________________
૩પ૬
નિમંત્રણા સામાચારી / ગાથા : ૬૩ તત્ત્વના જાણનાર સાધુને ક્ષયોપશમવિશેષથી પ્રગુણીકૃત શક્તિવિશેષ પ્રગટેલી હોય છે, એમ કહ્યું, એનો આશય એ છે કે, જે સાધુને ભગવાનના વચનથી સંસારના વાસ્તવિક સ્વરૂપને જોઈ શકે તેવો નિર્મળ બોધ પ્રગટ્યો છે અને તેના કારણે સંસારની ભોગાદિ સર્વ પ્રવૃત્તિઓ ઈન્દ્રજાળ જેવી અર્થાત્ સાર વગરની જણાય છે, જેથી સંસારના રમ્ય પદાર્થો પ્રત્યે જેઓને લેશ પણ આકર્ષણ નથી, માત્ર આત્માની નિર્લેપ દશાને પ્રગટ કરવા માટે બદ્ધમાનસ થયું છે, તેવા સાધુઓ અસ્મલિત મોક્ષમાર્ગમાં યત્ન કરી શકે છે.
અહીં કહ્યું કે, મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ, પ્રતિકૂળ ઈચ્છા વડે અપ્રતિબંધને કારણે છે અને અપ્રમાદભાવના કારણે છે. તેનાથી એ કહેવું છે કે મોક્ષની ઈચ્છા એટલે સર્વ ઈચ્છાના ઉચ્છેદની ઈચ્છા; કેમ કે ભાવથી મોક્ષ અનિચ્છારૂપ છે અને અનિચ્છાની ઈચ્છા એ પરમાર્થથી મોક્ષની ઈચ્છા છે, અને તેનાથી પ્રતિકૂળ એવી જે ઈચ્છા તે સંસારના બાહ્ય પદાર્થો વિષે કોઈક પદાર્થની ઈચ્છાસ્વરૂપ છે. જેમ શરીરની શાતાવિષયક ઈચ્છા અથવા તો ઈન્દ્રિયોના અનુકૂળ વિષયોની ઈચ્છા અથવા તો માન-સન્માનની ઈચ્છા, આ સર્વ ઈચ્છાઓ મોક્ષની ઈચ્છાને પ્રતિકૂળ ઈચ્છાઓ છે; અને આવી ઈચ્છાઓ જેઓની શાંત થયેલી છે, તેવા મુનિઓની મોક્ષની ઈચ્છાનો પ્રતિબંધ મોક્ષની ઈચ્છાને પ્રતિકૂળ એવી ઈચ્છા વડે થતો નથી=મોક્ષની ઈચ્છા અટકતી નથી. વળી, પોતાને પ્રગટ થયેલી મોક્ષની ઈચ્છાને જીવંત રાખવા માટે મુનિઓ સતત તત્ત્વનું અવલોકન કરીને અપ્રમાદભાવને જાગૃત કરે છે, તેથી મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ છે. નિષ્કર્ષ:
ગાથા-૯૩ની ટીકાના અંતે કહેલ ત્રણ ગુણયુક્ત મુનિઓને વિવેકની ઉત્પત્તિ દ્વારા ક્રમશઃ મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ વર્તે છે. તે આ રીતે – (૧) ક્ષયોપશમવિશેષને કારણે આત્મિક ભાવોને વિકસાવવાની પ્રગટ થયેલી અદ્ભુત શક્તિવાળા,
(૨) સંસારનો વિચ્છેદ કરવાના મહાઆશયવાળા અને
(૩) સંસારને જેમણે ગોષ્પદ જેવો કર્યો છે તેવા સાધુઓને મોક્ષની પ્રવૃત્તિના અવિચ્છેદનાં ક્રમશઃ કારણો :
નિરંતર ભગવદ્ વચન પરિભાવનરૂપ વિવેકની ઉત્પત્તિ,
મોક્ષને પ્રતિકૂળ ઈચ્છા વડે મોક્ષની ઈચ્છાનો અપ્રતિબંધ અને અપ્રમાદભાવ,
મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ,
મોક્ષના ઉપાયમાં ઈચ્છાનો અવિચ્છેદ, અને તેથી
મોક્ષની પ્રવૃત્તિનો અવિચ્છેદ.II૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org