SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ નિમંત્રણા સામાચારી, ગાથા : ૬૪ રૂતિ વધ્યમ ૬૪ ટીકાર્ચ - “માધુસં તિ’ | એ ગાથાનું પ્રતીક છે. ગતિ ચતુષ્ટયાત્મક સંસારમાં મનુષ્યપણું અતિ દુર્લભ છે અતિ દુખેથી પ્રાપ્ત થાય છે, કેમ કે બાદરપણું, ત્રાસપણું, પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું આદિની પ્રાપ્તિનું, ઉત્તરોત્તર પ્રકષશાળી પુણ્યસંચયથી પ્રાપ્તપણાનું કથન છે. ક્યાં, કોની જેમ ?=ક્યાં, કોની જેમ મનુષ્યપણું દુર્લભ છે ? તે દાંતથી બતાવતાં કહે છે – મરૂભૂમિમાં કલ્પતરુની જેમ મનુષ્યપણું દુર્લભ છે, એમ અવય છે. જે કારણથી તે દેશમાં-મરભૂમિમાં, નીરસપણું હોવાને કારણે વૃક્ષાત્તર પણ પ્રાપ્ત થતાં નથી, ત્યાં મરભૂમિમાં, નંદનવનના પ્રદેશમાં ઉત્પન્ન થનારા કલ્પવૃક્ષની સંભાવના પણ ક્યાંથી હોય? અર્થાત્ ન હોય. અને જે પ્રમાણે ત્યાં પણ મરૂભૂમિમાં પણ, ક્યારેક, પ્રથમ આરાદિમાં થનાર યુગલિક લોકોના મહિમાથી કલ્પતરુનો પણ સંભવ છે, તે પ્રમાણે સંસારમાં પણ ક્યારેક પુણ્યતા અતિશયથી મનુષ્યપણાના લાભનો પણ સંભવ છે. આ રીતે-પૂર્વમાં બતાવ્યું. એ રીતે, અતિદુષ્કર એવા આને મનુષ્યપણાને, પ્રાપ્ત કરીને, સદા=હંમેશાં, અપ્રમત્ત જગપ્રમાદરહિત જ થવું જોઈએ. અને આ રીતે આ ઉપદેશ આપ્યો એ રીતે, આ ઉપદેશથી પરિકર્મિત મતિવાળાને મતિભ્રંશરૂપ આલસ્યાદિનો અભાવ હોવાથી મોક્ષની ઈચ્છા ક્યારેય પણ વિચ્છેદ પામતી નથી, એ પ્રમાણે જાણવું. I૬૪ના * ‘માનુણાતિ” અહીં ‘’િ પદથી આર્યદેશ, આર્યકુળ, ધર્મસામગ્રી વગેરે ગ્રહણ કરવું. *‘વૃક્ષાન્તરમ' અહીં થી એ કહેવું છે કે, મરૂભૂમિમાં કલ્પવૃક્ષ તો નથી મળતું પણ બીજાં વૃક્ષો પણ નથી મળતાં. * “વત્પતરુમાવના' અહીં ‘પ થી એ કહેવું છે કે, કલ્પતરુ તો ન હોય, તેની સંભાવના પણ ન હોય. *‘તત્રપિ' અહીં પિ' થી એ કહેવું છે કે, અન્યત્ર તો કલ્પતરુ હોય પણ મભૂમિમાં પણ કલ્પવૃક્ષ સંભવે. * ‘અલ્પતરોર અહીં ‘’ થી અન્ય વૃક્ષનો સમુચ્ચય કરવો. ‘સંસારેડજિ' અહીં થી એ કહેવું છે કે, પ્રથમ આરામાં ક્વચિત્ મરૂભૂમિમાં તો કલ્પવૃક્ષ સંભવે, તેમ સંસારમાં પણ ક્વચિત્ મનુષ્યભવનો લાભ સંભવે. ‘સંમોડ'િ દુરંત એવા આ સંસારમાં દુર્ગતિઓ ઘણી હોવાથી મનુષ્યભવનો અસંભવ તો છે જ, પરંતુ ક્યારેક પુણ્યના ઉદયથી સંભવ પણ છે, એમ ‘પ' થી કહેવું છે. * માતચરિ’ અહીં ’િ પદથી સંસારના અન્ય કોઈ ભોગાદિ પદાર્થની ઈચ્છાને ગ્રહણ કરવાની છે. * ‘ વ રિ મોક્ષની આકાંક્ષાનો સર્વકાળ તો વ્યવચ્છેદ થતો નથી, પરંતુ થોડીવાર પણ વ્યવચ્છેદ થતો નથી, તેનું ‘વ’ થી ગ્રહણ કરવાનું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy