________________
છંદના સામાચારી / ગાથા : ૫૯
૩૩૫
દાનગ્રહણજન્ય જે હર્ષવિશેષ થાય છે, તેના કારણે જે નિર્જરાવિશેષ થાય છે, તેના પ્રતિ વ્યવહારનય દાનને કારણ માને છે; જ્યારે નિશ્ચયનય તો કહે છે કે, છંદ્ય દાન ન ગ્રહણ કરે તો પણ છંદકને વિધિપાલનથી ઉત્પન્ન થયેલ અનુમોદનાનો પરિણામવિશેષ થાય છે, અને ભાવનો ઉત્કર્ષ તો ક્યારેક છંદ્યના દાનગ્રહણકાળમાં પણ હોઈ શકે અને ક્યારેક છંઘ દાન ન ગ્રહણ કરે ત્યારે પણ પોતાના વિધિપાલનના પરિણામની અનુમોદનાજન્ય ભાવનો ઉત્કર્ષ હોઈ શકે; અને આથી કોઈક સ્થાનમાં છંઘે દાન ગ્રહણ ન કર્યું હોવા છતાં પણ પોતે જે ભગવાનના વચનાનુસાર છંદના સામાચારીના પાલનમાં પૂર્ણ યત્ન કર્યો છે અને તેનાથી ભાવનો ઉત્કર્ષ થાય તો સાધુ અસંગભાવને પણ પામી શકે છે, ક્ષપકશ્રેણીને પણ પામી શકે છે અને યાવતુ કેવળજ્ઞાનને પણ પ્રાપ્ત કરી શકે છે. તેથી ભાવના ઉત્કર્ષના નિયામકરૂપે વ્યવહારનય દાનગ્રહણને સ્વીકારે છે, તે બહુલતાવ્યાપી હોવા છતાં ક્વચિત્ દાન વગર પણ ભાવ થાય છે તેવા સ્થાનમાં વ્યભિચાર પ્રાપ્ત હોવાના કારણે સર્વત્રવ્યાપી નથી. માટે નિશ્ચયનય દાનગ્રહણને ભાવના ઉત્કર્ષમાં હેતુ માનતો નથી, જ્યારે નિર્જરા ઉત્કર્ષ પ્રત્યે અર્થાત્ દાનના અગ્રહણકાળમાં થતી નિર્જરા કરતાં અધિક નિર્જરા પ્રત્યે, દાનનું ગ્રહણ બહુલતાવ્યાપી હોવાના કારણે વ્યવહારનય દાનગ્રહણને ભાવના ઉત્કર્ષમાં કારણ માને છે. પિતા અવતરણિકા -
अथ कथं प्रवर्त्तमानस्य छन्दकस्य लाभो भवति? कथं वा न ? इत्यनुशास्ति - અવતરણિતાર્થ :
હવે કેવી રીતે પ્રવર્તમાન છંદકને લાભ થાય છે? અથવા કેવી રીતે પ્રવર્તમાન છંદકને લાભ નથી થતો ? એ પ્રમાણે બતાવે છે – ભાવાર્થ :
છંદક પૂર્વગૃહીત અશનાદિની નિમંત્રણા કયા આશયથી કરે તો નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય ? અને કયા આશયથી કરે તો નિર્જરા ન થાય ? તેને બતાવતાં કહે છે –
ગાથા -
नाणादुवग्गहस्सासंसाए छंदगो कुणउ किच्चं । ण य पत्थिंतो तत्तो पच्चुवयारं च कित्तिं च ।।५९।।
છાયા :
ज्ञानाद्युपग्रहाशंसया छन्दकः करोतु कृत्यम् । न च प्रार्थयमानस्ततः प्रत्युपकारं च कीर्तिं च ।।५९ ।।
અન્વયાર્થ :
નાનકુવાદાસ્તાસંસાણજ્ઞાનાદિવૃદ્ધિની આશંસાથી ઈચ્છાથી ઇંદ્રનો છંદના સામાચારી કરનાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org