________________
છંદના સામાચારી / ગાથા : ૫૭
૩ર૩
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, “ફલના દેશ સાથે આત્મારૂપ સ્થાન સાથે, સંબંધ નહીં હોવાના કારણે ભાવપૂર્વક દાનરૂપ વિશિષ્ટ હેતુ બની શકે નહીં.' તેને જ સ્પષ્ટ કરતાં કહે છે –
ટીકાર્ય :
ન થSS સંવદ્ધી ....રાવવસેયમ્ અને અસંબદ્ધનું કાર્યજનકપણું નથી; કેમ કે અતિપ્રસંગ છે. અહીં રહેલું તત્વ અમારા વડે કરાયેલ અધ્યાત્મમત પરીક્ષા અને દ્રવ્યાલોક આદિથી જાણવું. ભાવાર્થ :
વ્યવહારનયથી છંદના સામાચારીનાં સર્વ અંગો પૂર્ણ હોય તો તત્સામાચારીજન્ય પૂર્ણફળ મળે છે, અને વ્યવહારનય ભાવપૂર્વકના દાનની ક્રિયાને છંદના સામાચારીના પાલનજન્ય નિર્જરાનું કારણ કહે છે. તેથી વ્યવહારનયના મતે સાધુઓને ભગવાનની આજ્ઞાશુદ્ધ છંદના સામાચારીનું પાલન કરવાનો ભાવ હોય, અને તપૂર્વક છંઘને દાન કરે, તો નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય. પરંતુ કર્મબંધ અને કર્મની નિર્જરા પ્રત્યે નિશ્ચયનયની જ કારણતા છે. તેથી નિશ્ચયનયથી પૂર્વમાં કહ્યું કે, છંદના સામાચારીના ફળ પ્રત્યે છંઘનું ગ્રહણ પણ સહકારી નથી. ત્યાં વ્યવહારનયની દૃષ્ટિવાળી વ્યક્તિ શંકા કરે છે કે, છંદના સામાચારીના પાલનને કહેનાર જે વિધિવાક્ય છે, તે વિધિવાક્યથી બોધિત કારણતા ભાવપૂર્વકના દાનમાં છે, પણ માત્ર ભાવમાં નથી. માટે કોઈ સાધુ આજ્ઞાશુદ્ધ ભાવપૂર્વક પણ છંઘને નિમંત્રણ કરે, છતાં દાનગ્રહણરૂપ અંગ નહીં હોવાથી નિર્જરારૂપ ફળનો ઉદય કેવી રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહીં.
ઉપર્યુક્ત આવી શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, તારે એમ ન કહેવું જોઈએ; કેમ કે શાસ્ત્રમાં જે વિધિવાક્ય છે, તેનું તાત્પર્ય એ છે કે, જ્યારે વિશેષણથી વિશિષ્ટ વિધિવાક્ય હોય તેમાં વિશેષ્યના બાધકનો અવતાર હોય, તેવા સમયે વિધિ વિશેષણમાત્રમાં જ પર્યવસાન પામે છે. આ પ્રકારનું નિશ્ચયનયનું તાત્પર્ય છે.
આશય એ છે કે છંદના સામાચારીને કહેનાર જે વિધિવાક્ય છે, તે વિધિવાક્ય ભાવપૂર્વક દાનને દાનરૂપે કહે છે; આમ છતાં કોઈ સાધુ આજ્ઞાશુદ્ધ ભાવપૂર્વક દાન માટે યત્ન કરે, અને છંઘને કોઈપણ તેવા કારણે તે દાનની આવશ્યકતા ન હોય, અને તેથી છંઘ તે આહારાદિ ગ્રહણ ન કરે, તો વિધિના વિશેષ્ય અંશનોત્રદાનનો, ત્યાં બાધ પ્રાપ્ત થાય છે. તેવા સમયે વિશિષ્ટ વિધિને કહેનારું વચન વિશેષણમાત્રમાં જ= આજ્ઞાશુદ્ધભાવમાં જ, પર્યવસાન પામે છે, એ પ્રકારે નિશ્ચયનય માને છે અર્થાત્ નિશ્ચયનય કહે છે કે, વિશેષ્યમાં બાધકનો અવતાર ન હોય તો વિશિષ્ટ વિધિ આજ્ઞાશુદ્ધ ભાવપૂર્વક દાન, નિર્જરા પ્રત્યે કારણ છે, પરંતુ જ્યારે વિરોષ્યમાં બાધકનો અવતાર હોય છંઘના દાનના અગ્રહણરૂપ બાધકનો અવતાર હોય, ત્યારે તે વિધિવાક્ય વિશેષણમાં જ=આજ્ઞાશુદ્ધ ભાવમાં જ, પર્યવસાન પામે છે અર્થાત્ છંદક આજ્ઞાશુદ્ધ ભાવપૂર્વક નિમંત્રણ કરે ત્યાં વિધિ પર્યવસાન પામે છે. તેથી વિશેષણરૂપ હેતુને વિધિરૂપે સ્વીકારવું આવશ્યક છે, અને તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org