SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ છંદના સામાચારી / ગાથા ઃ ૫૭ “ગ્રહણમાં પણ અને અગ્રહણમાં પણ ખરેખર નિર્જરા થાય છે અને બંને પ્રકારે બંધ પણ થાય છે. આજ્ઞાશુદ્ધ કે અશુદ્ધ ભાવ જ અહીં નિમિત્ત છે=આજ્ઞાશુદ્ધ ભાવ હોય તો નિર્જરા થાય છે અને ન હોય તો કર્મબંધ થાય.” “કૃતિ” પંચાશકના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ।।૫૭ના * ‘પાનાવેરપ્રોપિ=ઞસ્વીારેડપિ’ અહીં ‘વિ’ થી ઔષધાદિનું ગ્રહણ કરવું અને ‘વિ’ થી ગ્રહણનો સમુચ્ચય કરવો અર્થાત્ ગ્રહણમાં તો નિર્જરા થાય છે, અગ્રહણમાં પણ નિર્જરા થાય છે. ભાવાર્થઃ ૩૨૬ ગાથાના કથનનું નિગમન કરતાં કહે છે : પૂર્વના કથનથી એ પ્રાપ્ત થયું કે, છંદના સામાચારીમાં આજ્ઞાશુદ્ધ ભાવનું જ વિપુલ નિર્જરાહેતુપણું છે, તેથી છંદ્ય અશનાદિ ન ગ્રહણ કરે તો પણ આજ્ઞાશુદ્ધ ભાવવાળા છંદકને નિર્જરાની પ્રાપ્તિ થાય છે. તેની પુષ્ટિ કરવા માટે કહે છે કે, છંદના સામાચારીજન્ય નિર્જરા અને છંદના સામાચારીજન્ય કર્મબંધમાં છંઘનું ગ્રહણ કે અગ્રહણ હેતુ થાય છે, એ પ્રકા૨નો જે વ્યવહારનયનો મત છે, તેમાં અનિયમ જ છે; કેમ કે છંદકના ભાવવિશેષનું જ નિર્જરા પ્રત્યે અને કર્મબંધ પ્રત્યે નિયામકપણું છે અર્થાત્ છંદકનો આજ્ઞાશુદ્ધ ભાવ હોય તો નિર્જરા થાય છે અને ન હોય તો કર્મબંધ થાય છે. I૫૭ ન અવતરણિકા: नन्वशनादिदानस्य न फलाऽहेतुत्वं, स्वजन्यभावविशेषसंबन्धेन फलसामानाधिकरण्येन तस्य हेतुत्वसंभव इति व्यवहारनयसूक्ष्मेक्षिकाकरणात् । तथा च स्वगृहीताशनस्य छन्द्येनाऽग्रहणे तस्य ग्रहणजन्यफलाभावः, छन्दकस्य च दानजन्यफलाभाव इत्याशङ्कामपाकर्त्तुमाह અવતરણિકાર્થ : ‘નનુ’ થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, અશનાદિ દાનનું નિર્જરારૂપ ફ્ળ પ્રત્યે અહેતુત્વ નથી; કેમ કે સ્વજન્ય=દાનગ્રહણજન્ય, ભાવવિશેષસંબંધથી નિર્જરારૂપ ફળ સાથે સામાનાધિકરણ્ય હોવાથી તેના= અશનાદિ દાનના, હેતુત્વનો સંભવ છે. એ પ્રકારે વ્યવહારનયની સૂક્ષ્મ દૃષ્ટિનું કરણ છે=આ વ્યવહારનયની સૂક્ષ્મ દૃષ્ટિ છે. અને તે રીતે=છંદકનું દાન ફલહેતુ છે તે રીતે, સ્વગૃહીત અશનનું=છંદક વડે ગૃહીત અશનનું, બંધ વડે અગ્રહણમાં તેને=છંઘને, ગ્રહણજન્ય નિર્જરારૂપ ફળનો અભાવ છે અને છંદકને દાનજન્ય નિર્જરારૂપ ફળનો અભાવ છે, એ પ્રકારની શંકાને દૂર કરવા માટે કહે છે ભાવાર્થ: પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે, છંદના સામાચારીમાં દાનનું ગ્રહણ છંઘમાં રહે છે અને નિર્જરારૂપ ફળ છંદકમાં રહે છે, તેથી વિશિષ્ટ વિધિનો ફલાદેશની સાથે સંબંધ નથી અર્થાત્ ભાવપૂર્વક દાનનો ફલાદેશ સાથે= નિર્જરાના સ્થાનરૂપ આત્મા સાથે, સંબંધ નથી, માટે છંદકનો ભાવ જ નિર્જરા પ્રત્યે હેતુ છે. ત્યાં ‘નનુ’ થી પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે Jain Education International - — For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy