________________
૩૨૨
છંદના સામાચારી / ગાથાઃ પ૭
ઉત્થાન :
પૂર્વમાં સ્થાપન કર્યું કે, છંઘનું ભિક્ષા ગ્રહણ છંદકની નિર્જરા પ્રત્યે સહકારી નથી, ત્યાં પ્રશ્ન થાય કે ક્રિયાનાં સર્વ અંગો ફલપ્રાપ્તિ પ્રતિ સહકારી હોય છે; તે રીતે છંદના સામાચારીના પાલનમાં અનેક અંગો અંતર્ગત છંઘનું ગ્રહણ પણ એક અંગ છે, તેથી તે સહકારી કેમ ન થઈ શકે ? તે પ્રકારના આશયથી કોઈ શંકા કરે તેનું ઉદ્ભાવન કરીને નિરાકરણ કરે છે – ટીકા:
न च तत्र भावपूर्वकदानमेव विधिबोधितकारणताकमित्यग्रहणे तदभावात् कथं फलोदयः ? इति वाच्यम्, विशिष्टविधेर्विशेष्ये बाधकावतारे विशेषणमात्र एव पर्यवसानमिति निश्चयनयतात्पर्याद्विशेषणहेतुत्वावश्यकत्वेनैवोपपत्तौ विशिष्टहेतुत्वकल्पनाऽनौचित्याद्विशिष्टस्य फलदेशनिष्ठसंबन्धाऽभावाच्च । न चाऽसंबद्धस्य कार्यजनकत्वं नाम, अतिप्रसङ्गात्, तत्त्वमत्रत्यमस्मत्कृताध्यात्ममतपरीक्षाद्रव्यालोकादाववसेयम् । ટીકાર્ય :
ન ..... અનીવિત્યા અને ત્યાં છંદનાજવ્ય નિર્જરામાં, ભાવપૂર્વકનું દાન જ વિધિબોધિત કારણતાવાળું છે. જેથી કરીને અગ્રહણમાં છંઘ દ્વારા દાનના અગ્રહણમાં, તેનો અભાવ હોવાથી=ભાવપૂર્વક દાનનો અભાવ હોવાથી, કેવી રીતે ફલોદય થશે નિર્જરારૂપ ફલનો ઉદય કેવી રીતે થશે ? એમ ન કહેવું; કેમ કે વિશેષમાં બાધકનો અવતાર હોતે છતે=ભાવપૂર્વક દાનમાં રહેલ જે દાનગ્રહણરૂપ વિશેષ તેને ગ્રહણ કરનાર વ્યક્તિ (છંઘ) દાન ન લે ત્યારે દાનક્રિયામાં બાધકનો અવતાર પ્રાપ્ત થાય છે, તેવા બાધકનો અવતાર પ્રાપ્ત થયે છતે, વિશિષ્ટ વિધિનું વ્યવહારનયની ભાવપૂર્વકના દાનરૂપ વિશિષ્ટ વિધિનું, વિશેષણમાત્રમાં જ=ભાવમાત્રમાં જ, પર્યવસાત છે. એ પ્રકારનું નિશ્ચયનયનું તાત્પર્ય હોવાથી વિશેષણરૂપ હેતુપણાના આવશ્યકપણારૂપે જ વિધિની ઉપપતિ થયે છતે, વિશિષ્ટમાં હેતુપણાની કલ્પનાનું અનુચિતપણું છે=ભાવપૂર્વકના દાનરૂપ વિશિષ્ટમાં છંદના સામાચારીજન્ય ફળના હેતુપણાની કલ્પનાનું અનુચિતપણું છે. ઉત્થાન :
દાનના અગ્રહણમાં ફલોદય નથી, એ પ્રકારની પૂર્વપક્ષીની શંકાના નિરાકરણમાં નિશ્ચયનયની બીજી યુક્તિ બતાવે છે – ટીકાર્ય :
વિશિષ્ટચ ..... Sભાવાત્રે I અને વિશિષ્ટનો ફલદેશનિષ્ટ સંબંધનો અભાવ છે=ભાવપૂર્વક દાનરૂપ જે વિશિષ્ટ તેનો નિર્જરારૂપ ફલનો દેશ=આત્મારૂપ સ્થાન, તેની સાથે સંબંધનો અભાવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org