________________
૩૦૮
પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : પ૪ જ્ઞાનના પ્રયોજનથી કરવામાં આવે છે; કેમ કે જ્યારે આપૃચ્છા કરી ત્યારે જો શિષ્યને વિધિનું જ્ઞાન ન હોય તો ગુરુ અવશ્ય વિધિનું જ્ઞાન કરાવે અને શિષ્ય વિધિનો જાણકાર હોય તો પણ તેને અપ્રમાદ કરવાની શિક્ષા આપે; આમ છતાં કોઈક કારણે તે કાર્ય તત્કાળ ન થયું હોય, કે ન કરવાનું હોય અને વિલંબનથી કરવાનું હોય, ત્યારે પ્રતિપૃચ્છા કરવામાં આવે છે અને ત્યારે તે પ્રતિપૃચ્છા કાર્યાતરાદિના જ્ઞાનના પ્રયોજનથી હોય છે.
આ રીતે આપૃચ્છા અને પ્રતિપુરસ્કાના પ્રયોજનભેદને સામે રાખીને આપૃચ્છા અને પ્રતિપૃચ્છા એ બે સ્વતંત્ર સામાચારી છે, તેમ બતાવેલ છે.
આશય એ છે કે જેમ જીવ અને અજીવ મુખ્ય બે પદાર્થો છે, છતાં મોક્ષને માટે ઉપયોગી એવા જે પદાર્થનું જ્ઞાન આવશ્યક હોય અને તેનો બોધ કરાવવો હોય તો માત્ર જીવ-અજીવ એ બે જ તત્ત્વો ન કહેતાં જીવ-અજીવથી પૃથફ પાંચ તત્ત્વોની પણ પ્રરૂપણા કરીને, જીવ-અજવાદિ સાત તત્ત્વો હેવાય છે. પદાર્થની દૃષ્ટિએ જોઈએ તો જીવ-અજીવમાં આશ્રવ આદિનો અંતર્ભાવ છે, તોપણ મોક્ષના ઉપાયોનો બોધ કરાવવાના પ્રયોજનથી જીવ-અજીવથી પૃથક પાંચ તત્ત્વોને ગ્રહણ કરીને સાત તત્ત્વો જે રીતે બતાવ્યાં છે, તે રીતે આપૃચ્છામાં પ્રતિપૃચ્છાનો અંતર્ભાવ થતો હોવા છતાં કાર્યના ભેદને બતાવવા માટે આપૃચ્છાથી પ્રતિપૃચ્છાને પૃથફ કહેલ છે.
આપૃચ્છાથી પ્રતિકૃચ્છાને પૃથફ સ્વીકારવામાં મુક્તિ બતાવે છે કે, જો પ્રયોજનના ભેદથી આપૃચ્છાથી પ્રતિપૃચ્છાને પૃથફ ન સ્વીકારવામાં આવે તો પ્રતિપૃચ્છા સામાચારી ઈચ્છાકારની કુક્ષિમાં પણ પ્રવેશ પામી શકે તેમ છે. તેથી પ્રતિકૃચ્છાને આપૃચ્છામાં પ્રવેશ કરાવવો પડે તેમ ઈચ્છાકારમાં પણ પ્રવેશ કરાવવો પડે; કેમ કે, જેમ આપૃચ્છાપૂર્વક પ્રતિપૃચ્છા થાય, તેમ કોઈક સ્થાનમાં ઈચ્છાકારપૂર્વક પણ પ્રતિપૃચ્છા થાય છે.
આશય એ છે કે, કેટલાક સ્થાનમાં આપૃચ્છા કરીને કોઈક કારણવશ થી કાર્યવિલંબન થાય ત્યારે પ્રતિપૃચ્છા કરવામાં આવે છે. તેથી તે સ્થાનમાં પ્રતિપૃચ્છા સામાચારીનો જો આપૃચ્છા સામાચારીમાં અંતર્ભાવ કરીએ તો, કોઈક અન્ય સ્થાનમાં ઈચ્છાકાર પછી પ્રતિકૃચ્છા થાય છે. જેમ કે આપૃચ્છા કર્યા વિના ગુરુએ શિષ્યને કોઈ કાર્ય કરવા અંગે કહ્યું હોય અને શિષ્ય કહ્યું હોય કે, “હું ઈચ્છાપૂર્વક આ કાર્ય કરું છું અને ત્યાર પછી તે કાર્ય કરવા માટે પ્રવૃત્ત થાય; પરંતુ કોઈક અપશુકનાદિ નિમિત્તને કારણે સ્કૂલના થાય તો ત્રણ વારની
સ્મલના પછી ગુરુને પ્રતિપૃચ્છા કરવાની હોય છે. ત્યારે શિષ્ય ગુરુને કહે છે કે, “આ આપનું કાર્ય હું ઈચ્છાપૂર્વક કરું છું, પરંતુ સ્કૂલના પ્રતિષેધ કરે છે', આ પ્રકારના પ્રતિપૃચ્છાના સ્થળમાં પ્રતિપૃચ્છા સામાચારી ઈચ્છાકારમાં અંતર્ભાવ પામે છે. તેથી જો પ્રતિપૃચ્છા સામાચારીને પૃથક સ્વીકારવામાં ન આવે તો કાર્યાતરના પરિજ્ઞાન માટે કરાતી પ્રતિકૃચ્છા કોઈક સ્થાનમાં ઈચ્છાકારમાં પ્રવેશ પામશે તો કોઈક સ્થાનમાં આપૃચ્છામાં પ્રવેશ પામશે અને તેમ સ્વીકારીએ તો સામાચારીનો યથાર્થ બોધ થઈ શકે નહિ. તેથી પ્રતિકૃચ્છા સામાચારીને કાર્યાતરાયાદિના પરિજ્ઞાનના પ્રયોજનથી પૃથફ સ્વીકારવી ઉચિત છે, તે પ્રકારનો ગ્રંથકારનો આશય છે.
અહીં પૂર્વપક્ષી કહે છે કે, ઈચ્છાકારથી આક્રાંત પ્રતિપૃચ્છાના સ્થળમાં ઉપધેયનું સાંકર્યા હોવા છતાં ઉપાધિનું અસાંકર્ય છે, માટે ઈચ્છાકારથી આક્રાંત પ્રતિપૃચ્છાનો ઈચ્છાકારમાં અંતર્ભાવ કરવાનો પ્રસંગ આવશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org