SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ છંદના સામાચારી, ગાથા : ૫૮ ૩૩૧ છંદકે છંદના સામાચારીના પાલન અર્થે છંદ્યને આહારાદિનું નિમંત્રણ કર્યું અને છંઘ તે દાન ગ્રહણ કરે ત્યારે છંદકને ઉત્પન્ન થતા અનુમોદનાના અધ્યવસાયથી, અને છંદ્ય તે દાન ગ્રહણ ન કરે ત્યારે ઉચિત ક્રિયારૂપ સ્વકૃત્યના અનુમોદનથી, છંદકને નિર્જરાફળની પ્રાપ્તિ થાય છે. તે આ રીતે – વિવેકી સાધુઓ સમ્યક યતનાપૂર્વક નિર્દોષ ભિક્ષા લાવ્યા પછી તે પ્રાપ્ત થયેલી ભિક્ષાનું માત્ર પોતાના ઉપભોગમાં સાફલ્ય જોતા નથી, પરંતુ વિચારે છે કે, “મોક્ષને સાધવા માટે ઉઘુક્ત જે મુનિઓ છે, તેમની ભક્તિ માટે પણ મારા શરીરની શક્તિ વપરાય તે ખરેખર મારી શક્તિનું સાફલ્ય છે, માટે કોઈ જાતની પ્રત્યુપકારની અપેક્ષા રાખ્યા વિના આવા મહાત્માની મારે વૈયાવચ્ચ કરવી જોઈએ.” આ પ્રકારના અધ્યવસાયથી તેવા વિવેકી છંદક સાધુઓ વૈયાવચ્ચમાં પ્રવૃત્ત થાય છે અને છંદ્ય જ્યારે તેમનું દાન ગ્રહણ કરે ત્યારે છંદકને પોતાની અસાર શરીરની શક્તિનું સાફલ્ય દેખાય છે, અને તેને તેવા પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થાય છે કે, ખરેખર ! આ મહાત્માની ભક્તિ કરીને આજે હું ધન્ય બન્યો.” પરંતુ જો તે મહાત્મા આહારાદિ ગ્રહણ ન કરે તો, “મારાથી આ કષ્ટ જ કરાયું પણ કંઈ ફળ મળ્યું નહીં,” એ પ્રકારની અવિવેકથી તેમનામાં દીનતા આવે તો આહારાદિ દાનની અનુમોદનાનો અધ્યવસાય કુંઠિત થાય. વળી વિવેકી છંદકને જ્યારે છંઘ દાન ગ્રહણ કરે છે તે વખતે જેવો અનુમોદનાનો અધ્યવસાય થાય છે, તેવો અધ્યવસાય છંદ્ય દાન ગ્રહણ ન કરે ત્યારે ન થાય તોપણ વિવેકી છંદક વિચારે કે, “જેમ મારે ભક્તિ કરવી તે મારા માટે ઉચિત છે, તેમ છંદ્યને પણ પોતાના સંયોગ પ્રમાણે જે ઉચિત હોય તે કરવું તેના માટે ઉચિત છે. તેથી તેવા પ્રકારના સંયોગમાં દાન ગ્રહણ કરવું તેને ઉચિત ન હોય તો તે ન પણ ગ્રહણ કરે, પરંતુ તેટલામાત્રથી મારો શ્રમ નિષ્ફળ નથી; કેમ કે ભગવાનના વચનાનુસાર મેં છંદના સામાચારીમાં પરિપૂર્ણ યત્ન કર્યો છે. તેથી ભગવાનના વચનાનુસાર પોતે જે નિમંત્રણ આપી વૈયાવચ્ચ કરી, તેની અનુમોદના તેને થાય છે, પરંતુ ઇંદ્ય દાન ગ્રહણ કરતો નથી તસ્કૃત દીનતા તેને થતી નથી. આવી દીનતા અવિવેકથી જ થઈ શકે છે; પરંતુ ભગવાનના વચનના પરમાર્થથી ભાવિત મતિવાળા તેવા સામાચારી પાલન કરનારા સાધુઓ તો પોતે કરેલી ઉચિત પ્રવૃત્તિની અનુમોદના કરીને નિર્જરાફળના ભાગી થાય છે. જેમ છંદક દ્વારા છંદ્યને આહારાદિના ગ્રહણ અર્થે નિમંત્રણ કરાયું ત્યારે છંદ્ય દાન ન ગ્રહણ કરે તો પણ ઉચિત સ્વકૃત્યના અનુમોદનથી છંદકને નિર્જરાફળની પ્રાપ્તિ થાય છે, તેમ છંદ્યને પણ છંદકનું દાન ગ્રહણ કરે તો અને છંદકનું દાન પોતે ગ્રહણ ન કરે તો બંને પ્રસંગે નિર્જરાફળની પ્રાપ્તિ થાય છે, તે આ રીતે – છંદક જ્યારે ઇંદ્યને પોતે લાવેલ અશનાદિના ગ્રહણ અર્થે નિમંત્રણ કરે છે, ત્યારે છંઘ વિચારે છે કે, “અદીન મનવાળા, નિર્જરાના અર્થી એવા આ મહાત્મા પરાર્થ માટે સુંદર યત્ન કરે છે અને મને પણ આ છંદકનું દાન ગ્રહણ કરવું ઉચિત છે. આનાથી પણ આ મહાત્માના ચિત્તના ભાવની વૃદ્ધિ થશે. તેથી તેમણે આપેલ દાનના ગ્રહણથી જેમ મને સ્વાધ્યાયાદિનો ઉપખંભ થશે, તેમ આ છંદક મહાત્માને પણ મારા દાનગ્રહણથી ચિત્તના ભાવોની વૃદ્ધિરૂપ પ્રત્યુપકાર થશે.” આ પ્રકારની સુકૃતની અનુમોદના આહારગ્રહણ દ્વારા છંઘને થાય છે. વળી જો છૂંદ્ય છંદક દ્વારા અપાયેલ અશનાદિનું દાન ગ્રહણ ન કરે તો છંઘને તેવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy