________________
૩૪૨
છંદના સામાચારી / ગાથા : ૬૦
(૧) છંદક મહાત્માને મોક્ષ ઈષ્ટ છે અને મોક્ષના ઉપાયરૂપે વૈયાવચ્ચ ઈષ્ટ છે, તેથી છંઘના જ્ઞાનાદિનો ઉપખંભ થાય તેવી ઈચ્છાથી વિવેકી છંદક તેનું વૈયાવૃત્યાદિ કૃત્ય કરે છે, કેમ કે છંઘના જ્ઞાનાદિની વૃદ્ધિ થાય તેવી પ્રવૃત્તિ પોતાને પણ નિર્જરાપ્રાપ્તિ દ્વારા જ્ઞાનાદિનું નિમિત્ત બને છે. તેથી છંદકને પોતાના મોક્ષના ઉપાયરૂપે છંઘના જ્ઞાનાદિ ઉપખંભમાં ઈચ્છા વર્તે છે.
(૨) પરંતુ જે આવા વિવેકવાળા નથી એવા છંદક પણ મોક્ષના અર્થી હોઈ તેના ઉપાયરૂપે છંદનું વિયાવૃજ્યાદિ કૃત્ય કરે છે, પરંતુ તેનાથી છંઘના જ્ઞાનાદિકનો ઉપખંભ થાય છે કે નહીં તે તરફ તેમનું લક્ષ્ય નથી હોતું, તેથી આવો વિચાર કરતા નથી; અને ‘હું વૈયાવચ્ચ કરનારો છું' એવી લોકમાં ખ્યાતિની ઈચ્છાથી તથા પ્રસંગે પ્રસંગે મળતી અનેક અનુકૂળતાના અવ્યક્ત અભિલાષથી વિશેષ ઉત્સાહિત થઈને, જ્યારે મોક્ષના ઉપાયરૂપે વૈયાવચ્ચનું પ્રતિસંધાન કરીને પ્રવૃત્તિ કરે છે, ત્યારે મોક્ષના અનુપાય એવા કર્યાદિ અર્થે કરાતા વૈયાવચ્ચમાં મોક્ષના ઉપાયપણાની બુદ્ધિ થવાથી અજ્ઞાનનિમિત્તક કર્મબંધ થાય છે; કેમ કે ગુણવાનના ગુણોનો પક્ષપાત થાય તે રીતે વૈયાવચ્ચ કરે તો મોક્ષનો આશય પુષ્ટ બને છે, પરંતુ તેવો કોઈ વિચાર કર્યા વગર પ્રવૃત્તિ કરે તો મોક્ષનો આશય પુષ્ટ બનતો નથી અને કીર્તિ આદિની ઈચ્છા તેને પ્રવૃત્તિમાં ઉત્સાહિત કરે છે. તેથી તે વૈયાવચ્ચની પ્રવૃત્તિથી અજ્ઞાનનિમિત્તક કર્મબંધ થાય છે.
આશય એ છે કે, ગુણવાનના ગુણોને જોઈને તેના ગુણોની વૃદ્ધિમાં હું નિમિત્ત બનું, તેવા અધ્યવસાયપૂર્વક જ્યારે છંદક વૈયાવૃત્ય કરે ત્યારે તે જ્ઞાનાદિ ગુણો પ્રત્યેના તીવ્ર પ્રતિબંધથી નિર્જરા થાય છે. જ્યારે આ અવિવેકી સાધુને છંઘના જ્ઞાનાદિની વૃદ્ધિમાં મારું વૈયાવચ્ચ કારણ બનશે કે નહીં તેનો વિચાર નથી, માત્ર વૈયાવૃત્ય કરે છે. તેથી લોકમાં જે ખ્યાતિ થાય છે, તેમાં મોક્ષના ઉપાયનો જે બોધ થયો તે અજ્ઞાનનિમિત્તક છે. તેથી તેની વૈયાવચ્ચમાં પણ અજ્ઞાનનિમિત્તક કર્મબંધ થાય છે.
(૩) હવે ત્રીજા પ્રકારના જે છંદકને મોક્ષની ઈચ્છાને આધીન વૈયાવૃજ્યની ઈચ્છા નથી અર્થાતુ મોક્ષની ઈચ્છા છે માટે વૈયાવૃજ્યની ઈચ્છામાં પ્રવૃત્તિ નથી, પરંતુ મારે વૈયાવચ્ચ કરવું છે, તેટલી જ માત્ર ઈચ્છાથી વૈયાવૃજ્યમાં પ્રવૃત્તિ છે, તેવા જીવોને આશ્રયીને કોઈને ભ્રમ થાય કે, તેઓની વૈયાવૃજ્યની ઈચ્છા નિરુપાધિક ઈચ્છા છે; કેમ કે અન્ય ઈચ્છાને આધીન ઈચ્છા હોય તે સોપાધિક ઈચ્છા કહેવાય.
(૧) અને (૨)માં બતાવેલ બંને છંદકમહાત્મા અર્થાત્ વિવેકી છંદક મહાત્મા અને અજ્ઞાની છંદક મહાત્મા મોક્ષની ઈચ્છાવાળા છે, અને તેથી મોક્ષની ઈચ્છાને આધીન મોક્ષના ઉપાયભૂત વૈયાવચ્ચમાં ઈચ્છાવાળા છે, જેમાં (૧) એકને વિવેકને કારણે છંઘના જ્ઞાનાદિ ઉપખંભરૂપ સમ્યગુ ઉપાયમાં ઈચ્છા છે, જ્યારે (૨) બીજાને અજ્ઞાનને કારણે કીત્યંદિરૂપ અસમ્યગુ ઉપાયમાં ઈચ્છા છે, પણ બંનેને મોક્ષની ઈચ્છાને આધીન વૈયાવચ્ચની ઈચ્છા છે, માટે સોપાધિક ઈચ્છા છે. જ્યારે આ (૩) ત્રીજા મહાત્માને મોક્ષની ઈચ્છા વિના પણ સાક્ષાત્ વૈયાવૃજ્યની ઈચ્છા છે, તેથી તેમને નિરુપાધિક ઈચ્છા છે, આવો કોઈને ભ્રમ થાય, તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
નિરુપાધિક ઈચ્છા વૈયાવચ્ચમાં સંભવે નહીં. નિરુપાધિક ઈચ્છા=અન્ય ઈચ્છાને આધીન થયેલી ઈચ્છા નહીં, પરંતુ સહજ થયેલી ઈચ્છા, અને તે ઈચ્છા તો સુખમાં કે દુઃખહાનિમાં સંભવે છે; તે સિવાય જ્યાં જ્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org