SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ દર न्यायावतार 10 परोक्षगतभेदापेक्षया बहुवचनं व्यक्तिभेदे सामान्यमपि कथंचिद् भिद्यते इति दर्शनार्थम् । तथा हि, तदविवक्षितव्यक्तिकमेकरूपतां बिभर्ति प्रमाणमिति; व्यक्त्यवच्छेदेन पुनरवच्छिद्यमानं नानाकारतामादत्ते प्रत्यक्षानुमानशाब्दानि प्रमाणानीति, व्यक्तिव्यतिरिक्ताव्यतिरिक्तरूपत्वात्तस्य। तथा हि-शब्दाच्चक्षुरादेर्वा दूराद् वृक्ष इति प्रत्यये धवखदिरपलाशादिविशेषानपेक्षया साधारणं वृक्षत्वमेव चकास्ति, तस्मात् तेभ्यो भिन्नं तद्, व्यतिरेकिणाकारेण ज्ञाने प्रतिभासनाद् घटादिवत् । परिस्फुटद्धवखदिरपलाशादिविशेषावलोकनवेलायां तु न तदतिरेकिणा रूपेण प्रकाशते इत्यभिन्नम्, तदव्यतिरिक्तस्य संवेदनात्, तत्स्वरूपवत् । ___७३. विशेषाभिन्नमेव रूपं तात्त्विकं सामान्यस्य, तस्यैव दाहपाकाद्यर्थक्रियाक्षमत्वात् । –૦ન્યાયરશ્મિ - રિસન પ્રમાનિ - એમ બહુવચનનો પ્રયોગ શા માટે ? ઉત્તર:- બહુવચનનો પ્રયોગ, પરોક્ષગત ભેદની અપેક્ષાએ કર્યો છે, અર્થાત્ પરોક્ષના અનેક પ્રકારો હોવાથી પ્રમાણો ઘણા છે, એ કહેવા માટે ર્યો છે. તથા બહુવચનના પ્રયોગથી સૂચિત થાય છે કે સામાન્યનો પણ વ્યક્તિભેદે ભેદ થાય છે. એટલે, અનુમાન - શબ્દ - ઉહ વગેરે બધા પરોક્ષ રૂપે એક હોવા છતાં વ્યક્તિરૂપે જુદા-જુદા છે. તેથી નૈયાયિકોની “સામાન્ય એક છે એવી માન્યતાનો નિરાસ થાય છે. વ્યક્તિભેદે સામાન્યનો ભેદ છે, તે આ રીતે – બધી ગાયમાં રહેલ ગોત્વ, ગોત્રત્વેન એક હોવા છતાં વ્યક્તિરૂપે જુદું જુદું પણ છે. વ્યક્તિ અને સામાન્ય કથંચિત્ ભિન્ન પણ છે અને કથંચિત્ અભિન્ન પણ છે. તેથી જ્યારે વ્યક્તિની વિવેક્ષા ન હોય, ત્યારે પ્રમાણ એકરૂપે જ રહેશે અને જ્યારે વ્યક્તિની વિવેક્ષા હોય, ત્યારે વ્યક્તિના ભેદે ભેદ પામતું પ્રમાણ, પ્રત્યક્ષ – અનુમાન - શબ્દ આદિ અનેક પ્રકારે હોય છે. એમ સામાન્ય તે વ્યક્તિથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. કઈ રીતે ? તે જોઈએ - (૧) શબ્દથી કે ચક્ષુ વગેરેથી, જ્યારે “વૃક્ષ એવું જ્ઞાન થાય, ત્યારે ધવ-ખદિર-પલાશ વગેરે વિશેષોની અપેક્ષા વિના માત્ર “વૃક્ષત્વ રૂપ સામાન્યનો જ બોધ થાય છે. જેમ ઘટનો ધવ-ખદિરાદિથી અલગ રૂપે બોધ થતો હોવાથી, ધવાદિથી ઘટ ભિન્ન છે, તેમ વૃક્ષનો પણ ધવ-ખદિરાદિથી અલગરૂપે બોધ થતો હોવાથી, ધવાદિથી વૃક્ષ પણ ભિન્ન છે. તેથી સામાન્ય તે વ્યક્તિથી ભિન્ન છે. (૨) પરંતુ જ્યારે સ્પષ્ટરૂપે ધવ-ખદિરાદિનો બોધ થાય છે, ત્યારે વિશેષથી જુદું સાધારણ તત્ત્વ નથી જણાતું. તેથી સામાન્ય તે વિશેષથી કથંચિત્ અભિન્ન પણ છે. વિશેષથી અભિન્ન એવા વિશેષના સ્વરૂપનો, જેમ અલગથી પ્રતિભાસ નથી થતો, તેમ સામાન્યનો પણ અલગથી પ્રતિભાસ નથી થતો, માટે સામાન્ય પણ વિશેષથી અભિન્ન હોવાથી વિશેષના ભેદે સામાન્યનો પણ ભેદ થાય છે. (૭૩) પ્રશ્ન- વિશેષથી અભિન્ન એવું સામાન્ય જ તાત્ત્વિક અને વાસ્તવિક છે, કારણ કે આવું સામાન્ય જ દાહ-પાકાદિ અર્થક્રિયામાં સક્ષમ છે અને જે અર્થક્રિયાકારી હોય તે જ વાસ્તવિક છે, | વિશેષથી ભિન્ન એવું સામાન્ય તો, કલ્પના બુદ્ધિથી જન્ય છે અને અર્થક્રિયામાં સક્ષમ ન હોવાથી, તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy