________________
છંદના સામાચારી / ગાથા: ૫૮
૩૯ * ‘નનુમોદનેડ'િ અહીં ‘’ થી એ કહેવું છે કે, દાન આપે છે ત્યારે તો દાનનું અનુમોદન થાય છે, પરંતુ જ્યારે દાન નથી આપતા ત્યારે દાનનું અનનુમોદન હોવા છતાં પણ સ્વકૃત વૈયાવૃજ્યાદિની અનુમોદનાનો સંભવ છે. | ‘તવૈયાવૃષ્ટિ' અહીં રિ’ થી વિધિપાલન, આજ્ઞાપાલન ઈત્યાદિ ઉચિત પ્રયત્નનું ગ્રહણ કરવું.
‘ઉદ્યચાવેતવનુમોવનં’ અહીં પ થી એ કહેવું છે કે, છંદકને તો સુકૃતઅનુમોદન સંભવે છે જ, પરંતુ છંઘને પણ પ્રાયઃ સુકૃતઅનુમોદન સંભવે છે.
*‘ઢીનતા પુનરવિવેવિખિતમેતિ' અહીં ‘વિકૃમિત’ પછી ‘ત્વે શબ્દ અધ્યાહાર છે. તેથી વિકૃમિત' ને નપુંસકલિંગ પ્રથમા એકવચન કરેલ છે, નહીંતર દીનતા સ્ત્રીલિંગ હોવાથી ‘વિકૃમિતા' પ્રયોગ થાય. ઉત્થાન :
છંદના સામાચારીમાં છંઘ દ્વારા દાન ગ્રહણ થયે છતે છંદકની સુકૃત અનુમોદનાનું સ્વરૂપ તેમ જ છંદ્યદાન ન ગ્રહણ કરે ત્યારે અવિવેકી છંદકને દીનતા થવાથી સુકૃતઅનુમોદન થતું નથી. તે બતાડતાં કહે છે - ટીકાર્ય :
મુછુ ..... વિતિ / “મારા વડે આ મહાત્માને અપાયું તે સારું થયું અને આવા પ્રકારના મહાત્માઓનું પ્રત્યુપકારની ઈચ્છા વિના જે વૈયાવચ્ચનું કરવું, એ જ સંસારમાં અસાર શરીરની શક્તિનું ફળ છે,” આ પ્રમાણે દાતાને (છંદક) દાનથી જ સુકૃતઅનુમોદનાનો અધ્યવસાય ઉલ્લસિત થાય છે. અન્યથા તો છંઘ દાન સ્વીકારે નહીં તો, “અહો ! મારા વડે કષ્ટમાત્ર કરાયું, પરંતુ ફળવાન ત થયું” એ પ્રમાણે દીનતાથી તે=સુકૃતનું અનુમોદન, કુંઠિત જ થાય. “રૂતિ’ કથનની સમાપ્તિ અર્થે છે. ઉત્થાન :
છંદના સામાચારીમાં છંઘ દ્વારા દાન ગ્રહણ થયે છતે છંદકની સુકૃતઅનુમોદનાનું સ્વરૂપ બતાવી હવે છંદ્ય જ્યારે છંદકનું અશનાદિ દાન ગ્રહણ કરે છે, ત્યારે તે છંદ્યને થતી સુકૃતઅનુમોદનાનું સ્વરૂપ તેમ જ છંઘ છંદકનું દાન ન ગ્રહણ કરે ત્યારે છંઘને જે સુકૃતઅનુમોદના નથી થતી તેને બતાડતાં કહે છે – ટીકાર્ય :
ર્વ પ્રદીતુરષિ .... ન વિચૈિતવિતિ એ રીતે=જંદકને છંદના દાવગ્રહણથી જે રીતે સુકૃતઅનુમોદન થાય છે, એ રીતે, “અદીન મનવાળા, નિર્જરાર્થી છંદક એવા આ મહાત્મા પરના માટે સુંદર એવો પ્રયત્ન કરે છે, અને મને પણ આમના વડે અપાયેલું છંદક વડે અપાયેલું, અશલાદિનું ગ્રહણ ઉચિત છે; કેમ કે આનાથી પણ મારા અશતાદિના ગ્રહણથી પણ, આવા છંદકતા, ચિત્તના ભાવની વૃદ્ધિથી પ્રત્યુપકાર થાય છે અને મને પણ સ્વાધ્યાયાદિ ઉપષ્ટભનો સંભવ છે" - એ પ્રમાણે ગૃહીતુરીપ પ્રહ gવ= ગ્રહણમાં જ ગૃહીતૃને પણ=ગ્રહણ કરનારને પણ, સુકૃતઅનુમોદન પ્રગટ થાય છે. અન્યથા-છંધ વડે દાનતા અગ્રહણમાં, વળી આ=સુકૃતઅનુમોદન, કંઈ થતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org