SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ છંદના સામાચારી | ગાથા : ૫૬ મર્યાદા છે કે, રત્નાધિકની અનુજ્ઞાથી સાધુ અન્ય સાધુને પોતે લાવેલ આહારનું નિયંત્રણ કરી શકે. તેથી આરાધક સાધુ પણ જો રત્નાધિકની આજ્ઞા વિના ભક્તિના વશથી બાલાદિને નિમંત્રણા કરે, તો ત્યાં છંદના સામાચારીનું લક્ષણ જતું નથી. ૩૧૪ (૩) કોઈ સાધુ પૂર્વમાં આહારાદિ લાવેલા હોય અને રત્નાધિકની આજ્ઞાથી બાલાદિને નિમંત્રણા કરે, પરંતુ તેમની યોગ્યતાનો વિચાર કર્યા વિના “મારે તો લાવેલી વસ્તુ તેમની ભક્તિમાં વાપરવી છે” એવા જ ભાવથી માત્ર વિચાર કરે, અને ભક્તિના વશથી તે રીતે આપે તો પણ તે છંદના સામાચારી બને નહીં; કેમ કે છંદના સામાચા૨ી એકાંતે સ્વપરની નિર્જરાનું કારણ બને તે રીતે કરવામાં આવે તો તે ઉચિત આચરણારૂપ બને; અને બાલાદિની યોગ્યતાનો વિચાર કર્યા વિના પોતાની ભક્તિના વશથી નિમંત્રણા કરે, તો બાલાદિના હિતની ઉપેક્ષા કરાયેલી હોવાથી તે છંદના સામાચારી બનતી નથી. આથી આવા સ્થાનમાં છંદના સામાચા૨ીનું લક્ષણ જતું નથી. (૪) કોઈ સાધુ પૂર્વમાં આહાર લાવેલા હોય, પરંતુ ગુરુની=રત્નાધિકની આજ્ઞાથી બાલાદિની યોગ્યતાનો વિચાર કરીને નિમંત્રણા કર્યા વગર લાવેલા આહારને આપે, તો પણ છંદના સામાચારી બનતી નથી. પરંતુ પ્રથમ તેઓને નિમંત્રણા કરે અને તેઓની ગ્રહણની ઈચ્છા મુજબ આપે તો છંદના સામાચારી થાય. અહીં વનમાત્રે દાનમાત્ર કહેવાથી નિયંત્રણા વગરના દાનનું ગ્રહણ કરવાનું છે, જેથી નિમંત્રણા વિના કોઈ દાનમાત્ર આપે તો છંદના સામાચા૨ીનું લક્ષણ જતું નથી.પપ્પા અવતરણિકા: विशेषविषयत्वमेव स्पष्टयति અવતરણિકાર્ય : વિશેષ વિષયપણાને જ સ્પષ્ટ કરે છે - – ભાવાર્થ : પૂર્વ ગાથામાં કહ્યું કે, છંદના સામાચારી બધા સાધુઓને કરવાની નથી, પરંતુ વિશેષ સાધુઓને કરવાની છે. તેથી છંદના સામાચારીના વિશેષ વિષયપણાને જ સ્પષ્ટ કરે છે – 1121: Jain Education International एसा जमत्तलद्धियविसिट्ठतवकारगाइजइजुग्गा । अहियगहणं च तेसिं अणुग्गहट्टं अणुण्णायं । । ५६ ।। છાયા : एषा यदात्मलब्धिकविशिष्टतपःकारकादियतियोग्या । अधिकग्रहणं च तेषामनुग्रहार्थमनुज्ञातम् ।।५६।। For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy