SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૪ છંદના સામાચારી / ગાથા ૫૭ રૂપે છંદના સામાચારીની વિધિની પ્રાપ્તિ થયે છતે, ભાવપૂર્વકના દાનરૂપ વિશિષ્ટ હેતુ નિર્જરા પ્રત્યે કારણ છે તેવી કલ્પના કરવી અનુચિત છે; કેમ કે આજ્ઞાશુદ્ધ ભાવપૂર્વક નિમંત્રણ કરેલ હોવાથી છંદકે વિધિનું પાલન કરેલ છે. માટે છંદના સામાચારીજન્ય નિર્જરા ફળની પ્રાપ્તિ તેને અવશ્ય થશે. અહીં પ્રશ્ન થાય કે, જ્યારે વિધિ ભાવપૂર્વક દાનમાં છે, આમ છતાં વિશેષ્યના બાધકનો અવતાર થાય છે ત્યારે, તેટલા અંશમાં અંગ વિકલ હોવાથી નિર્જરાની વિકલતા માનવી પડે. તેને બદલે વિશિષ્ટ વિધિને જ વિશેષણમાં પર્યવસાન કેમ કરી ? તેથી કહે છે – નિશ્ચયનયની દૃષ્ટિથી નિર્જરારૂપ કાર્ય આત્મામાં થાય છે અને ત્યાં આજ્ઞાશુદ્ધ ભાવ છે, તેથી આજ્ઞાશુદ્ધ ભાવ અને નિર્જરારૂપ ફળ એક અધિકરણમાં પ્રાપ્ત થાય છે, માટે કાર્યકારણભાવની સંગતિ થાય છે. પરંતુ આજ્ઞાશુદ્ધ ભાવપૂર્વકના દાનને નિર્જરા પ્રત્યે કારણ કહીએ તો, આજ્ઞાશુદ્ધ ભાવપૂર્વકના દાનની ક્રિયા છંઘમાં પ્રાપ્ત થાય છે અને નિર્જરારૂપ ફળ છંદકમાં થાય છે, માટે આજ્ઞાશુદ્ધ ભાવપૂર્વક દાનને નિર્જરા પ્રત્યે કારણ સ્વીકારી શકાય નહિ; કેમ કે ભિન્ન અધિકરણમાં કારણ રહે અને ભિન્ન અધિકરણમાં કાર્ય થાય તો કાર્યકારણભાવની વ્યવસ્થા સંગત થાય નહીં. અહીં પ્રશ્ન થાય કે, જ્યારે ભાવપૂર્વકના દાનમાં વિધિ છે અને બાધકનો અવતાર નથી, ત્યારે ભાવપૂર્વકનું દાન છંઘમાં પ્રાપ્ત થશે અને નિર્જરા છંદકને પ્રાપ્ત થશે, તો ત્યાં કાર્યકારણભાવ કઈ રીતે સંગત થશે ? તેનું સમાધાન એ છે કે, નિશ્ચયનયથી તો ભાવપૂર્વકના દાનકાળમાં પણ તે દાન આપવાની ક્રિયાને અવલંબીને છંદકમાં વર્તતો ઉત્કર્ષવાળો થયેલો ભાવ નિર્જરા પ્રત્યે કારણ છે, પરંતુ ભાવપૂર્વકનું દાન નિર્જરા પ્રત્યે કારણ નથી; માત્ર ત્યાં દાનની ક્રિયાના સહકારને કારણે ભાવમાં જે અતિશયતા આવેલી છે, તેને અનુરૂપ નિર્જરામાં અતિશયતા થાય છે. વળી કાર્યદેશની સાથે કારણનો સંબંધ ન હોય ત્યાં કાર્યકારણભાવ માની શકાય નહીં. તેથી ભાવપૂર્વક દાનની ક્રિયા છંઘમાં હોવાથી છંદકની નિર્જરા પ્રત્યે ભાવપૂર્વકના દાનને કારણ સ્વીકારી શકાય નહીં, અને છતાં તેમ સ્વીકારવામાં આવે તો અન્ય કોઈ વ્યક્તિ ધર્મ કરે અને અન્ય કોઈ વ્યક્તિને ધર્મના ફળની પ્રાપ્તિ થાય તેમ માનવાનો અતિપ્રસંગ આવે. અહીં ભાવપૂર્વકના દાનની ક્રિયામાં છંઘ દાન ગ્રહણ કરે અને છંઘ દાન ગ્રહણ ન કરે તસ્કૃત ભાવમાં શું ભેદ પડી શકે છે ? કે તસ્કૃત ભાવમાં કોઈ ભેદ નથી પડતો ? તવિષયક જે તત્ત્વ છે તે ગ્રંથકારશ્રીના સ્વકૃત “અધ્યાત્મમતપરીક્ષા અને દ્રવ્યાલોક' આદિ ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ કહેલ છે, ત્યાંથી જિજ્ઞાસુએ જાણવું. છંદના સામાચારીના ફળમાં આજ્ઞાશુદ્ધ ભાવ અપેક્ષિત છે, પરંતુ આજ્ઞાશુદ્ધ ભાવ નીચેનાં સ્થાનોમાં નથી : (૧) કોઈ સાધુ છંદના સામાચારીમાં યત્ન કરતા હોય, પરંતુ ઉચિત વિધિનું અજ્ઞાન હોય, તો ત્યાં પણ છંદના સામાચારીનું અણિશુદ્ધ પાલન નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy