SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ છંદના સામાચારી / ગાથા ૫૮ દાસ વડે ગધેડો ખરીદાયો, દાસ પણ મારો છે, ગધેડો પણ મારો છે” ઈત્યાદિ વ્યાય વડે તે હેતુપણું હોતે છH=દાનનું નિર્જરા પ્રત્યે હેતુપણું હોતે છતે, ઘટાદિ કાર્યમાં દંડના અવયવનો પણ હેતુપણાના વ્યવહારનો પ્રસંગ છે, એ પ્રમાણે નિશ્ચયનયનો નિષ્કર્ષ છે. * ‘રાણે મે વરોજીયો રૂત્વઢિચાન અહીં ‘સર’ પદથી આ ન્યાયના હસોડનિ ને સ્વરોગ છે એ પ્રકારના બાકીના અંશનું ગ્રહણ કરવું. * ‘vgવયવસ્થાપિ' અહીં પિ' થી એ કહેવું છે કે, ઘટાદિ કાર્ય પ્રત્યે દંડનો હેતુ છે, પણ દંડના અવયવોના પણ હેતુપણાના વ્યવહારનો પ્રસંગ છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, નિશ્ચયનય આ રીતે દાનને હેતુ માનતો નથી, પરંતુ વ્યવહારનય તો નિર્જરા પ્રત્યે દાનને હેતુ માને છે. તેથી દાનના અગ્રહણમાં વ્યવહારનયથી નિર્જરા થશે નહીં, એ શંકાનું નિરાકરણ કરતાં કહે છે - ટીકાર્ય : વ્યવહરતો.પિ. વીધ્યમ સાધ૮ાા વ્યવહારનયથી પણ તેનું દાનનું, હેતુપણું ફલવિશેષમાં જ છે. જેથી કરીને તેના વિના પણ=દાન વિના પણ, છંદનાજન્ય ફલસામાન્યની અનુપપત્તિ નથી, એ પ્રમાણે જાણવું. પિટા * વ્યવહારતોડવ' અહીં ‘રિ’ થી નિશ્ચયનયનો સમુચ્ચય કરવો. ભાવાર્થ : ઘટ પ્રત્યે કુંભાર હેતુ છે, પણ કુંભારનો પિતા અન્યથાસિદ્ધ છે; કેમ કે કુંભારનો પિતા તો કુંભારને પેદા કરીને ચરિતાર્થ થઈ જાય છે. તેથી ઘટપ્રાપ્તિ પ્રત્યે કુંભારનો પિતા હેતુ કહી શકાય નહીં. તે જ રીતે દાનજન્ય ભાવવિશેષસંબંધથી દાન ભલે છંદકના આત્મામાં પ્રાપ્ત થાય, તોપણ તે દાન ભાવવિશેષ પેદા કરીને ચરિતાર્થ થઈ જાય છે, અને નિર્જરા પ્રત્યે ભાવવિશેષ હેતુ છે તેથી કુંભારના પિતાની જેમ દાન અન્યથાસિદ્ધ છે, એમ નિશ્ચયનય કહે છે. અહીં વ્યવહારનય કહે છે કે ખરેખર દંડ જેમ ભૂમિ દ્વારા ઘટ પ્રત્યે કારણ છે, તેમ દાનની ક્રિયા ભાવવિશેષ પેદા કરવા દ્વારા નિર્જરા પ્રત્યે કારણ છે. તેથી “કાલે બે વરો વીરો” એ ન્યાયથી દાનને પણ નિર્જરા પ્રત્યે હેતુ તરીકે સ્વીકારવું જોઈએ. આશય એ છે કે, કોઈ સ્વામીનો દાસ-સેવક, ખર=ગધેડો, ખરીદ કરે તો જેમ તે દાસ તે સ્વામીનો છે, તો તેણે ખરીદેલ ખર પણ તે સ્વામીનો પોતાનો કહેવાય; કેમ કે સેવકે તે ખરની પોતાના ધનથી ખરીદી કરી નથી, પરંતુ પોતાના સ્વામીના ધનથી ખરીદી કરી છે, તેથી તે ખર પણ તેના સ્વામીનો કહેવાય. તે જ રીતે અહીં વસ્તુતઃ દાન સ્વામી સ્થાનીય છે; ભાવવિશેષ દાસસ્થાનીય છે; અને નિર્જરા ખર=ગધેડાસ્થાનીય છે; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy