SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ O न्यायावतार - श्लो० २ भिन्नं पुनः कल्पनाबुद्धि विठपितत्वादवस्तुरूपमिति चेत्, न, द्वयोः प्रकाशमानयोरेकस्य निह्नोतुमशक्यत्वात्, अन्यथा भिन्नमेव रूपं स्वाभाविकमितरत्तु कल्पनाबुद्धिदर्शितमित्यपि वदतां न वदनभङ्गः स्यात् । अर्थक्रियाकारिताविशेषस्तु भिन्नेऽपि रूपे न दुरुपपादः, १२६ तस्यापि ज्ञानसाधारणव्यवहारकरणदक्षत्वात् । न चार्थक्रिया वस्तुलक्षणमिति निवेदयिष्यामः, –૦ન્યાયરશ્મિ – અવાસ્તવિક-અસત્ છે. ઉત્તરઃ- સામાન્યનો, વિશેષથી ભિન્નરૂપે પણ પ્રતિભાસ થાય છે અને અભિન્નરૂપે પણ પ્રતિભાસ થાય છે – આમ જો બંનેની અબાધિત પ્રતીતિ થતી હોય, તો બંનેમાંથી એકનો પણ અપલાપ કરવો ઉચિત નથી. છતાં પણ તમે અપલાપ કરશો તો “વિશેષથી ભિન્ન એવું સામાન્ય જ, સ્વાભાવિક અને વાસ્તવિક છે. બાકી અભિન્ન એવું સામાન્ય તો, કલ્પના બુદ્ધિથી જન્ય હોવાથી અવાસ્તવિક છે” - એવું બોલનારનું મોટું કઈ રીતે બંધ કરશો ? પ્રશ્ન:- વિશેષથી અભિન્ન સામાન્યની તો અબાધિત પ્રતીતિ થાય છે, માટે તેને અવાસ્તવિક શી રીતે કહેવાય ? ઉત્તરઃ- તો, વિશેષથી ભિન્ન સામાન્યની પણ અબાધિત પ્રતીતિ થાય છે, તો પછી તેને પણ અવાસ્તવિક શી રીતે કહેવાય ? માટે બેમાંથી એકેનો અપલાપ કરવો ઉચિત નથી. પ્રનિઃ- વિશેષથી અભિન્ન એવું સામાન્ય તો દાદાદિ અર્થક્રિયામાં સક્ષમ છે, માટે એને તો વાસ્તવિક માની શકાય છે. ઉત્તરઃ- તો પછી, વિશેષથી ભિન્ન એવું સામાન્ય વાસ્તવિક કેમ ન મનાય ? જ્ઞાન અને સાધારણ વ્યવહાર રૂપ અર્થક્રિયા તો, ભિન્ન એવું પણ સામાન્ય કરે છે. તે આ રીતે - ધવલ-ધાવલેય વગેરે વિશેષનો પ્રતિભાસ ન થયો હોય તો પણ “ગાય-ગાય” એમ સામાન્યાકારે થતું જ્ઞાન અને “આ ગાય છે – આ ગાય છે' એમ થતો સાધારણ વ્યવહાર, એ બંને, વિશેષથી ભિન્ન એવા સામાન્યથી જ થાય છે. એમ આવું સામાન્ય પણ અર્થક્રિયામાં સક્ષમ હોવાથી, આને પણ વાસ્તવિક માનવું જોઈએ. અને અર્થક્રિયાના આધારે વસ્તુવ્યવસ્થા ન થઈ શકે, કારણ કે અમે અથક્રિયાને, વસ્તુનું લક્ષણ માનતા નથી. કેમ નથી માનતા ? તે તો આગળ કહીશું. સારાંશ - તેથી વિશેષથી સામાન્ય ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. માટે ભેદની વિવેક્ષા હોય, ત્યારે પ્રમાણ એક જ રૂપે રહેશે અને અભેદની વિવેક્ષા હોય, ત્યારે વ્યક્તિભેદે સામાન્યનો પણ ભેદ –૦૩૫ર્થસંપ્રેક્ષ[— (१२५) विठपितत्वादिति । उपार्जने विपूर्वः ठप् सौत्रो धातुः । (१२६) तस्यापीत्यादि । तस्य विशेषभिन्नसामान्यस्य ज्ञानं च साधारणव्यवहारश्च तयोर्विधाने कुशलत्वात्, तथा हि-सामान्यं दूराद् धवलधावलेयादिविशेषाप्रतिभासेऽपि सामान्येन गौगौरिति ज्ञानं जनयति, तथा अयं गौरयं गौरिति साधारणव्यवहारं चेति । यदि पुनर्विशेषेभ्यो भिन्नं नाभ्युपगम्येत सामान्यम्, तदा तन्निबन्धनं ज्ञानं सादृश्यव्यवहारश्च प्रलयं यायादिति ।। २ ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy