________________
ન્યાયાવતાર - શ્તો ૪
१०३
૧૧૨
साक्षात्करणचतुरत्वात्तस्य । केवलं तदपि संनिहितं परिस्फुटं स्वावयवव्यापिनं कालान्तरसंचरिष्णुं स्थगितक्षणविवर्तं अलक्षितपरमाणुपारिमाण्डल्यं पदार्थान्तरैः सह ५९ समानासमानाकारं स्वपरमाणूनां सामान्याकारं स्तम्भादिकं पदार्थं गोचरयतीति सविकल्पमित्युच्यते, परपरिकल्पितक्षणक्षयिविविक्तपरमाणुलक्षणस्वलक्षणग्रहणप्रवणनिर्विकल्पप्रत्यक्षप्रतिषेधार्थं कथंचिदभिलापसंसर्गयोग्यगोचरतादर्शनार्थं वा । एवं च प्रत्यक्षगोचरीकृतेऽर्थे संज्ञासंज्ञिसंबन्धग्रहणादयस्तद्विषयाः शाब्दव्यवहाराः सर्व एव निरुपचरिता घटन्ते इत्युक्तं भवति ।
९४. यदि पुनः शब्दसंसर्गयोग्यप्रतिभासमध्यक्षं न स्यात्, ततः को दोषः इति चेद्, ન્યાયરશ્મિ -
Ꮕ
રાખતો નથી.
પરંતુ બૌદ્ધ વડે જે કલ્પના કરાઈ છે, કે ‘ક્ષણે-ક્ષણે નાશ થનારૂં, ભિન્ન-ભિન્નપ૨માણુરૂપ સ્વલક્ષણને ગ્રહણ કરવામાં ચતુર એવું એકાંત નિર્વિકલ્પ જ્ઞાન જ વાસ્તવિક છે’ -તેના નિરાકરણ માટે અથવા પ્રત્યક્ષ તે કથંચિત્ (કોઈક અપેક્ષાએ) અભિલાપના-શબ્દના સંસર્ગને યોગ્ય છે, એમ બતાવવા માટે, પ્રત્યક્ષને અમે ‘સવિકલ્પ’ પણ કહીએ છીએ. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે -
પ્રત્યક્ષ જ્ઞાન તે, સંનિહિત, સ્પષ્ટ, સ્વ અવયવોમાં વ્યાપીને રહેલા અવયવીરૂપ, કાલાંતરમાં પણ સંચારશીલ, ક્ષણિક પર્યાયો જેમાં ગૌણ છે તેવા, પરમાણુનું પરિમાણ જેમાં જણાતુ નથી, સજાતીય પદાર્થોથી સમાન અને ભિન્નજાતીય પદાર્થોથી ભિન્ન આકારવાળા, પોતાના પરમાણુઓએ ભેગા થઇને બનાવેલા 'સામાન્યાકારરૂપ એવા સ્તંભાદિ પદાર્થોને વિષય કરે છે, માટે તેને ‘સવિકલ્પજ્ઞાન’ કહેવાય છે. કારણ કે આ પ્રત્યક્ષ જે અર્થનું ગ્રહણ કરે છે, તે અર્થના વિષયમાં સંજ્ઞા (નામ) અને સંશી (નામવાળા પદાર્થ)ના સંબંધને જાણવું... ઈત્યાદિ અર્થવિષયક સર્વ શાબ્દવ્યવહારો ઘટે છે. તેથી તદ્ગ્રાહક જ્ઞાનમાં પણ શબ્દનું જોડાણ થવાથી, તે જ્ઞાન ‘સવિકલ્પ’ બને છે.
-
આવા સવિકલ્પ જ્ઞાનથી બે કાર્ય થયું – (૧) બૌદ્ધની એકાંત નિર્વિકલ્પ રૂપ માન્યતાનો નિરાસ, અને (૨) પ્રત્યક્ષમાં કથંચિદૂ શબ્દસંસર્ગની યોગ્યતાનું વ્યવસ્થાપન.
(૯૪) પ્રશ્નઃ- જો પ્રત્યક્ષ, શબ્દસંસર્ગને યોગ્ય પ્રતિભાસવાળું ન માનવામાં આવે, તો શું દોષ આવે ?
० अर्थसंप्रेक्षण०
(१५९) समानासमानाकारमिति । सजातीयैः सह समानाकारं विजातीयैः पुनरसमानाकारम् । (१६०) संबधग्रहणादय इति । आदिग्रहणाद् विशेषणविशेष्यभावग्रहः ।
-0
૧. બૌદ્ધો પ૨માણુપુંજ માને છે, અવયવી નથી માનતા, તેના ખંડન માટે ‘સ્તંભાદિ પદાર્થ એ અવયવી છે' તે આગળ સ્વાયવવ્યાપિનં થી કહ્યું. અહીં એ સ્તવંત્ર પદાર્થ નથી, પણ પોતાના પરમાણુઓએ ભેગા થઇને બનાવેલો એક સામાન્ય આકાર છે. તેમાં પરમાણુ હોવા છતાં પરમાણુઓનો પોતાનો આકાર દેખાતો નથી, પણ બધાનો ભેગો થઇને એક આકાર દેખાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org