂપ લક્ષણ, લક્ષણ નહીં, પણ અલક્ષણ છે. હવે બૌદ્ધકલ્પિત “અભ્રાંતત્વ' વિશેષણ અંગે પણ વિચારીએ - – અર્થસંપ્રેક્ષા(१६१) तथाहीत्यादि । अभ्यासवासनापाटवेऽपि अभ्यासाद्वासना अभ्यासवासना । वासनेति पूर्वज्ञानजनितामुत्तरज्ञाने शक्तिमाहुस्तद्विदः । तस्याः पाटवं तस्मिन्नपि सति, (१६२) अलम् समर्थम्, निर्व्यवसायेति च विशेषणद्वारेण हेतुरुक्तः, निर्विकल्पत्वादाद्योत्तरदर्शने कर्तृणीति संस्कारतद्बोधनं यथाक्रमं कर्तुं न पारयत इत्युक्तं भवति । (१६३) यत इति । स्मृतिबीजाधानतत्प्रतिबोधनाभ्याम् । (१६४) तददर्शनादिति । व्यवहारादर्शनात् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy