SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ।। नमोऽस्तु तस्मै तव शासनाय ।। ૩ીિ 5 પ્રાસ્તાવિકમ્ – ૪ ‘તમેવ સર્ચ નિયંવર નં નિહિં પવેફ'. આ ઉક્તિ જિનશાસનમાં પ્રસિદ્ધ છે.. “જિનેશ્વરોએ જે કહ્યું છે, તે જ નિઃશંકપણે સાચુ છે..” એ એનો અર્થ અને એવી શ્રદ્ધા ધરાવનારને જ સમ્યક્ત મનાયું છે. પ્રશ્ન એ થાય, કે જિનેશ્વરોએ કહ્યું તે જ સાચું, એવું શા માટે ? ઉત્તર :- બહુ સીધી વાત છે.. જિનેશ્વર વીતરાગ છે, સર્વજ્ઞ છે.. માટે તેમની વાત ખોટી હોય જ નહીં.. પ્રશ્ન:- પણ ઉભા રહો.. જિનેશ્વર વીતરાગ છે, સર્વજ્ઞ છે; બીજા નથી, એની સાબિતી શું?... અને અહીં પ્રશ્ન ઉભો રહે છે... જેમ આપણને કુળપરંપરાથી જૈનધર્મ મળ્યો, એટલે આપણે અરિહંતને સર્વજ્ઞ માનીએ છીએ, તેમ દરેક ધર્મમાં જન્મ પામેલા પોતાના ઈષ્ટદેવને સર્વજ્ઞ જ માને છે.. તો પછી સાચું શું? કદાચ એ દુઃખની વાત છે કે આવા સીધા સાદા જણાતા પ્રશ્નનો જવાબ આપવા પણ ઘણાંખરાં જૈનો સમર્થ નથી !!.. ધર્મપરીક્ષામાં મહોપાધ્યાય યશોવિજયજી મ.સા. ચોંકાવનારી *વાત કરે છે. જે પોતાને કુળપરંપરાથી જૈન ધર્મ મળ્યો હોવાથી તેને સ્વીકારે, આચરે.. પણ તે જ ખરેખર સાચો છે કે નહીં તેની પરીક્ષા કરવાની તૈયારી ન હોય, તો તે સમકિતી નથી; પણ આભિગ્રહક મિથ્યાત્વી છે. ભલે તે અરિહંતને જ પૂજતો હોય..” આપણને ખળભળાવી દે.. આપણામાંના ઘણાંખરાંને મિથ્યાત્વીની કથામાં મૂકી દે તેવું આ વિધાન છે. તાત્પર્ય એ જ છે કે શુદ્ધ સમ્યક્તની પ્રાપ્તિ માટે, માત્ર જૈન ધર્મનો સ્વીકાર ( પર્યાપ્ત નથી, પણ શા માટે તે સર્વશ્રેષ્ઠ છે, તે જાણીને તેના ઉપરની દઢ શ્રદ્ધા છે , 1 અનિવાર્ય છે. અને તે બધા ધર્મોનો તુલનાત્મક અભ્યાસ વિના પ્રાયઃ થતી નથી. તેને * “यस्तु नाम्ना जैनोऽपि स्वकुलाचारेणैवागमपरीक्षां बाधते तस्याभिग्रहिकत्वमेव, सम्यग्दृशोऽपरीक्षितपक्षपातित्वायोगात ।" - धर्मपरीक्षा टी. प्र. २७। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy