SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા ૨૪ ઘટનું જ્ઞાન ઘટવિષયક હોય ત્યારે તે પ્રમાણજ્ઞાન કહેવાય, અને તે જ્ઞાનનો વિષય ઘટ છે તેથી ઘટ પ્રમેય કહેવાય; અને જે વખતે ઘટનું જ્ઞાન હોય છે ત્યારે તે જ્ઞાન પણ ઘટાકારરૂપ હોય છે, અને પ્રમેય એવો ઘટ પણ ઘટાકારરૂપ હોય છે. તેથી ઘટનું જ્ઞાન જેમ ઘટાકારરૂપ છે, અને પ્રમેય એવો ઘટ પણ ઘટાકાર છે, તે સ્વરૂપે પ્રમાણ અને પ્રમેયનું સ્વરૂપ સમાન છે, તો પણ બંનેનું લક્ષણ જુદું છે. પ્રમાણનું લક્ષણ - વ્યવસાયી જ્ઞાનું પ્રમાણે છે, અને પ્રમેયનું લક્ષણ - પ્રતિવિષયં પ્રમેય છે. એ રીતે પ્રમાણ અને પ્રમેયનો સ્વરૂપથી અભેદ હોવા છતાં જેમ પ્રમાણના અને પ્રમેયના લક્ષણના ભેદથી પ્રમાણ અને પ્રમેયનો ભેદ છે, તેમ આપૃચ્છા અને પ્રતિપૃચ્છા સામાચારી બંનેનો નિહિતકાર્યના નિવેદનરૂપ સ્વરૂપથી અભેદ હોવા છતાં, બંનેના લક્ષણના ભેદથી બંનેનો ભેદ છે અર્થાત્ નિજહિતકાર્યનું નિવેદન કરવું તે આપૃચ્છાનું લક્ષણ છે અને આપૃચ્છાનું સ્વરૂપ પણ છે; જ્યારે ગુરુ વડે પૂર્વનિવેદિત અર્થની પૃચ્છા કરવી તે પ્રતિપૃચ્છાનું લક્ષણ છે અને નિજહિતકાર્યનું નિવેદન કરવું તે પ્રતિપૃચ્છાનું સ્વરૂપ છે. અહીં વિશેષ એ છે કે, ઘટનું જ્ઞાન ઘટાકારરૂપ હોવા છતાં જીવની પરિણતિરૂપ છે, અને ઘટની પરિણતિ તે પુદ્ગલની પરિણતિ છે; અને ઘટની પરિણતિ જે આકારે સંસ્થિત છે, તે આકારે ઘટનું જ્ઞાન સંસ્થિત નથી, પરંતુ આત્મપ્રદેશો જે આકારે છે તે જ આકારે જ્ઞાન સંસ્થિત છે. આમ છતાં જ્યારે ઘટનું જ્ઞાન થાય છે, ત્યારે તે જ્ઞાન ઘટાકારરૂપ છે, અને પટનું જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાન પટાકાર રૂપ છે, એ પ્રકારનો વ્યવહાર થાય છે. તે વ્યવહારને આશ્રયીને જ ઘટાકારરૂપ પ્રમાણ જ્ઞાન અને ઘટરૂપ પ્રમેયની પરિણતિ સમાન છે, તેમ અહીં કહેલ છે; પરંતુ જેમ ઘટ તે પુદ્ગલના સંસ્થાન વિશેષરૂપ છે, તેમ ઘટનું જ્ઞાન તેવા પ્રકારના સંસ્થાનરૂપ નથી. અહીં કોઈને શંકા થાય કે, આપૃચ્છા સામાચારી અને પ્રતિપૃચ્છા સામાચારી એ બેના લક્ષણમાં સાંકર્ય દોષ છે, તેથી તે બંનેનું સ્વતંત્ર લક્ષણ થઈ શકશે નહિ અર્થાત્ સ્વતંત્ર લક્ષણપણું અપસિદ્ધાંત માટે છે. અહીં વિષયનું સાંકર્ય આ પ્રમાણે છે - “બહુવેલ સંદિસાહું?’ એ પ્રયોગમાં કેવલ આપૃચ્છા કરાય છે, તેથી તે કેવલ આપૃચ્છા સામાચારીનો વિષય છે; અને શકુનાદિની અલના થાય છે તેવા સ્થળે પ્રતિપૃચ્છા થાય છે, તેથી તેવા સ્થળે પૂર્વમાં આપૃચ્છા વગર પ્રતિપૃચ્છા થાય છે; કેમ કે ગુરુએ આપૃચ્છા વગર જ શિષ્યને કોઈ કાર્ય કરવા કહ્યું હોય અને તે કાર્ય કરવા શિષ્ય પ્રવૃત્ત થાય ત્યારે કોઈ સ્કૂલના થાય અપશુકન થાય, તો પ્રતિપૃચ્છા કરવામાં આવે છે. તે રીતે અન્યત્ર પણ આપૃચ્છા વિના ગુરુઉપદિષ્ટ કાર્ય વિલંબનથી કરવાના પ્રસંગે પ્રતિપૃચ્છા થાય છે, ત્યાં કેવળ પ્રતિપૃચ્છા છે. આ રીતે બંનેની પૃથક ઉપલબ્ધિ છે. હવે આપૃચ્છા કર્યા પછી કોઈ રીતે કાળનું વિલંબન પ્રાપ્ત થાય ત્યારે પ્રતિપૃચ્છા કરીને તે કાર્ય કરાય છે, તે કાર્યનો વિષય આપૃચ્છા અને પ્રતિપૃચ્છાથી યુક્ત છે; કેમ કે પહેલાં આપૃચ્છા પણ એ જ કાર્યની કરાયેલી અને તે જ કાર્યની પ્રતિપૃચ્છા કરાઈ, આથી આપૃચ્છાનો વિષય તે જ પ્રતિપુચ્છાનો વિષય થાય છે. આ રીતે બંનેની પૃથક ઉપલબ્ધિ હોવા છતાં એક ઠેકાણે સાથે ઉપલબ્ધિ થઈ, તેથી વિષયનું સાંકર્ય પ્રાપ્ત થયું. તેથી બંનેનું સ્વતંત્ર લક્ષણપણું અપસિદ્ધાંત માટે છે, કેમ કે લક્ષણ દ્વારા બે સામાચારીને અહીં પૃથક બતાવવી છે. તે બતાવવા માટે આપૃચ્છા અને પ્રતિકૃચ્છારૂપે વચનપ્રયોગ બંનેના પૃથક્ પ્રાપ્ત થવા છતાં અને બંનેનો વિષય કોઈક ઠેકાણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy