________________
પ્રતિપુચ્છા સામાચારી | ગાથા : ૫૪
304
સ્વતંત્ર હોવા છતાં અમુક સ્થાનોમાં ઉપર મુજબ એક પણ થાય છે. આથી બંનેના લક્ષણને જુદા કહીને જુદાં બતાવવાં તે અપસિદ્ધાંત છે.
.....
પૂર્વપક્ષીની ઉપર્યુક્ત શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, તારી આ વાત બરાબર નથી. નીવે भंते . નિયમા નીવે ।’ તેની જેમ એકપદવ્યભિચારી આપૃચ્છા અને પ્રતિપૃચ્છાનું લક્ષણ છે, માટે કોઈ દોષ નથી. તાત્પર્ય એ છે કે, જેમ નારકી અને જીવ એ બંને પદોમાં ના૨કી પદ જીવ સાથે વ્યભિચારી છે અર્થાત્ જેટલા જીવ તે ના૨કી જ હોય તેવું નથી; જીવ દેવ પણ હોય, ના૨ક પણ હોય, તિર્યંચ પણ હોય ને મનુષ્ય ને પણ હોય. આ રીતે નારકી પદ જીવ સાથે વ્યભિચારી છે; કેમ કે જીવ વ્યાપક છે અને નારકી વ્યાપ્ય છે; પરંતુ નારકી જીવ જ હોય છે, તેથી ‘નારકી’ પદ જીવ સાથે વ્યભિચારી નથી. તેથી નારકી અને જીવમાં એક પદનો વ્યભિચાર છે, છતાં નારકીનું અને જીવનું લક્ષણ જુદું છે અને જીવનું લક્ષણ વ્યાપક છે અને ના૨કીનું લક્ષણ વ્યાપ્ય છે. તેમ આપૃચ્છાનું લક્ષણ નિજહિતકાર્ય નિવેદનાત્મક વ્યાપક છે અને પૂર્વ નિવેદિત નિજહિતકાર્યના નિવેદનરૂપ પ્રતિસ્પૃચ્છાનું લક્ષણ વ્યાપ્ય છે. તેથી એકપદવ્યભિચારી એવા જીવ અને નારકીના લક્ષણની જેમ, બંનેના બોધ માટે બંનેનું પૃથક્ લક્ષણ કરવું ઉચિત છે, તેમાં કોઈ દોષ નથી.
ઉત્થાન ઃ
પૂર્વમાં સ્થાપન કર્યું કે, લક્ષણના ભેદ હોવાથી પ્રતિકૃચ્છા એ આપૃચ્છા નથી, અને આપૃચ્છા અને પ્રતિકૃચ્છાના સાંકર્યની સંભાવના હતી, તેનું પણ સમાધાન કર્યું, કે જેમ જીવ અને નારકીમાં વ્યાપ્ય-વ્યાપક ભાવ હોવા છતાં તે બંનેનું લક્ષણ જુદું થઈ શકે, તેમ આપૃચ્છા અને પ્રતિપૃચ્છાનું લક્ષણ જુદું થઈ શકે, માટે લક્ષણના ભેદથી પ્રતિકૃચ્છા આપૃચ્છાથી જુદી છે. આમ છતાં જેમ દ્રવ્યો કેટલાં છે ? એમ પ્રશ્ન થાય તો જવાબમાં કોઈ કહે કે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય આદિ પાંચ અસ્તિકાયો છે. હવે તેના બદલે કોઈ કહે કે, ધર્માસ્તિકાયાદિ, જીવાસ્તિકાય અને નારકી એમ છ દ્રવ્ય છે, તો આ જવાબ બરાબર નથી; કેમ કે જીવના પેટાભેદમાં નારકીનું ગ્રહણ થાય, પણ અસ્તિકાયના ભેદમાં નારકીનું ગ્રહણ થાય નહિ. તે રીતે સામાચારીમાં આપૃચ્છા સામાચારી ગ્રહણ થઈ શકે, અને પ્રતિપૃચ્છા આપૃચ્છાના પેટાભેદમાં ગ્રહણ થઈ શકે, પરંતુ પ્રતિસ્પૃચ્છા સ્વતંત્ર ભેદરૂપે ગ્રહણ ન થઈ શકે, માટે સામાચારીના દશ ભેદ સંગત થાય નહિ . પણ નવ ભેદ જ માનવા પડે. એ પ્રકારની શંકાને સામે રાખીને કહે છે –
ટીકાઃ
अनयोरप्येवं सामान्यविशेषभाव एव प्राप्तः, तथा चानयोर्भेदप्रतिपादनं किं प्रयोजनम् ? इत्यत आहकार्यभेदवशात्, विधिशिक्षादिकार्यान्तरज्ञानादिप्रयोजनभेदेन खल्वनयोर्भेदेनोपन्यास इति न किञ्चिदनुपपन्नम् । अन्यथा-उक्तगतिमन्तरेणेच्छाकारस्य कुक्षौ - स्वरूपे, कथं न प्रविशेत् ? = कुतो नान्तर्भवेदेषेत्यनुषङ्गः । ' इदं भदन्तोपदिष्टं कार्यमहमिच्छया करोमि, परं शकुनादिस्खलना प्रतिषेधती 'ति हि प्रतिपृच्छा, सा चेच्छाकारलक्षणाक्रान्तैवेत्युपधेयसाङ्कर्येऽप्युपाध्योरसाङ्कर्यमेवात्र समाधानम्, तच्चान्यत्रापि समानमिति भावः ।।५४।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org