________________
૩૦૯
પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા ૨૪ નહિ. તેને ગ્રંથકાર કહે છે કે, જેમ ઈચ્છાકારથી આક્રાંત પ્રતિપૃચ્છાના સ્થળમાં ઉપધેયનું સાંકર્યા હોવા છતાં ઉપાધિનું અસાંકર્યા છે, તેમ આપૃચ્છાના સ્થળમાં પણ ઉપધેયનું સાંકર્યા હોવા છતાં ઉપાધિનું અસાંક્ય છે, માટે આપૃચ્છાના સ્થળમાં પણ પ્રતિપૃચ્છાને આપૃચ્છામાં અંતર્ભાવ કરવાની જરૂર રહેતી નથી. માટે આપૃચ્છાથી પ્રતિપૃચ્છા સામાચારી સ્વતંત્ર સામાચારી છે, તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી.
અહીં ઉપધેયનું સાંકર્યું હોવા છતાં ઉપાધિનું અસાંકર્ય આ રીતે છે – લક્ષણ કે ઉપાધિ એકાર્યવાચી છે.
લક્ષણથી લક્ષ્ય એવી જે વચનપ્રયોગાત્મક ક્રિયા તે ઉપધેય છે. સાંકર્યની વ્યાખ્યા :
“પરસ્પત્યિન્તામાવનિરિવોર્થપોરેત્રસમાવેશ સાંજ” અર્થાત્ ભિન્ન ભિન્ન અધિકરણમાં રહેલા ધર્મોનું એકત્ર અવસ્થાન તે સાંકર્ય.
નીચેનાં ત્રણ ત્રણ વાક્યો દ્વારા આપણે આ વાતને સમજીએ :
(૧) ગુરુએ કોઈ કાર્ય કરવા માટે શિષ્યને કહ્યું ત્યારે શિષ્ય કહે કે, “હું ઈચ્છાપૂર્વક આ કાર્ય કરું છું.” આ વાક્યપ્રયોગમાં ઈચ્છાકારના લક્ષણથી લક્ષ્મરૂપ ઉપધેય છે.
(૨) કોઈ શિષ્ય ગુરુને પ્રથમ આપૃચ્છા કરી કે, “આ કાર્ય કરું?” અને પછી વિલંબનથી તે કાર્ય કરવામાં આવે ત્યારે પ્રતિપૃચ્છા કરે છે. આ વાક્યપ્રયોગમાં પ્રતિપૃચ્છાના લક્ષણથી લક્ષ્મરૂપ ઉપધેય છે.
(૩) ટીકામાં આપેલ ઢું મન્ત ... પ્રતિવેધતીતિ =આપના વડે કહેવાયેલું આ કાર્ય “હું ઈચ્છાપૂર્વક કરું છું, પરંતુ શકુનાદિની સ્કૂલના પ્રતિષેધ કરે છે.” આ વાક્યપ્રયોગમાં ઈચ્છાપૂર્વક હું આ કાર્ય કરું છું એ પ્રતિપૃચ્છા સામાચારીના પૂર્વાર્ધનો પ્રયોગ ઈચ્છાકાર સામાચારીનો ઉપધેય છે; કેમ કે ઈચ્છાકારના લક્ષણથી લક્ષ્ય તે વાક્યપ્રયોગ બને છે; અને આખો વાક્યપ્રયોગ પ્રતિકૃચ્છા સામાચારીનો ઉપધેય છે અને આ વાક્યપ્રયોગમાં પ્રતિપૃચ્છા સામાચારીનું લક્ષણ છે, ઈચ્છાકાર સામાચારીનું નથી; કેમ કે પ્રતિપૃચ્છા સામાચારીના પાલન અર્થે આ વાક્યપ્રયોગ કરાયેલ છે, ઈચ્છાકાર સામાચારીના પાલન અર્થે આ વાક્યપ્રયોગ કરાયેલ નથી. ઉપધેયનું સાંકર્ય હોવા છતાં ઉપાધિનું અસાંકર્યું હોવાથી ઈચ્છાકાર સામાચારીથી પ્રતિપૃચ્છા સામાચારી ભિન્ન:
વાક્ય નં. ૧માં ઈચ્છાકારનો ઉપધેય છે અને વાક્ય નં. રમાં પ્રતિપુચ્છાનો ઉપધેય છે, એમ બંને ઉપધેય ભિન્ન-ભિન્ન અધિકરણમાં પ્રાપ્ત થાય છે; અને વાક્ય નં. ૩માં પૃથક ઉપલબ્ધિવાળા એવા ઈચ્છાકાર અને પ્રતિપૃચ્છા સામાચારીનો ઉપધેય એક જ વાક્યમાં-સ્થાનમાં મળે છે. તેથી ઉપર્યુક્ત સાંકર્યની વ્યાખ્યા મુજબ ઉપધેયનું સાંકર્ય પ્રાપ્ત થાય છે. તોપણ ‘રૂદ્દે મત્ત ..... પ્રતિવેધતીતિ’ એ વાક્ય . ૩માં પ્રતિપૃચ્છા સામાચારીનું લક્ષણ છે, ઈચ્છાકારનું લક્ષણ નથી, તેથી ઉપાધિનું અસાંર્ય છે. તેથી પૂર્વપક્ષી સમાધાન કરતાં કહે છે કે, ઉપધેયનું સાંકર્યું હોવા છતાં આ વાક્યમાં ઉપાધિનું અસાંકર્યું હોવાથી ઈચ્છાકાર સામાચારીથી પ્રતિપૃચ્છા સામાચારી પૃથક્ થઈ શકશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org