________________
૩૦૬
પ્રતિપૃચ્છા સામાચારી/ ગાથા : ૫૪ ટીકાર્ય :
‘નયોરણેયં ..... નાન્તર્મવપેચનુષ /’ આ રીતે પૂર્વમાં કહ્યું કે જે રીતે તારકી અને જીવમાં સામાન્ય-વિશેષ ભાવ છે, એ રીતે, આ બંનેનો પણ આપૃચ્છા અને પ્રતિકૃચ્છાનો પણ, સામાન્યવિશેષ ભાવ જ પ્રાપ્ત થયો, અને તે રીતે આપૃચ્છા અને પ્રતિપૃચ્છાનો સામાન્ય-વિશેષભાવ પ્રાપ્ત થયો તે રીતે, આ બંનેના=પ્રતિપૃચ્છા અને આપૃચ્છાના, ભેદનું પ્રતિપાદન શું પ્રયોજનવાળું છે? એથી કરીને કહે છે, કાર્યના ભેદના વશથી આપૃચ્છા અને પ્રતિપૃચ્છાના ભેદનું પ્રતિપાદન છે.
હવે તેને સ્પષ્ટ કરે છે - ખરેખર વિધિશિલાદિ પ્રયોજાતા ભેદથી આપૃચ્છાના ભેદતો અને કાર્યાતર જ્ઞાનાદિ પ્રયોજનના ભેદથી પ્રતિકૃચ્છાતા ભેદનો ઉપચાસ છે=ભેદનું કથન છે, જેથી કરીને કંઈ અનુપપન્ન નથી=આપૃચ્છા અને પ્રતિપૃચ્છા બંનેને દશવિધ સામાચારીમાં સ્વતંત્ર સ્વીકારવામાં કંઈ અઘટમાન નથી. આવું ન સ્વીકારો તો=ઉક્ત ગતિ વિના અર્થાત્ દશવિધ સામાચારીમાં આપૃચ્છા અને પ્રતિપૃચ્છાનો ભેદ સ્વીકાર્યા વિના, ઈચ્છાકારની કુક્ષિમાં ઈચ્છાકારના સ્વરૂપમાં, આ=પ્રતિપૃચ્છા, કેમ ન પ્રવેશ પામે ?=કેમ અંતર્ભાવ ન પામે ? અર્થાત્ જેમ આપૃચ્છાના લક્ષણથી આક્રાન્ત પ્રતિપૃચ્છા આપૃચ્છામાં અંતર્ભાવ પામી શકે, તેમ ઈચ્છાકારના લક્ષણથી આક્રાન્ત પ્રતિપૃચ્છા ઈચ્છાકારમાં અંતર્ભાવ પામી શકે. અહીં પા=શબ્દનું ગાથાના પૂર્વાર્ધમાંથી ગાથાના ઉત્તરાર્ધમાં જોડાણ છે, તે બતાવવા માટે ષેત્યનુષ' કહ્યું છે.
* ‘મનયોરિ અહીં થી નારકી અને જીવનો સમુચ્ચય કરવો.
વિધિશિક્ષ’િ અહીં ‘રિ થી ઉત્સાહનું ગ્રહણ કરવું. * ‘છત્તરજ્ઞાનઢિપ્રયોગન' અહીં ‘સરિ’ થી ગાથા-૫૧માં કહેલ અન્ય પાંચ પ્રયોજનો ગ્રહણ કરવાં.
ઉત્થાન :
- અહીં પૂર્વપક્ષી સમાધાન કરે કે ઈચ્છાકારના લક્ષણમાં પ્રતિપુચ્છાના લક્ષણની આપત્તિ આવશે નહિ; કેમ કે ઈચ્છાકાર અને પ્રતિપુચ્છાના ઉપધેયનું સાંકર્યા હોવા છતાં=લક્ષ્યનું સાંકર્યું હોવા છતાં, ઉપાધિનું લક્ષણનું અસાંકર્ય છે; માટે પ્રતિપૃચ્છા કરતાં ઈચ્છાકાર સામાચારી જુદી છે, તેમ માની શકાશે. આ પ્રકારનું સમાધાન આપૃચ્છા અને પ્રતિપુચ્છામાં પણ થઈ શકે છે, તે બતાવતાં ગ્રંથકાર કહે છે – ટીકાર્ય :
રૂટું મન્તો ..... માવ: સાઉ૪. આપના વડે કહેવાયેલું આ કાર્ય હું ઈચ્છાપૂર્વક કરું છું, પરંતુ શકુનાદિની સ્કૂલના પ્રતિષેધ કરે છે,” એ પ્રકારની પ્રતિકૃચ્છા છે, અને તે પ્રતિપૃચ્છા, ઈચ્છાકારના લક્ષણથી આક્રાંત છે, એથી કરીને ઉપધેયના સાંકર્યમાં પણ લક્ષ્મતા સાંકર્થમાં પણ, ઉપાધિતા= લક્ષણતા, અસાંકર્યાં જ અહીં=ઈચ્છાકાર અને પ્રતિપૃચ્છાને પૃથફ સ્વીકારવામાં, સમાધાન છે; અને તે અન્યત્ર પણ= આપૃચ્છા અને પ્રતિપૃચ્છાને પૃથફ સ્વીકારવામાં પણ, સમાન છે, એ પ્રકારનો ભાવ છે. પ૪માં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org