SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ecco न्यायावतार ग्रहणपरिणामः समुल्लसति स परोक्षतां स्वीकरोति । न १२४चैतौ प्रकारौ विहाय प्रकारान्तरेण ज्ञानप्रवृत्तिं पश्यामः, न चापश्यन्तः प्रमाणान्तरपरिकल्पनं क्षमामहे, न च द्वयोः प्रथमानयोरेकं निनुवानमुपेक्षामहे, विशेषाभावात्; तस्मादेतदेव द्वैविध्यमुररीकर्तव्यमिति स्थितम् ।। १ ।। ७१. सांप्रतं यदस्माभिः प्राग् विवृण्वद्भिर्युदपादि, यदुत विप्रतिपन्नाव्युत्पन्नव्यामोहापोहसहमिहेदं प्रमाणलक्षणमिति तत्सूत्रदर्शनादेव विमलबुद्धयोऽवगच्छेयुः । मन्दमतयस्तु तावता न भोत्स्यन्त इति तद्धितविधित्सया व्यक्तं प्रमाणलक्षणाभिधानफलं प्रतिपिपादयिषुरपि सपूर्वपक्ष निराकाङ्क्ष लक्षयेयुस्ते इति तावत् पूर्वपक्षमुत्थापयन्नाह –૦ન્યાયરશ્મિ - પ્રશ્નઃ- પરોક્ષનો વિષય “સામાન્યાકાર' તે નિયત-અનિયત કેમ કહેવાય છે ? ઉત્તરઃ- કારણ કે જ્યારે વહ્નિનું પરોક્ષ થાય, ત્યારે ઘટાદિથી વ્યાવૃત્ત રૂપે માત્ર વહ્નિનો જ બોધ થાય છે માટે નિયત છે) અને તે અગ્નિ ઘાસની છે કે લાકડાની ? એવી કોઈ ચોક્કસ અગ્નિનો બોધ નથી થતો માટે અનિયત છે) એમ પરોક્ષનો વિષયભૂત સામાન્યાકાર, વિજાતીયથી વ્યાવૃત્ત હોવાથી નિયત છે અને સજાતીયથી અવ્યાવૃત્ત હોવાથી અનિયત છે. તથા જેમ સામે પડેલો ઘટ દેખાય, ત્યારે નિયત ઘટ છે. “ઘટ’ શબ્દથી ઘટનું જ્ઞાન થાય, તે કોઈને સંદર્ભથી ચોક્કસ ઘડો જણાય તો નિયત, કોઈ પણ ઘડો જણાય તો અનિયત. આમ દેશ-કાળની અપેક્ષાએ પણ સામાન્યાકાર નિયતાનિયત બની શકે. આમ જ્ઞાનની પ્રવૃત્તિ બે રીતે જ થતી જોવાય છે, એટલે બીજા પ્રમાણોની કલ્પના કરવાનું કંઈ પ્રયોજન નથી. આમ જ્યારે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રમાણોની, નિબંધ પ્રવૃત્તિ થતી હોય, ત્યારે આ બેમાંથી એકનો પણ લોપ કરનાર વ્યક્તિની, અમે ઉપેક્ષા ન જ કરી શકીએ, કારણ કે પ્રમાણ રૂપે તો બંને સમાન છે, તો પછી એકનો પણ લોપ શી રીતે કરાય ? તેથી પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે પ્રમાણની દ્વિવિધતા સ્વીકારવી જ જોઈએ, એમ નિષ્કર્ષ થયો. (૧) (૭૧) અમારા વડે, પૂર્વે વિવરણ કરતા કહેવાયું હતું કે પ્રમાણનું લક્ષણ તે વિપ્રતિપન્ન (જેઓ તે અંગેના ભ્રમમાં છે તે) જીવો અને અવ્યુત્પન્ન (જેઓને પ્રમાણનો ખ્યાલ જ નથી તે) જીવો - આ બંને પ્રકારના જીવોના મોહને દૂર કરવા માટે કરાઈ રહ્યું છે, તેથી નિર્મળ બુદ્ધિવાળા જીવોને તો, પ્રમાણસ્વરૂપદર્શક એવા સૂત્રથી જ એ વાત સમજાઈ જશે પણ મંદ બુદ્ધિવાળા જીવો, એટલું કહેવા માત્રથી ન સમજે, પરંતુ ફળ પણ કહેવું પડે. તેથી મંદબુદ્ધિવાળા જીવોનું હિત કરવાની ઈચ્છાથી, ગ્રંથકારશ્રી પ્રમાણલક્ષણના અભિધાનનું ફળ શું છે ? તે વ્યક્ત રીતે - સ્પષ્ટ રીતે પ્રતિપાદન કરવા ઈચ્છે છે. જો પૂર્વપક્ષ ઉપાડીને, ફળનું પ્રતિપાદન કરવામાં આવે, તો મંદબુદ્ધિવાળા જીવોને એવો બોધ થશે, કે જેથી કોઈ જ આકાંક્ષા શેષ નહીં રહે. માટે ગ્રંથકારશ્રી પૂર્વપક્ષનું ઉત્થાપન કરતા કહે છે – – મર્થpક્ષા— (૧૨૪) તો પ્રત્યક્ષપરોક્ષરૂપી || ૧ || Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy