SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ છંદના સામાચારી/ ગાથા : પલ ૩૩૭ છંઘ મહાત્માની ભક્તિ કરતાં એવો અધ્યવસાય હોય છે કે, “આ મહાત્મા મારી ભિક્ષા ગ્રહણ કરીને પોતાનાં જ્ઞાનાદિની વિશેષ પ્રકારની સાધના કરી શકશે, તેથી હું તેમની ભક્તિ કરીને તેમનાં જ્ઞાનાદિની વૃદ્ધિમાં નિમિત્ત બને કે જેથી તત્કત નિર્જરાની મને પ્રાપ્તિ થાય.” આ અધ્યવસાયથી નિર્જરારૂપ ઈષ્ટની પ્રાપ્તિ તેને થાય છે. પરંતુ આવા અધ્યવસાય વિના માત્ર વગર વિચારે કોઈ પણ પ્રકારની વૈયાવચ્ચ કરે અથવા તો ભક્તાદિ આનયનરૂપ કૃત્ય કરતાં વ્યક્ત કે અવ્યક્તરૂપે એવો અભિલાષ રાખે કે કાલાંતરે આ છંદ્ય પણ તથાવિધ મારા સંયોગ ઉપસ્થિત થયે છતે મને ભોજનાદિ લાવી આપશે કે વસ્ત્રાદિનું દાન કરશે, અને વર્તમાનમાં પણ “હું વૈયાવચ્ચ કરનાર છું” તેવી શ્લાઘા મને પ્રાપ્ત થશે, આવા આશયથી જો છંદક છંઘની વૈયાવચ્ચ કરે તો તેનાથી કર્મબંધરૂપ અનિષ્ટની પ્રાપ્તિ થાય છે. પરંતુ માત્ર છંઘના જ્ઞાનાદિની વૃદ્ધિના અભિલાષથી છંદક વૈયાવૃત્ય કરે તો પોતે ભિક્ષા લાવવાની ક્રિયા માટે જે શ્રમ કર્યો છે, તેટલો જ શ્રમ પોતાને અનિષ્ટરૂપ=અશાતારૂપ હોવા છતાં કોઈ કર્મબંધરૂપ બલવાન અનિષ્ટની પ્રાપ્તિ નથી. તેથી તે વૈયાવૃજ્ય બલવત્ અનિષ્ટ અનનુબંધી છે અને પોતાને નિર્જરારૂપ ઈષ્ટનું સાધન બને છે અર્થાત્ છંદકને ઈષ્ટ એવી નિર્જરાની પ્રાપ્તિ થાય છે. એ બતાવવા માટે ટીકામાં કહ્યું કે “છંદકનું વૈયાવૃત્ત્વકરણ બલવદ્ અનિષ્ટનું અનનુબંધી એવું ઈષ્ટનું સાધન છે.” ટીકામાં, “જ્ઞાન છે આદિમાં જેને એવા તપ-સંયમના ઉત્કર્ષાદિની વૃદ્ધિ માટે છંદક ભક્તાદિ લાવવારૂપ કૃત્ય કરો,’ એ પ્રમાણેનું કથન કર્યું, ત્યાં પ્રશ્ન થાય કે, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયીની વૃદ્ધિ ન લેતાં જ્ઞાનતપ-સંયમનો ઉત્કર્ષ કેમ હ્યો ? તેનું સમાધાન એ છે કે, વ્યવહારનયની દૃષ્ટિવિશેષથી જ્ઞાન-તપ-સંયમ જે મોક્ષનાં કારણ તરીકે કહેલ છે, તેનું અહીં ગ્રહણ કરેલ છે. કહ્યું છે કે – “णाणं पगासगं सोहणो तवो संजमो य गुत्तिकरो तिण्हंपि समाओगो मोक्खो जिणसासणे भणिओ ।।" જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે અને સંયમ ગુપ્તિને કરનાર છે, જિનશાસનમાં આ ત્રણનો સમન્વય મોક્ષ કહ્યો છે. જેમ ખુલ્લાં બારી-બારણાના કારણે કચરાથી ભરેલા અંધારા ઓરડાને સાફ કરવો હોય તો પ્રથમ તેમાં પ્રકાશ કરવો જોઈએ, પછી ખુલ્લાં રહેલાં બારી-બારણાંને બંધ કરવાં જોઈએ અને પછી જ કચરો સાફ કરવો જોઈએ; તે જ રીતે મોક્ષનું કારણ પ્રકાશસ્થાનીય જ્ઞાન છે, આત્મામાં આવતા કચરાને અટકાવવા સ્થાનીય સંયમ છે અને આત્માના કચરાને દૂર કરવા સ્થાનીય તપ છે. આથી તે ત્રણેને મોક્ષના કારણ તરીકે કહેલ છે. તેથી જ્ઞાન, તપ અને સંયમ અહીં ગ્રહણ કરેલ છે. અને જ્ઞાન છે આદિમાં જેને એવાં તપ-સંયમાદિ ગ્રહણ ન કરતાં તપ-સંયમના ઉત્કર્ષાદિને ગ્રહણ કર્યું. તેનાથી એ કહેવું છે કે, તપ-સંયમવાળા સાધુ જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરે છે, તેમ તેમ તપ-સંયમનો ઉત્કર્ષ થાય છે; કેમ કે શાસ્ત્રનો બોધ વધે તેમ સંવેગ વધે અને તેના કારણે તપ-સંયમ પણ ઉત્કર્ષવાળા થાય છે. તેથી એ ફલિત થાય કે, છંઘના તપ-સંયમના ઉત્કર્ષ અર્થે જ્ઞાનનો ઉત્કર્ષ આવશ્યક છે અને તેના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy