SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ છંદના સામાચારી / ગાથા : ૫૮ કેમ કે દાસ જેમ સ્વામીને આધીન છે, તેમ ભાવવિશેષ દાનને આધીન છે, તેથી દાન સ્વામી સ્થાનીય છે અને ભાવવિશેષ સેવકસ્થાનીય છે. અને જેમ સ્વામીના ધનના બળથી જ સેવક ગધેડો ખરીદી શકે છે, માટે તે ગધેડો સ્વામીનો છે, તેમ દાનના બળથી જ ભાવવિશેષ નિર્જરાને પેદા કરી શકે છે, તેથી તે નિર્જરા દાનની જ છે. આ ન્યાયથી દાનને નિર્જરા પ્રત્યે હેતુ માનવામાં આવે તો ઘટાદિ કાર્ય પ્રત્યે દંડના અવયવોમાં પણ હેતુત્વના વ્યવહારનો પ્રસંગ આવશે, એ પ્રમાણે નિશ્ચયનય કહે છે. તાત્પર્ય એ છે કે છંઘે ગ્રહણ કરેલા દાનના કારણે છંદકને જે ભાવવિશેષ થયો તે ભાવવિશેષને પેદા કરીને છંદકનું દાન ચરિતાર્થ થઈ ગયું તેમ માનવામાં ન આવે, અને કહેવામાં આવે કે જેમ દંડ ભ્રમિ=ભ્રમણ, પેદા કરીને ઘટને પેદા કરે છે, તેમ આ દાનક્રિયા ભાવવિશેષને પેદા કરીને નિર્જરા કરાવે છે, માટે દાન પણ નિર્જરા પ્રત્યે કારણ છે; અને તે સ્વીકારવા માટે વાળ ને રવરો ..... એ ન્યાયનું અવલંબન લેવામાં આવે, અને કહેવામાં આવે કે દાનમાં ભાવવિશેષ પેદા કરવાનું સામર્થ્ય છે, માટે તે સ્વામી છે; અને જેમ દંડમાં ભૂમિ પેદા કરવાનું સામર્થ્ય છે, માટે જેમ ચક્રભૂમિ દ્વારા દંડ ઘટરૂપ કાર્ય પ્રતિ કારણ છે, તેમ દાન પણ પોતાને આધીન એવા ભાવ દ્વારા નિર્જરા કરે છે, માટે નિર્જરા પ્રત્યે દાન પણ હેતુ છે; તો નિશ્ચયનય તેને કહે છે કે, તે રીતે દંડના અવયવોને આધીન દંડની નિષ્પત્તિ છે, માટે દંડના અવયવોને પણ દંડનિષ્પત્તિ દ્વારા ઘટના કારણરૂપે સ્વીકારવાનો પ્રસંગ આવશે. અર્થાત્ જેમ સ્વામીને આધીન દાસ છે, તેમ દંડના અવયવોને આધીન દંડ છે, અને દાસે ગધેડો ખરીદ કર્યો તે સ્વામીનો છે, તેમ દંડે જે ઘટરૂપ કાર્ય ઉત્પન્ન કર્યું, તે દંડના અવયવોનું છે, તેમ માનવું પડે. તેથી દંડના અવયવો ઘટ પ્રતિ કારણ છે, તેમ સ્વીકારવાનો પ્રસંગ આવશે. પરંતુ ઘટ પ્રતિ દિંડના અવયવોને તો વ્યવહારનય પણ કારણ માનતો નથી. તેથી જેમ ઘટરૂપ કાર્ય પ્રતિ દંડના અવયવો કારણ નથી, પરંતુ દંડના અવયવો દંડને પેદા કરીને ચરિતાર્થ થઈ જાય છે, તેમ દાન પણ ભાવવિશેષને પેદા કરીને ચરિતાર્થ થઈ જાય છે, તેમ માનવું ઉચિત છે; પરંતુ દાન ભાવવિશેષ દ્વારા નિર્જરાનું કારણ છે, તેમ માનવું ઉચિત નથી. આ પ્રકારનું નિશ્ચયનયનું તાત્પર્ય છે. વ્યવહારનય પણ દંડને જેમ ભ્રમિ દ્વારા ઘટ પ્રત્યે કારણ માને છે, તેમ દાનને અધ્યવસાયવિશેષ દ્વારા નિર્જરા પ્રત્યે જે કારણ માને છે, તે પણ નિર્જરારૂપ ફળવિશેષ=અધિક નિર્જરારૂપ ફળ, પ્રત્યે જ છે, પણ નિર્જરારૂપ ફળસામાન્ય પ્રત્યે કારણ નથી; કેમ કે દાન વગર પણ છંદનાજન્ય ફળસામાન્યની અનુપપત્તિ નથી=અસંગતિ નથી. આશય એ છે કે, જ્યારે છંદક દ્વારા નિમંત્રણ કરેલ છંઘ દાન ગ્રહણ કરતો નથી, ત્યારે છંદના સામાચારીના પાલનજન્ય ફળસામાન્ય તો છંદકને પ્રાપ્ત થાય છે, પરંતુ જો છંદ્ય છંદકનું દાન ગ્રહણ કરે તો તે દાનગ્રહણજન્ય જે હર્ષવિશેષ થાય છે અને તેનાથી જે નિર્જરાવિશેષ થાય છે, તે નિર્જરાવિશેષ પ્રત્યે દાનગ્રહણ હેતુ છે, પરંતુ છંદના સામાચારીજન્ય નિર્જરાસામાન્ય પ્રત્યે દાનગ્રહણ હેતુ નથી. અહીં સંક્ષેપથી એ કહેવું છે કે, છંઘ જ્યારે છંદકનું દાન ગ્રહણ ન કરે ત્યારે પણ વ્યવહારનયથી છંદના સામાચારીજન્ય સામાન્ય નિર્જરા તો છંદકને થાય છે, તો પણ છંઘ જ્યારે દાન ગ્રહણ કરે, ત્યારે તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy