SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ અને આ તા . 5. caca E M T - SAT STICS ૩૫૪ નિમંત્રણા સામાચારી / ગાથા ૬૩ नैरन्तर्येण भवतीति शेषः । हंदि इत्युपदर्शने, एष च=इच्छाऽविच्छेदश्च परिणतजिनवचनानां सम्यक् श्रद्धागोचरीकृतप्रवचनतत्त्वानां महानुभावानां महाप्रभावानां भवति । ટીકાર્ય : ચ્છ gિ I એ ગાથાનું પ્રતિક છે. ઈચ્છાનો મોક્ષની આકાંક્ષાનો, અવિચ્છેદ હોવાના કારણે તેરન્તર્યને કારણે, કાર્યોદ્યોગ-કૃત્યમાં ઉદ્યમ, પ્રતિસમય-સમયે સમયે, હોય જિતવચનવાળા એવા=સમ્યફ શ્રદ્ધાના વિષયરૂપે કરાયેલ પ્રવચનતત્વવાળા એવા, મહાનુભાવોને મહાપ્રભાવવાળાઓને, હોય છે. ગાથામાં કહેલ “ઇંદ્રિ' ઉપદર્શનમાં છે=આગળમાં જે બતાવવાનું છે, તે બતાવવા માટે છે. ગાથામાં ભવત્તિ અધ્યાહાર છે. તેથી ટીકામાં આવતીતિ શેષ: કહેલ છે. ભાવાર્થ અવતરણિકામાં પ્રશ્ન કર્યો કે, જે સાધુ સ્વાધ્યાયઆદિથી થાકેલા હોય તેવા સાધુ વૈયાવચ્ચ આદિમાં ઉદ્યમ કેવી રીતે કરી શકે ? તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે કે, જે સાધુને મોક્ષપ્રાપ્તિ કરવાની સતત આકાંક્ષા વર્તે છે, તેવા સાધુ મોક્ષને અનુકૂળ એવા ઉચિત કાર્યમાં પ્રતિસમય ઉદ્યમવાળા હોય છે. તેથી જ્યારે સ્વાધ્યાય આદિ માટે માનસિક યત્ન કરવા સમર્થ ન હોય ત્યારે તે વિચારે છે કે, “અત્યારે જો હું સ્વાધ્યાય આદિમાં ઉદ્યમ કરું તો તે પ્રકારના સંવેગની વૃદ્ધિ થઈ શકે તેમ નથી, કેમ કે અત્યાર સુધીના મારા સ્વાધ્યાયના શ્રમથી હું શ્રાત્ત છું, તેથી હવે તે પ્રકારનો ઉદ્યમ કરીને હું નિર્જરા પ્રાપ્ત કરી શકું તેમ નથી, પરંતુ જે અન્ય સાધુઓ સંયમની આરાધના કરે છે, તેઓની ભક્તિ કરીને હું નિર્જરા કરી શકું તેમ છું; અને ભગવાનની આજ્ઞા છે કે, જેમાં પોતાની શક્તિ પ્રવર્તાવવાથી સંવેગની વૃદ્ધિ થાય તેમાં ત્યારે યત્ન કરવો જોઈએ.” આ પ્રકારના અધ્યવસાયને કારણે સ્વાધ્યાય આદિથી શ્રાન્ત થયેલા સાધુ પણ વૈયાવચ્ચમાં ઉદ્યમ કરે છે, અને આવી અવિચ્છિન્ન મોક્ષની ઈચ્છા, જે સાધુઓ ભગવાનના વચનના પરમાર્થને સમજેલા છે અને મોક્ષમાર્ગમાં યત્ન કરવા માટે મહાપ્રભાવવાળા છે, તેઓ કરી શકે છે. માટે સ્વાધ્યાય આદિથી શ્રાન્ત થયેલા સાધુ પણ નિમંત્રણા સામાચારીમાં અવશ્ય યત્ન કરે છે. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, સાધુઓને મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ હોવાના કારણે પ્રતિસમય કાર્યમાં ઉદ્યમ હોય છે. આવા કાર્યનો ઉદ્યમ કેવા મુનિને હોય છે અને કેમ હોય છે, તે અનુભવથી બતાવે છે – ટીકા - मोक्षोपायेच्छाऽविच्छेदेन हि प्रवृत्त्यविच्छेदः, तदविच्छेदश्च मोक्षेच्छाऽविच्छेदात्, तदविच्छेदश्च Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy