SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ છંદના સામાચારી | ગાથા : પ૭ નિર્જરા થાય છે, તો પણ છંદ્યનું ગ્રહણ પણ સહકારી છે જ. તેથી સહકારીના અભાવમાં વિશિષ્ટ નિર્જરા થશે નહીં. તેથી કહે છે – ટીકાર્ય : ઇંદ્રની નર્ચ . નમાવાન્ | છંદનાજવ્ય નિર્જરામાં ભાવવિશેષ જહેતુ છે, પરંતુ ત્યાં=ઠંદનાજન્ય નિર્જરામાં, છંઘનું ગ્રહણ પણ સહકારી નથી; કેમ કે તેના વિના પણEછંધતા ગ્રહણ વિતા પણ, ફળનો સદ્ભાવ છે=નિર્જરારૂપ ફળનો સદ્ભાવ છે. * છંઘપ્રદામણિ અહીં કવિ' થી એ કહેવું છે કે, ભાવવિશેષ જ નિર્જરાનો હેતુ છે. બીજો કોઈ તો સહકારી નથી, પરંતુ છંદ્યગ્રહણ પણ સહકારી નથી. ‘તત્તરાડપિ' અહીં ‘સર’ થી છંઘગ્રહણનો સમુચ્ચય છે. ભાવાર્થ: આજ્ઞાશુદ્ધ ભાવ જ નિર્જરાનું કારણ છે, પરંતુ આજ્ઞાશુદ્ધ ભાવથી ઈતર આજ્ઞાશુદ્ધ ન હોય તે, નિર્જરાનું કારણ નથી, એ પ્રમાણે આગળમાં ગ્રંથકાર સ્વયં નિષેધ કરશે. તેથી મૂળ ગાથામાં લાલુદ્ધો માવો’ પછી ‘વ’ કાર નથી, તો પણ ‘વ’ કાર અર્થથી સમજી લેવાનો છે, તે વાત ટીકામાં ખોલેલ છે. આશય એ છે કે, કોઈ સાધુ ભક્તિના વશથી છંદના સામાચારી કરતા હોય તો પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે ભિક્ષા લાવવામાં, નિર્દોષ ભિક્ષાની ગવેષણા કરવામાં, સમિતિઓના પાલનમાં જો યત્ન ન કરતા હોય, અને છંદના સામાચારી કરતા હોય તો નિર્જરા થાય નહીં. વળી કોઈ સાધુ વિશિષ્ટ તપ કરતા હોય, પરંતુ તે વિશિષ્ટ તપ અન્ય બળવાન યોગોનો નાશ કરીને સ્વશક્તિના અતિક્રમથી કરતા હોય, અને તેવા સાધુ પારણામાં છંદના સામાચારી કરે તો પણ તેમને નિર્જરા થાય નહીં, કેમ કે નિર્જરા તો જીવના સમભાવના પરિણામથી થનાર છે, અને વિદ્યમાન સમભાવનો પરિણામ શક્તિના પ્રકર્ષથી ભગવાનની આજ્ઞામાં યત્ન કરવાથી અતિશયિત થાય છે; પરંતુ શક્તિના સમાલોચન વગર રાભસિક વૃત્તિથી–નિર્વિચારકપણે, જે તે અનુષ્ઠાન કરવાથી સમભાવનો પરિણામ થતો નથી અને પૂર્વમાં ઉચિત પ્રવૃત્તિ થયેલ હોય તોપણ અતિચારાદિના ક્રમથી નાશ પામે છે. તે આજ્ઞાશુદ્ધ ભાવ શું છે ? તે સ્પષ્ટ કરે છે – યથાવત્ ભગવાનના ઉપદેશના પાલનથી ઉત્પન્ન થવાપણું હોવાના કારણે પ્રશસ્તતાને પામતો આત્માનો અધ્યવસાય તે આજ્ઞાશુદ્ધ ભાવ છે. આશય એ છે કે, પોતાની શક્તિનો અતિક્રમ કર્યા વગર ઉચિત અનુષ્ઠાન કરવાનો ઉપદેશ ભગવાને આપ્યો છે, કે જેથી તે અનુષ્ઠાનના સેવનથી અપ્રમાદભાવની વૃદ્ધિ થાય. તેથી પોતાની ભૂમિકા પ્રમાણે અપ્રમાદભાવની વૃદ્ધિ કરાવે તેવું ઉચિત અનુષ્ઠાન સેવવાનો જે પ્રશસ્ત અધ્યવસાય, તે જ આજ્ઞાશુદ્ધ ભાવ છે. આવા આજ્ઞાશુદ્ધ ભાવથી જ્યારે છંદક અન્ય સાધુઓને નિમંત્રણ કરે છે, ત્યારે તેના આજ્ઞાશુદ્ધ ભાવના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy